________________
૫૧૪.
શ્રી આનંદઘનજીનાં પદો નિરંતર મારાથી દૂર જ રાખી; ચેતનને અને મારે ખરે સંબંધ શું છે અને મારું વાસ્તવિક સ્વરૂપ વ્યક્ત કરવાનું શું કારણ છે અને તે કેમ થઈ શકે તે વાત દૂર ને દૂર રાખી; મને જૂદા જૂદા મતમાં લઈ જઈ પૃથક પૃથક્ નામે મારી પાસે લેવરાવ્યાં પણ ચેતનજીની સગાઈ તે તેમાં કોઈ જગ્યાએ જોવામાં આવી જ નહિ, શોધતાં માલુમ પણ પડી નહિ, જાણે એ નામની સાથે ચેતનજીને કોઈ સંબંધ હોય એવું જણાયું પણ નહિ. બધી જગ્યાએ ઉપર ઉપરની ટાપટીપ, ધામધુમ અને સ્પષ્ટ રીતે કહું તે બાહ્ય ભાવ જોવામાં આવ્યું. ચેતનનું શુદ્ધ સ્વરૂપ કેમ પ્રગટે? તે વિભાવમાં જ કેમ અટકે? તેની વિચારણા, તે પ્રમાણે વર્તન અને તદનુસાર કર્તવ્યપરાયણતા તે મારા જેવામાં આવી જ નહીં. જૂદા જૂદા વાડામાં જેમ મોટી સંખ્યામાં જનાવરો રહે છે અને ચારો ચરે છે તેમાંના એકની જેવી સ્થિતિ હોય તેવું સ્વરૂપ ચિતનજીનું પ્રત્યેક વાડામાં જતાં થયું છે; એથી વિશેષ ઠીક થયું હોય એવું મારા જોવામાં આવ્યું નથી.
શ્રી આનંદઘનજી મહારાજે બરાબર આ જ ભાવ ચૌદમા શ્રી અનંતનાથજીના સ્તવનમાં બતાવ્યા છે.
ગચ્છના ભેદ બહુ નયણ નિહાળતાં, તવની વાત કરતાં ન લાજે;
ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડીયાં કલિકાલ રાજે. એ આખા સ્તવનને ભાવ ખાસ વિચારવા યોગ્ય છે. ખુદ જૈન ધર્મના અનુયાયીઓ પણ વાડા વાડાના ભેદમાં એવા આસક્ત થઈ ગયા છે કે તેઓનાં મેઢામાં તત્ત્વની વાત શોભતી પણ નથી; તેઓ તત્ત્વની વાત કરે છે તે એક પ્રકારની તેઓની ધૂણતા જ છે, આનંદઘનજીની શુદ્ધ દષ્ટિએ તે તેઓ એક પ્રકારનું ઉદરભરણુનું-આજીવિકા ચલાવવાનું જ કામ કરે છે. આ છેવટને વિચાર લેવાનું કારણ એ જણાય છે કે-ગચ્છને મમત કેટલીક વાર એટલે સજજડ મન પર ચૂંટી જાય છે કે પિતાથી અન્ય ગરછના સાધુઓને શુદ્ધ ગુણ પ્રગટવાને સંભવ પણ હોઈ શકે એમ ગચ્છાગ્રહીઓને લાગતું નથી. વાસ્તવિક રીતે ગચ્છના ભેદે નિયંત્રણભેદને લઈને થયેલા છે, પરંતુ કષાયપરિણુતિમાં આ ચેતન એટલે ઉતરી જાય છે કે પછી નિષ્પક્ષ રહી શકતું નથી. મતમતાંતરની વિચારણામાં અને એક મતના પિટા વિભાગોમાં એવી ખરાબ સ્થિતિ પ્રાપ્ત થાય છે કે તેને વિચાર કરતાં ત્રાસ આવી જાય. દુનિયામાં ધર્મને નામે અનેક લડાઈઓ થઈ છે, કેટલીકવાર ઉપર ઉપરથી શાંત દેખાતા માણસ પણ ધર્મને નામે લેહીની નદીઓ ચલાવે છે, ધર્મને નામે અનેક પ્રકારના કષા કરે છે અને ધર્મને અને ચેતનજીને શું સંબંધ છે તેને કદિ વિચાર કરતા નથી. આવા પ્રાણીઓ ધર્મને એક પ્રકારને સંસાર બનાવી દે છે, ધંધાદારી કામ કરાવી આપે છે અને તન્નિમિત્તે પિતાની આજીવિકા ચલાવે છે. ધર્મને 3ળ ઘાલનારને માનસન્માન બહુ મળે છે, કારણ કે આર્યાવર્તન લેકેનું પ્રાથમિક શિક્ષણ ધર્મ તરફ રુચિ બતાવવાનું હોય છે. આવી સ્થિતિને લાભ લઈને ધર્મને નામે
Jain Education International
For Private & Personal Use Only
www.jaimelibrary.org