SearchBrowseAboutContactDonate
Page Preview
Page 548
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પરા બતાવેલ સ્નાનાદિ માર્ગો પર શુદ્ધ ચેતનાને કેવી રીતે પ્રેમ થાય? આ પ્રમાણે વસ્તુસ્થિતિ છે. પતિવિરહમાં ગાંડી થયેલ શુદ્ધ ચેતના દરેકની પાસે જઈ પતિમેળાપ કરાવી આપવાની યાચના કરે તેને જે યોગ્ય જવાબ ન મળે તે પછી હજુ સંસારદશા ઓછી થઈ છે એમ કહી શકાય નહિ. કર્તવ્ય એ છે કે-રૂઢ વિચારે મૂકી દઈ, વિશુદ્ધ માર્ગ શોધી કાઢી આત્માની તે માર્ગે પ્રગતિ કરાવવી અને આંતરિક લાભ ખાતર ગમે તેવા સ્થળ લાભેને ભેગ આપે. એવા પ્રસંગમાં બાપદાદાના ધર્મની દૃષ્ટિથી વિચાર કરે યોગ્ય નથી, એવે પ્રસંગે તે ચેતનજીના વિશુદ્ધ માર્ગને તેની એકાંત પ્રગતિ કરાવવાના હેતુથી વિચાર કરે એ એના લાભ માટે ખાસ કરવા ગ્ય છે, અને એ પ્રમાણે કરવાથી ચેતનાની અભ્યર્થના સ્વીકારાઈ જવા ઉપરાંત આત્મવિશુદ્ધિ એવી સારી અને જલ્દી થતી જાય છે કે તેને ખ્યાલ વર્તમાન સ્લ દશામાં આવે પણ અશક્ય છે. બાકી તેવા પ્રકારને જે ઉપદેશમાં સાર ન હોય તેવો ઉપદેશ અને તેના ઉપદેશના સ્નાનાદિ સર્વ વિષયે શુદ્ધ ચેતનાને પસંદ ન આવે એ તદ્દન સ્વાભાવિક અને સમજી શકાય તેવી બાબત છે. આટલા માટે ચેતના મજનને માથે દાહ પડે એમ કહે છે, કારણ કે એવા ઉપર ઉપરના સ્નાનમાં કાંઈ લાભ નથી. कोई *सयण जाणे पर मननी, वेदन विरह अथाह; थरथर देहडी धूजे माहरी+, जिम वानर xभरमाह रे. मोने० २ “પારકાના મનમાં જે અથાગ વિરહ વેદના થતી હોય છે તે કઈ સ્વજન હોય તે તે જાણે છે; ભર શિયાળામાં વાંદરાની પેઠે મારું શરીર તે થરથર (વિરહ વેદનાને લીધે) પૂજે છે. ભાવ–મારા પતિના વિરહની મને એટલી સખ્ત પીડા થાય છે કે તે અપાર છે, પણ મારા મનની એ પીડા કેઈ સ્વજન હોય તે જ જાણી શકે છે. તાત્પર્ય કે અન્યને તેને ખ્યાલ આવે મુશ્કેલ છે અને મને પિતાને તે એ વિરહ વેદના એટલી થાય છે કેતેની પીડાને લીધે જેમ ઠંડી ઋતુમાં વાનર થરથર ધ્રુજે છે તેમ મારું આખું શરીર ધ્રુજે છે, માત્ર મારે મુખેથી તે હું તેનું યથાસ્થિત વર્ણન પણ કરી શકતી નથી. આ પંક્તિનો આધ્યાત્મિક અર્થ વિચારતાં નીચે પ્રમાણે ભાવ નીકળે છે. ઘણાખરા માણસો તે પારકા મનમાં શું ચાલે છે તે જાણતા નથી. એ પર પ્રાણીનું મન લક્ષ્ય પર છે * “કૌન સેન જાને પર મનકી ” એ પાઠ છાપેલી બુકમાં છે, કાણુ સજજન પારકા મનની વાત જાણે એ એનો અર્થ છે. તેનો અર્થ સજજન થાય છે. + “થરથર ધ્રુજે દેહડી માહરી ” એ પ્રમાણે પાઠ છાપેલી પ્રતમાં છે, દેહડીની જગ્યા ફેરવીને પાઠ સર્વ પ્રતોમાં છે તેથી તે પાઠ સાચે જણાય છે. * ભરમારને બદલે એક પ્રતમાં “ભરૂમાંહ’ શબ્દ વાપર્યો છે. અર્થ એક જ હોય એમ લાગે છે. ૨ સયણસ્વજન, સજજન. વેદન=પીડા, વેદના. અથાહ અથાગ, માપી ન શકાય તેટલી. દેહડી=શરીર. વાનર વાંદરો. ભરમાત=ભર શિયાળામાં, સખ્ત ઠંડીમાં. Jain Education International sation International www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy