SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ આન'ઘનની ભાષા-વિચારણા ૪૩ વાક્યપ્રયાગા વાપરવાના પ્રસંગો આવે ત્યારે માતૃભાષામાં અથવા દેશી ભાષામાં જેવી છૂટથી તેના ઉપયોગ થાય છે તેવા અને તેટલે ઉપયાગ અન્ય ભાષામાં થતા નથી અને આ માટે તફાવત પદની અને ચાવીશીની ભાષામાં ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. ચાવીશી પૈકીનાં ૨૨ સ્તવને આનંદઘનજીનાં બનાવેલાં છે. તેની ભાષા પ્રૌઢ છે, છતાં જે છૂટ અને સ્પષ્ટતાથી ખાસ વાક્યપ્રયોગા અને અલંકારા પટ્ટમાં વપરાયા છે તેટલી છૂટ અને સ્પષ્ટતા સ્તવનેામાં જોવામાં આવશે નહિ. આ મુદ્દા પર આપણે ખાસ વિચાર કરવા ચેાગ્ય છે. તેને માટે સૂક્ષ્મ અવલેાકનદૃષ્ટિથી પદની અને સ્તવનાની ભાષા વિચારવા વિજ્ઞપ્તિ છે. સ્તવનાના વિચારા વધારે ઉચ્ચ છતાં અલકાર અને વાક્યપ્રયોગે પદ્યમાં વિશેષ દૃઢ રીતે વપરાયલા જોવામાં આવશે. ગમે તે પદ્ય વાંચવાથી અને ખાસ કરીને તેના પ્રયાગેા પર વિચાર કરવાથી આનંăઘનજી મહારાજની ભાષામાં દૃઢ સંસ્કાર ઉત્તર હિંદુસ્તાન અને મધ્ય પ્રદેશ વચ્ચે બુદેલખંડમાં વપરાતી મિશ્ર મારવાડી–હિંદુસ્તાનીના જણાઈ આવે તેવું છે. આપણે એવા પ્રયાગા પર જરા વધારે વિચાર કરીએ. દાખલા તરીકે કબ મિલશે મનમેલું ’ (૫૪ ૨૪) ત્યાર પછીની ગાથામાં ‘ લેલૂ ' શબ્દપ્રયોગ અને ખાસ કરીને કા નવિ વિલગે ચેલુ ’ એવા એ જ પદમાં શબ્દ અને વાક્યપ્રયોગ કર્યાં છે તે આ પદોના બનાવનારનુ વિહારક્ષેત્ર સ્પષ્ટપણે મારવાડ તરફ બતાવે છે. લેલૂના અર્થ મારવાડીમાં પથ્થરના કટકા અથવા નાને પથ્થર થાય છે અને ‘ ચેલુ વિલગે ’ એટલે ચેલે ગુરુમહારાજ સાથે રહેવાને લલચાય એ જ અમાં હાલ પણ તે વાકયપ્રયાગ મારવાડી ભાષામાં થાય છે અને કેાઈ મારવાડી સાથે વાત કરવાથી પણ એ હકીકત જણાઇ આવે તેમ છે. · આપ મિલ્યાથી અંતર રાખે એને મળતા ગુજરાતીમાં પણ પ્રયાગ થાય છે પરંતુ એમાં પણ ‘ મિલ્યાથી ' શબ્દ એવી રીતે વપરાયા છે કે એ મારવાડી તરફ આખા પ્રયાગને ખેંચી જાય છે. ‘ આપણા મળે ત્યારે આંતરી રાખે તે ગાંડા સમજવા ’ એમ ગુજરાતીમાં પ્રયોગ થાય છે પણ · મિલ્યાથી ’ એવા ભાષાપ્રયોગ કે વાક્યરચના ગુજરાતીમાં કદી જોવામાં આવતા નથી. આ એક વાક્ય જ મિશ્ર મારવાડી-હિંદુસ્તાનીના પ્રયાગાના જે છૂટથી અહીં ઉપયેગ થયા છે તે બતાવી આપે છે અને ભાષાના નિયને અંગે બહુ મદદ કરે અને ઉપયોગી થાય તેવા આંતિરક પૂરાવા રજૂ કરે છે. આવા ખાસ વાક્યપ્રયાગના થોડાક દાખલા રજૂ કરીએ. ત્રેવીશમા પટ્ટમાં ‘ દે ઢવકાય ન વા ગમે’ એ ખાસ મિશ્ર પ્રયાગ છે અને એના જેવા પ્રયાગ ગુજરાતીમાં જોવામાં * મારા વિચાર પ્રમાણે ૨૧ તેમનાં બનાવેલાં છે જે પર વિચારણા હવે પછી કરવામાં આવી છે. ચાલુ માન્યતા પ્રમાણે ૨૨ સ્તવન (૧ થી ૨૨) તેમનાં બનાવેલાં કહેવાય છે. આ ૨૨ સ્તવને માટે ઉપાદ્ધાત જુઓ. મેં તે સ્તવને પર વિસ્તારથી વિવેચન લખવા માંડયુ છે. વિ. ક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy