________________
અડતાલીસમું પદ
પાક એ ઉચ્ચાર કરવા લાગી. વળી જૈન મતવાળા મળ્યા તે તેણે મારી પાસે “અરિહંત અરિહંત” “જિન જિન”ને ઉચ્ચાર કરાવ્યું, એ જ પ્રમાણે કેઈએ “બજરંગ ને પાઠ, કેઈએ “હરિન પાઠ, કેઈએ “કૃષ્ણને, કેઈએ “બુદ્ધ ને, કેઈએ “બ્રહ્મ ને અને કેઈએ અનેક દેવ દેવીને મારી પાસે પાઠ કરાવ્યો. એમાં રામ કોણ હોઈ શકે? રામ શબ્દનો અર્થ શું? તેનામાં દેવત્વને સદુભાવ છે કે નહિ અને તેઓને ઉચ્ચાર કરવાથી મારી પિતાની શુદ્ધ દશાને અંગે મને શું લાભ પ્રાપ્તવ્ય છે, તેને વિચાર મારા પતિ ચેતનજીએ કદિ કર્યો નથી અને મને પાઠ પઢાવનારે કરાવ્યું નથી. લેકેને અનુસરવા સારુ જેમ ફાવ્યું તેમ ઉચ્ચાર કરાવ્યું છે અને મેં તે પ્રમાણે ઉચ્ચાર કર્યો છે. તે જ પ્રમાણે ક્યા ગુણની પ્રાપ્તિથી અરિહંત થવાય છે? તેમનામાં દેવપણું કેવા પ્રકારનું છે? એમના નામોચ્ચારથી મારા શુદ્ધત્વષણુના વ્યક્તીકરણને અંગે શું લાભ થ સંભવિત છે? એ બાબતને અત્યાર સુધી કોઈએ મારી પાસે વિચાર કરાવ્યો નથી. રમતે તિ રામ રમણું કરે તે રામ, પણ કેણ રમણ કરે ? ક્યાં રમણ કરે? શા માટે રમણ કરે? એના રમણને અને મારા ચેતનજીના રમણને લેવાદેવા શું ? અથવા અરિ એટલે શત્રુને હણનાર તે
અરિહંત.” શત્રુ કેણુ? કોના ? તેને હણવા શા માટે? કેવી રીતે હણવા? હણવામાં દેષને સદ્ભાવ ખરે કે નહિ? શત્રુને હણીને શું કરવું ? વિગેરે વિગેરે બાબતને મારી પાસે વિચાર કદિ કેઈએ કરાવ્યો નથી. દરેક મતવાળા આજીવિકા ચલાવવા માટે વાડા બાંધી બેસી ગયા છે અને આંખ મીંચી રાખી મને તેમાં ઘસડી લઈ જાય છે. જેવી રીતે પિપટ શબ્દચ્ચાર કરી પિતાના માલેકને આનંદ આપે છે તેમ હું રામ રામન અથવા ઉપર જણાવ્યા તેવા પાઠોને ઉચ્ચાર કરી ગઈ, પણ તેને હેતુ કે સાધ્ય સમજાવવા કેઈએ પ્રયત્ન કર્યો નથી. આ ચેતનજી પિતે જ અરિહંત છે અથવા થઈ શકે તેવા છે, સ્વયં ભગવાન સ્વરૂપ છે, સ્વરૂપ વ્યકત કરવા માટે તેમણે પુરુષાર્થ કરવાની જરૂર છે, આત્મા એ જ પરમાત્મા છે-એ વાત મને હજુ કેઈએ સમજાવી નહિ.
વસ્તુસ્વરૂપ મને કોઈએ સમજાવ્યું નહિ પરંતુ સર્વે એ મારી પાસે પોતપોતાના ઘરના ધંધા કરાવ્યા. મારી પાસે જે જે નામે લેવરાવ્યાં તે પરમાર્થ માટે નહિ પણ સાંસારિક હેતુ માટે લેવરાવ્યાં. સ્થળ સુખ મેળવવા માટે, વ્યવહારમાં પ્રથમ ખુરશી પ્રાપ્ત કરવા માટે, લોકેની પ્રીતિ સંપાદન કરવા માટે, પૈસા પેદા કરવા માટે અને એવા એવા બીજા અનેક સ્થળ વિચારથી મારી પાસે જૂદા જૂદા નામોચ્ચાર કરાવ્યા અને એમ કરીને મારે સંસાર વધારી મૂકો. પિતાના અનુયાયીઓની મોટી સંખ્યા દેખાડવા માટે મને તાણી ખેંચીને પિતાના મતમાં લઈ જઈ સારાં કપડાં પહેરાવીને મને વરઘોડામાં ફેરવી, મતની પેટી લડાઈ લડાવી અને એવાં એવાં અનેક કામે કરાવ્યાં, પણ રામ શબ્દની સાયવાચતા સમજાવી નહિ, બતાવી નહિ, જણાવી નહિ અને આત્માની સગાઈ તે
૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org