SearchBrowseAboutContactDonate
Page Preview
Page 542
Loading...
Download File
Download File
Page Text
________________ પકર શ્રી આનંદઘનજીનાં પદ વિષયસંબંધમાં શું લખે છે તે વિચારતાં આપણને ચિદાનંદજી ઉર્ફે કપૂરચંદ્રજીનું અબધુ નિરખ વિરલા કેઈ” એ પદ ધ્યાનમાં આવે છે. એ પદ આખું પ્રથમ ગાથાના વિવેચનમાં લખાઈ ગયું છે અને ત્યાં બતાવ્યું છે કે-શ્રીઆનંદઘનજી મહારાજ પિતાના પદમાં તીર્થ-દર્શનમાં નિષ્પક્ષપણું શીખવે છે અને ચિદાનંદજી આધ્યાત્મિક નિષ્પક્ષપણું શીખવે છે. એ જ વિષયને અંગે શ્રીમાન યશવિજયજી ઉપાધ્યાય પિતાના “ જશવિલાસ” માં અવારનવાર ઉક્તિ કરે છે. “અબ મેં સાચે સાહિબ પા” એ પદમાં તેઓ કહે છે તે જોઈએ. ચાકી સેવ કરતણું ચામું, મુજ મન પ્રેમ સુહા અબ મેં સાચે સાહિબ પાયે. ક્યા જાને ત્યાં યુગતિ ન જાને, મેં તો સેવક ઉનકે; પક્ષપાત તે પરશું હવે, રાગ ધરતણું ગુનકે. અબ૦ ભાવ એક હે સબ જ્ઞાનીકે, સરખ ભેદ ન પાવે; અપને સાહિબ જે પહિચાને, સૌ જસલીલા પાવે. અબ૦ આ પદમાં આનંદઘન પ્રભુ હાથ પકડે એ ભાવ બતાવ્યું છે, તેને લગતે જ ભાવ અત્રે જણાવ્યું છે. એ જ મહાત્મા અન્યત્ર કહે છે – બાહ્ય ક્રિયા કરે કપટ કેળવે, ફિરકે મહંત કહાવે; પક્ષપાત કબહું નવિ છેડે, ઉનકે મુગતિ બેલાવે. જબ લગે સમતા ક્ષણ નહિ આવે. અહીં કેટલી હદ સુધીની વાત કરી છે તે બરાબર વિચારવા ગ્ય છે. બાહ્યાચરણે કરવામાં કપટકિયા આવે અને પક્ષપાતનો ત્યાગ કરવામાં ન આવે તો તેની મુક્તિ થવાની વાત તે બાજુએ રહી પણું તેને બદલે તે કુગતિમાં જાય છે. સમતાને માયડી કહીને ચેતના ફરિયાદ કરે છે એમ શ્રીઆનંદઘનજી મહારાજ બતાવે છે તે આ જ છે. જોગી જેગણું કરે છે, યતિ યતણું બનાવે છે વિગેરે વાત કહી છે તે મહંત નામ કહેવરાવવાની સાથે મળતી આવે છે અને એવા પ્રાણીઓને કુગતિમાં ભ્રમણ કરવું પડે છે તેને સમાવેશ જે જે કીધું જે જે કરાવ્યું તેમાં થઈ જાય છે. આ સ્થિતિ છે તેથી વિચાર કરી પક્ષધર્મને ત્યાગ કરી સત્ય માર્ગને આદરવા અને તેને વળગી રહેવા વિજ્ઞપ્તિ છે. જ્ઞાનવિલાસમાં શ્રી જ્ઞાનવિમળસૂરિ એક પદ બિહાગ રાગમાં લખે છે તેને ભાવ પણ આવે જ છે. તે પદ નીચે પ્રમાણે છે – જગગુરુ નિરપખ કે ન દિખાય. નિરપખ. અપના અપને હઠ સહુ તાણે, કેસે મેલ મિલાય? વેદ પુરાના સબહી થાકે, તેરી કવન ચલાય. જગગુરુ. ૧ સબ જગ નિજ ગુરુત કે કારન, મગજ ઉપર ઠાય; ગ્યાન ધ્યાન કછુ જાને નાહિ, પિતે ધર્મ બતાય. જગગુરુ. ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy