SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું પદ પર ભવપ્રપંચ કથા ગ્રંથમાં શ્રીમાન સિદ્ધર્ષિ ગણિએ બહુ સુંદર ચિત્તાકર્ષક રીતે આવે છે, તે અવકાશે વાંચી વિચારો. અત્ર ભાવ એ છે કે-આવી રીતે ઘર સિવાય અન્ય તીર્થ નથી એમ કહી મને નિષ્પક્ષ રહેવા દીધી નહિ અને તેને માટે તીર્થના ઉપદેશકે ખાસ જવાબદાર છે. आपबीती कहेतां रीसावे, *तेहसु जोर न चाले; आनंदघनप्रभु+ बांहडी झाले, बाजी सघली पाले. मायडी० ८ “પિતાની ઉપર વીતેલ હકીકત વર્ણવી બતાવતાં તે પતિ (મારા ઉપર ) ગુસ્સે કરે છે તેથી તેની સાથે (મારું) જેર ચાલતું નથી; (હવે તે ) આનંદઘન પરમાત્મા મારે હાથે ઝાલે તે સઘળી બાજી પળાઈ જાય, તેમાં વિજય મળે.” ભાવ-વિવિધ તીર્થ (મત)માં મને કે ઉપદેશ આપવામાં આવ્યું અને તેને પરિ મે મારી કેવી રખટપટ્ટી થઈ, દુર્ગતિમાં મારે કેવી રીતે ભ્રમણ કરવું પડ્યું, ત્યાં મારે કેવાં કેવાં દુઃખ સહન કરવા પડ્યાં વિગેરે વાત જો હું તે તીર્થના ચાલકે કહી બતાવું છું, જે વાત મને વિતી છે તેને સવિરતર હેવાલ તેઓને સંભળાવું છું તે તેઓ મારા ઉપર રીસ કરે છે, ગુસ્સે થઈ મારા ઉપર ક્રોધ કરે છે અને મારી સાથે રુસણું લે છે તેથી તેઓ ઉપર મારું કાંઈ જેર ચાલતું નથી. દુનિયામાં ઘણી વાર એવું બને છે કેસાચી વાત કરીએ તે કેઈને ગમતી નથી. સાચી વાત ગમતી નથી એટલું જ નહિ પણ તે વાત કહેવાથી તે તેઓ મારી સાથે લડવા આવે છે અને ઉલટા મારા પતિને એવા ભંભેરી મૂકે છે કે કદાચ તે મારી સાથે જરા જરા અનુકૂળ થયા હોય તે પણ પરામુખ થઈ જાય છે અને તદ્દન મિથ્યાત્વમાં ચાલ્યા જાય છે. કજીઓ કરનારને કજીઆળે કહેવાથી, અંધને આંધળો કહેવાથી, પાપ કરનારને પાપી કહેવાથી દુનિયાના લેકે ગુસ્સે થઈ સામા * “ તેહસું ને બદલે છાપેલી બુકમાં “તેથી ” એવો પાઠ છે. અર્થ તેથી સારો થાય છે પણ તે પાઠ કઈ પણ પ્રતમાં નથી. + છાપેલી બુકમાં “ આનંદધન વહાલે બાંહડી જાલે ” એવો પાઠ છે. અર્થમાં બહુ ફેર પડતું નથી. * “ તે બીજું સઘળું પાલે ” એવો પાઠ છાપેલી બુકમાં છે પણ સર્વ પ્રતોમાં પાઠ ઉપર લખે તે પ્રમાણે છે. અર્થ માટે વિવેચન જુઓ. ૮ આપવીતી=મારા ઉપર પડેલી વિપત્તિનો હેવાલ. કહેતા=વર્ણવતાં. રીસા રીસાઈ જાય. ગુસ્સે થઈ જાય. તેહસું તેની સાથે. બાંહડી=બાંહ. બાઇ=રમત. પાલે=પળી જાય, વહન થાય. - અહીં આપવીતી ચેતનને કહેવાથી તે તેમાંથી સાર ગ્રહણ કરતા નથી પણ હું તેના દોષ બતાવું છું' એમ ધારી ઉલટી મારી સાથે રીસાઈ જાય છે. એમ કરે તેની સાથે જોર શું ચાલે? જે તે મારા કહેવામાંથી કાંઈ સાર ગ્રહણ કરે તે ચાલે. મિથ્થામતિની સંગતથી તે રીસાળવા થઈ ગયા છે એટલે તેને આપવીતી પણ કહી શકાતી નથી. આ પ્રમાણે અર્થ વધારે યોગ્ય લાગે છે. (૧૦) કું. આ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy