SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું પદ ૫૨૫ લડવાને બદલે તેઓના હકમ માન્ય કરવા પડે છે અને તેને લઈને પતિ નિરન્તર દબાયેલી સ્થિતિમાં સંડોવાયેલા જ રહે છે. ચેતના એના શુદ્ધ સ્વરૂપમાં હોય તે અતિ વિશુદ્ધ છે, નિર્મળ સ્ફટિક રત્ન જેવી છે, પરંતુ ચેતનજી જ્યારે વિભાવદશાના અંકુશમાં હોય છે ત્યારે ચેતનાનું શુદ્ધ સ્વરૂપ પ્રકટ થતું નથી. નિષ્પક્ષ રહેવા માટે વરતુસ્વરૂપના સભ્ય જ્ઞાનની ખાસ આવશ્યકતા છે. જ્યાં સુધી ચેતનજી મિથ્યાત્વની અસર નીચે હોય છે ત્યાં સુધી એને તત્વબોધ થતું નથી અને તેથી એકાંત સ્વરૂપ શોધવા અને વિચારવામાં પિતાની બુદ્ધિનો ઉપયોગ કરે છે અને મતિકલ્પનાથી ચાલ્યા જાય છે. આ પ્રસંગે તે ઉપર જણાવ્યું તેમ સત્યના અંશને પૂર્ણ સત્ય સમજી તેના ઉપર મક્કમ રહે છે અને સંસારસમુદ્રમાં અટવાયા કરે છે. જ્યાં સુધી પ્રમાણજ્ઞાનયુક્ત સત્ય સ્વરૂપ સમજાય નહિ ત્યાં સુધી શુદ્ધ વરૂપજ્ઞાનની પ્રાપ્તિ થાય નહિ અને તેમ બને નહિ ત્યાં સુધી ચેતના કદિ નિષ્પક્ષ થઈ શકે નહિ. એ તે દરેક બાબતમાં એવે પ્રસંગે એક બાજુ પર ઢળી જાય છે અને મિથ્યાજ્ઞાન ચેતનજીને તે બાજુ પર એવા આગ્રહી બનાવી દે છે કે પછી તે શુદ્ધ વસ્તુજ્ઞાન પ્રાપ્ત કરવાની સ્થિતિમાં પણ ઘણા કાળ સુધી આવી શકતા નથી અને તે વખતે મેહરાના પિતાનું જેર એવા પ્રબળપણે વાપરે છે કે ચેતના કાંઈ બોલી પણ શકતી નથી અને ચેતનજી મિથ્યાજ્ઞાનની અસરમાં રહીને વહુસ્વરૂપ વિચારી શકતા નથી. ચેતનાને હાથે અથવા ચેતના પાસે તેવા પ્રસંગમાં( વિભાવદશામાં) કેવાં કેવાં કામ કરાવ્યાં છે તેનું સ્વરૂપ ચેતના પિતે જ કહે છે તે નીચે વિચારીએ છીએ. પરંતુ અત્ર કહેવાન' તાત્પર્ય એ છે કે-ચેતના એ વખતે નિષ્પક્ષ રહી શકતી નથી. મહરાજ જેવા પ્રબળ સેનાની સાથે ચેતનજી લડવાનો વિચાર પણ કરે નહિ, કરે ત્યારે પિતાના સેનાનીઓને ઓળખે પણ નહિ એવી અણઘટતી લડાઈ થાય એમાં કાંઈ આનંદ આવતો નથી. ભાવ એ છે કે-કઈ વાર ચેતનજી મહરાજા સાથે લડવા નીકળ્યા હશે તે પણ તદ્દન નિર્માલ્ય રીતે બહાર પડ્યા હશે, પરિણામે ચેતના તે કાંઈ બેલી પણ શકે નહિ અને ચેતનજી લડાઈમાં માર ખાઈને ઘરે પાછા આવે એવું થાય છે. પતિ હજુ જાણતા પણ નથી કે કોની સાથે લડવું છે ? પિતાનું બળ કેટલું છે ? શત્રુસમૂહ કે બળવાન છે અને લડાઈને પરિણામે પિતાના ભવિષ્યમાં કેટલો ફેરફાર થવાને છે. ચેતનાની વાત હવે સાંભળી વિચાર કરીએ. जे जे की, जे जे कराव्यु, ते कहेता लाजु; थोडे कहे+ घणुं प्रीछी लेजो, xघर सुतर नहि साजूं. मायडी० ७ * “ તે કહેતી ' એવો પાઠ છાપેલી બુકમાં છે તે અશુદ્ધ જણાય છે. + કહેને બદલે એક પ્રતમાં “ કહ્યું ' પાઠ છે, અર્થ એક જ છે. ૪ આ પંક્તિના પાઠોમાં ફેરફાર છે. અત્રે પાઠ લખે છે તે એક પ્રતમાં છે. બે પ્રતમાં પાઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy