SearchBrowseAboutContactDonate
Page Preview
Page 527
Loading...
Download File
Download File
Page Text
________________ અડતાલીસમું પદ ૫૨૭ સત્તરમા શ્રીકુંથુનાથજીને ઉદ્દેશીને બહુ સુંદર સ્તવન રચ્યું છે જેના ભાવ પણ આ સાથે વિચારવા ચેાગ્ય છે. પ્રથમ પંક્તિમાં ‘ કેણે મૂકી કેણે લૂ'ચી' એવા પાઠ છાપેલી બુકમાં છે. મૂકી એટલે મુંગી કરી. મતલબ એ છે કે-કાઈએ મારા પતિને મૌન ધારણ કરાવ્યું. ભાવનગરમાં મારા જોવામાં એક સન્યાસી આવ્યે હતેા. તે ખેલતા નહિ, લખી આપતા હતા. સાથે સ્લેટ રાખતા અને લખીને વાત કરતા હતા. આવા પ્રકારના મૌનથી લાભ નથી. વચન ઉપર અંકુશ રાખવાની જરૂર છે. કારણ વગર અથવા વિચાર વગર નકામું ખેલ્યા કરવું એ સર્વથા ત્યાજ્ય છે. પણ બાહ્ય દૃષ્ટિએ વચનના ઉચ્ચાર ન કરવા અને તેને બદલે સાનથી કે લખાણુથી ખેલવાના વિચારા વ્યકત કરવા એ વખતના નકામા વ્યય અને અન્ય ઉપર ઉપકાર કરવાના પ્રાપ્ત થયેલા પ્રસંગના ગેરવાજબી રીતે નાશ છે. જો વચનના ઉચ્ચાર ન કરવાથી જ લાભ હાય તા ચોરન્દ્રિય સુધીના સર્વ જીવાને સ્પષ્ટ ભાષા હેાતી નથી તે જરૂર લાભ પ્રાપ્ત કરે જ, પરંતુ વાત એમ નથી. પ્રસંગે ખેલવુ હાય ત્યારે વચનસમિતિ રાખવી અને કારણ ન હેાય ત્યારે વચનપ્તિ રાખવી. આ બન્ને ચાગ માર્ગ છે. પ્રભુભક્તિ, પ્રતિક્રમણાદિ ક્રિયા, અન્યને સદુપદેશ અને એવા બીજા ચેાગ્ય પ્રસંગે વિચાર કરીને પરને હિત કરનાર હાય તે પ્રિય રીતે વદવામાં આવે તે તેમાં કોઈ પ્રકારની અડચણ હાવી ન જોઈએ. સાધ્યને લક્ષ્યમાં રાખી ઉપયેગપૂર્વક વચનના વિલાસ કરવામાં આવે તે અનેક જીવા પર સીધી અને આડકતરી રીતે મહાઉપકાર થઈ શકે છે. સર્વ જીવને શાસનસિક કરી મેક્ષમાં લઇ જવાની જે ઇચ્છા તીથ કર મહારાજને પૂર્વ ભવમાં થઇ હાય છે અને તેને લઈને જ તેઓ તીર્થંકરનામક નાં દળિયાં એકઠાં કરે છે તેની પરાકાષ્ઠા ખાર પદા સમક્ષ ઉપદેશ દેવામાં જ આવે છે અને તે વખતે તે વચનના વિલાસ કરે છે. ખાદ્યષ્ટિ જીવાને ફસાવવા ખાતર અથવા પેાતાનુ માન વધારવા સારું ઉપર ઉપરથી ખેલવું નહિ અને એલવાનું પિરણામ જે અન્યને વિચાર બતાવવાનુ હાય છે તે સંજ્ઞા અથવા લખાણુથી બતાવવું એ તે એક પ્રકારની ધૃષ્ટતા લાગે છે. ચેતનાની ફરિયાદ એ છે કે–મને મુંગી કરી અને મારી પાસે ખાલી ડાળ કરાગ્યે, મતલબ ચેતનજી આવી રીતે મુંગા રહ્યા અને જાણે પાતે મૌન ચેાગી ાય એવા તેઓએ ડાળ ઘાલ્યો. આના સંબંધમાં શ્રી મુનિસુદરસૂરિ મહારાજ શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના ચૌદમા અધિકારમાં કહે છે કે “ વચનની અપ્રવૃત્તિ માત્રથી કાણુ કાણુ મૌન ધારણ કરતું નથી? પણ અમે તે વચનક્રુતિવાળા પ્રાણીએ નિરવધ વચન લે છે તેની સ્તવના કરીએ છીએ. *તુ નિરવદ્ય (નિષ્પાપ) વચન એલ, કારણુ કે સાવદ્ય વચન ખેલવાથી વસુ રાજા વિગેરે શીઘ્ર ધાર નરકમાં ગયા છે. ” આ પ્રમાણે હકીકત હાવાથી ડાળ ઘાલનારના ચેાગમાં પણ ઉપયોગ નથી એ હકીકત સ્પષ્ટ માટે અધ્યાત્મકપદ્રુમ-અધિકાર ચૌદમાના * વસુ રાજાની કથા તથા સમિતિ ગુપ્તિના વિવેચન શ્લોક ૬-૭ પરતું વિવેચન જુએ. પૃ. ૪૪૧-૭ ( દ્વિતીયાત્તિ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy