________________
અડતાલીસમુ પ
પ૩૧
આનંદઘન પ્રભુ હાથ પકડે એ ખાખત પર આખા પદનુ રહસ્ય છે. જ્યાં સુધી અનેક જગ્યા પર જઈ પક્ષધમ આદરવામાં આવે ત્યાં સુધી આ ચેતનાના ઉદ્ધાર થવાના નથી. જ્યારે શુદ્ધ દશાના ખપી થઇ આનંદઘનસ્વરૂપમાં લય પામવા અડગ નિશ્ચય થશે ત્યારે જ સ ક્રિયા અને જ્ઞાનનું ફળ પ્રાપ્ત થવાનું છે એ સ્પષ્ટ વાત છે. એમ થાય નહિ ત્યાં સુધી ગમે તેવા રંગના વસ્ત્રા પહેરવામાં આવે, ગમે તેટલી આતાપના લેવામાં આવે, ગમે તેટલી યાત્રાએ કરવામાં આવે, ગમે તેટલાં આસનેા કરવામાં આવે, ઉપર ઉપરની ટૂંકામાં કહીએ તા ગમે તેટલી ક્રિયાએ કરવામાં આવે, પણ જ્યાં સુધી શુદ્ધ ચૈતન્યભાવ પ્રગટ કરી તેમાં લય પામવાની દશા ન થાય ત્યાં સુધી તમે અભેદવાદી થાએ કે ભેદવાદી થાએ, બુદ્ધ થાએ કે જૈન થાઓ, મીમાંસક થાએ કે વેદાન્તી થાએ, નૈયાયિક થા કે વૈશેષિક થાઓએમાં વસ્તુતઃ કાંઈ વળવાનું નથી. આ અતિ વિશુદ્ધ ભાવ શાંત હૃદયે મનમાં વિચારવા ચેાગ્ય છે. વસ્તુતત્ત્વના રહસ્યના મેધ ન થયેા હાય તેવા સ્થૂળ સંજ્ઞાવાળા પ્રાણીએ અહીં પશુ નિશ્ચયની પાષણા જોશે, પરંતુ અત્ર એવુ કાંઈ પશુ નથી. જો આવી સામાન્ય ખામતને પણ નિશ્ચયપેાષણા તરીકે ગણીને વિસારવામાં કે ઉવેખવામાં આવશે તેા સમજવું કે આપણું પણ નિષ્પક્ષપણુ હજી પ્રગટ થયું નથી અને હજુ ઘણા ભવા સુધી આનંદઘન પ્રભુ હાથ પકડે એવી સ્થિતિમાં મૂકાવાની આપણી તીવ્ર અભિલાષા થઇ નથી.
આનંદધન મહારાજે પ્રખર ભાષામાં પ્રૌઢપણે અહીં વિચારા બતાવ્યા છે અને ઉત્તરભરણાદિ નિજ કાજ કરતાં પ્રાણીને કળિકાળમાં મેહ નડી રહેલ છે એમ ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં કહ્યુ છે, એવા મક્કમ વિચારના લેખકોને ખરાખર સમજવાની ખાસ જરૂર છે, જે ઊંચી હદના વિચાર। તે બતાવે છે તે કેટલીક વાર બાહ્ય દૃષ્ટિ જીવાના ગ્રાહ્યમાં પણ આવી શકતા નથી અને તેથી તે વિચાર। નિશ્ચય નયના છે એમ કહેવામાં આવે છે. વસ્તુતઃ આવા વિચારે જરા ઊંચી ષ્ટિ થઈ હાય, એકાંત ખાદ્ય દૃષ્ટિથી જે કાંઇક ઊંચા આવ્યા હાય તેને તદ્ન સામાન્ય છે. શાસ્ત્રકાર તેથી ઘણી જગ્યા પર કહે છે કેઆ જીવે બાહ્ય ક્રિયા તે બહુ વાર કરી પરંતુ તેને માડુ-અજ્ઞાન ગયા નહિ તેથી ક્રિયાને લાભ ખરાબર મળ્યા નહિ, મેરુપ ત જેટલા ઢગલા થાય એટલા આઘા તથા મુહુત્તિ કરીને તેટલી વાર સંયમ લીધા છતાં આ જીવની મુક્તિ ન થવાનું કારણુ ખાહ્ય સૃષ્ટિ છે. જરા અંતરાત્મપણું પ્રાપ્ત થાય અને પક્ષવાદ છેડી દેવામાં આવે તે પછી ઉન્નત દશાએ પહેાંચવામાં વખત લાગતા નથી શ્રીઆન ંદઘનજીના ચેગ બહુ ઊંચા હૈાવાથી તેમણે જે શબ્દો આ પદમાં સ્પષ્ટ રીતે પ્રખર ભાષામાં કહ્યા છે તેવા વિચારા જરા ફેરફાર સાથે અન્ય લેખકાએ પણ બતાવ્યા છે. જે જે લેખકેાને જેટલા વિકાસ થયા હાય તેટલી હદ સુધી જ તે વાત લખી શકે છે અને ખાસ કરીને આવા સ્પષ્ટ વક્તા થનાર લેખકે મહુ થોડા હાય છે તે વાત ખરી છે, પરંતુ આવા જ વિચારો ખાસ આત્માન્નતિ માટે કર્તવ્ય છે એ આખું પદ વિચારવાથી જાય તેમ છે. બીજા ચેાગના વિષય પર લખનારા આ પદ્મના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org