________________
અડતાલીસમું પદ
પર
છે તેમ ગીએ મને ગર્ણ કરી અને જતિએ જતણ કરી–આવાં આવાં કામ કરતી હતી અને માન્યતા એમ રાખતી હતી કે જાણે સર્વ સત્ય તેમાં જ આવી રહ્યું હોય અને તે સિવાય અન્યત્ર કેઈ પણ જગ્યાએ સત્ય હાય જ નહિ, હોવાનો સંભવ પણ છે નહિ એમ માનીને મેં કામ લીધું અને એ મારી પાસે એ નિયમાનુસાર જ કામ કરાવ્યું. હું તે દરેક મતવાળાની પાસે ગઈ ત્યાં મને નિષ્પક્ષ રાખવાને બદલે એવી મતચુસ્ત બનાવી દીધી કે જાણે હવે મારી એવી વિચિત્ર મૂર્ખતા પર હું વિચાર કરું છું ત્યારે મને પણ બહુ ખેદ થાય છે. વળી મારી પાસે ઉપર જણાવ્યાં તે ઉપરાંત બીજા અનેક એવાં એવાં કામ કરાવ્યાં છે કે જેનું વર્ણન કરી બતાવતાં મને પોતાને જ લાજ આવે છે.
હે માડી! હું તમને કેટલી વાત કહું? મારી એટલી બધી વિચિત્ર સ્થિતિ બનેલી છે કે તે સર્વનું જે વર્ણન કરવા બેસું તે પાર આવે નહિ અને કહેતાં કહેતાં મારે પણ બહું શરમાવું પડે. હું તમને થોડી વાત ટૂંકામાં કહી દઉં છું, તમે વધારે તમારી મેળે સમજી લેશે. “ડું લખ્યું ઘણું કરી વાંચશો” એ વાત તમે સારી રીતે જાણે છે. હું થોડું કહું છું તે તમે સમજી જશે. ટૂંકમાં વાત એ છે કે-મારું ઘર સાજું નથી. બધી વાતને સાર આ એક વાકયમાં આવે છે. પુરુષની દૃષ્ટિએ જ જૂઠું મિરયાદુળ ઢમુખ્યત્વે ઘર એ ઘર નથી, પણ સ્ત્રી એ ઘર છે, તેમજ સ્ત્રીની દૃષ્ટિથી પુરુષ-પતિ તેનું સર્વસ્વ હોઈ તેને તે જ ઘર છે. ઘર સાજું રાખવું એટલે ઘરમાં એગ્ય સંપ, સ્નેહ અને વિવેક તેમ જ પતિપત્ની ધર્મની એગ્ય વહેંચણુ અને કાર્યકરણ. હે માડી ! મારું ઘર સાજું નથી, મારા પતિ ઘર તરફન, મારી તરફનો, પોતાની જાત તરફનો ધર્મ બરાબર સમજતા નથી અને સમજતા ન હોવાને લીધે ધર્મકાર્ય–પિતાની ફરજ બજાવતા નથી તેથી આ સર્વ ગોટાળો થયો છે. જ્યાં ઘર સાજુ ન હોય ત્યાં મારે કેની પાસે ફરિયાદ કરવી ? આપણે સમજી શકીએ છીએ તેવી હકીક્ત છે કે સ્ત્રી એટલે ઘર અને ઘર એટલે સંસાર. એટલે કે સંસારમાં પ્રગતિ કરવાનું કારણ સ્ત્રી છે, સ્ત્રીના દષ્ટિબિંદુથી પુરુષ એ જ સ્થાન લે છે. હવે જેમ સંસારવ્યવહાર ચલાવવા માટે પતિ અને પત્નીએ પોતપોતાના ધર્મે યોગ્ય પ્રકારે પાળવા જોઈએ અને તે માટે ખાસ કરીને પતિએ સર્વ પ્રકારને એગ્ય વિચાર કરે જોઈએ, સંયુક્ત કુટુંબ હોય તે કઈને અન્યાય થવો ન જોઈએ, આળસુને વધારે મળે, બહુ બેલનાર કે વાંધા પાડનારને ખાસ લાભ મળે વિગેરે ગેરવ્યવસ્થા થવી ન જોઈએ, એ જેવાની ફરજ કુટુંબના કર્તા–મેનેજરની છે અને તેમ કરનારનું ઘર સાજું કહેવાય છે, જેનું ઘર સાજું ન હોય તેને ત્યાં નિરંતર કલેશ, અન્યાય અને અશાંતિ રહે છે, તે પ્રમાણે અહીં શુદ્ધ ચેતના કહે છે કે – હે માડી ! મારાં દુઃખની વાત હું શું કહું? મારું ઘર જ સાજી નથી, મારા પતિ ઘર સંબંધી–મારા સંબંધી કદિ વિચાર જ કરતા નથી, મને
* ઘર સાજું કરવું એટલે લાંચ લેવી એવો ખરાબ અર્થ પણ ભાષામાં થાય છે. અત્ર તે અર્થમાં એ વાક્ય વપરાયેલ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org