________________
૫૦૮
શ્રી આનંદઘનજીનાં પદો છે જ, તેને તેટલે અંશે સત્ય સમજવામાં આવે તે પછી વધે રહેતું નથી; પણ જે અંશને સંપૂર્ણ સત્ય માનવામાં આવે તે સત્યાગ્રહ થતું નથી. આ ભાવ હવે વિસ્તારથી વિચારવામાં આવશે. ચેતનાનું શુદ્ધત્વ હજુ પ્રગટ થયું નથી, તે સુમતિ પાસે ફરિયાદ કરવા માટે કહે છે કે-હે માડી ! મારા કેવા કેવા હાલ કર્યા તે સાંભળો.
આ આખું પદ નિરખ શબ્દ પર રચાયું છે. ધાર્મિક દષ્ટિએ નિષ્પક્ષ રહેવાની બહુ જરૂર છે. અમુક મત કે દર્શન પિતાનાં છે તેથી તેને પક્ષ કર ન જોઈએ, પરંતુ તેમાં જે સત્ય હોય તે તેને સત્યની ખાતર આદરવાં જોઈએ. આ વિશાળ ને પક્ષપાત રહિત દષ્ટિથી પરમસહિષ્ણુતા પ્રાપ્ત થાય છે. નિષ્પક્ષ શબ્દની આ વિવેચના મતદર્શનનુસાર થઈ. આધ્યાત્મિક દ્રષ્ટિએ મનની શાંતિ રાખવી, મનને સ્થિતિસ્થાપકતામાં રાખવું અને ગમે તેવા પ્રસંગે તેને ડોળાવા દેવું નહિ એ અર્થ નિર૫ખ શબ્દને થઈ શકે છે. નૈતિક દૃષ્ટિએ શુદ્ધ નીતિસૂત્રોનું તેના શુદ્ધત્વ ખાતર અનુકરણ કરવું એ નિર૫ખ શબ્દને ભાવ છે. ચિદાનંદજી મહારાજે નિરપક્ષ શબ્દને આધ્યાત્મિક ભાવ બતાવતાં કહ્યું છે કે-આધ્યાત્મિક દષ્ટિએ આખા જગતની અવેલેકના કરતાં કઈ વિરલા પ્રાણી જ તેવા દેખાય છે. તેમણે આ ભાવ એક પદમાં બહુ સારી રીતે બતાવ્યા છે, તે તેના પિતાના શબ્દોમાં જ અત્રે ઉતારી લઈએ.
અવધૂ નિરપક્ષ વિરલા કેઈ, દેખ્યા જગ સહુ જોઈ. અવધૂત સમ રસ ભાવ ભલા ચિત્ત જાકે, થાપ ઉથાપ ન હોઈ;
અવિનાશી કે ઘરકી બાતix, જાનેગે નર સઈ+. અવધૂ. ૧ =રાવરકમૅ ભેદ ન જાને, કનક ઉપલ- સમ લેખે; નારી જા#નાગરીકે નહિ પરિચય, તે શિવમંદિર દેખે. અવધૂ૦ ૨ નિંદા સ્તુતિ શ્રવણt સુણીને, હર્ષ શેક નવિ આણે. તે જગમેં જોગીસર પૂરા, નિત્ય, xxચઢતે ગુણઠાણે. અવધૂ. ૩ ચંદ્ર સમાન સૈન્યતા” ાકી, =સાયર જેમ ગંભીર; | | અપ્રમત્ત ભારંડઃ- પરે નિત્ય, ++સુરગિરિ સમ શુચિ ધીરા, અવધૂ. ૪ જાહ#પંકજ નામ ધરાય પંકશુ, રહત કમલ જ્યુ ન્યારા
ચિદાનંદ xxx ઇસ્યા જન ઉત્તમ, સે સાહેબકે ચારા. અવધૂ. ૫ આધ્યાત્મિક દૃષ્ટિએ જોતાં નિષ્પક્ષ મનુષ્યની આવી સ્થિતિ હોય છે. એના મનમાં સમરસભાવ બહુ અસરકારક રીતે સ્થિત થયેલ હોય છે; એને એક વાત થાપવી અને બીજી ઉથાપવી કે એવા ગોટા વાળવા એ જરા પણ પસંદ આવતું નથી; એના મનમાં રાજા અને ગરીબ, સુવર્ણ કે પત્થર, મોક્ષ કે સંસાર સર્વ સરખા જ હોય છે; એને
સ્થાપના અને ઉત્થાપના. 3 નિત્ય, પરમાત્મા. * અવિનાશીના ઘરની વાત એટલે સિદ્ધદશામાં થતી પરમાનંદસ્યસ્થિતિ. + તે જ = રાજા અને ગરીબ. ૧ સુવર્ણ. - પથ્થર. * સર્ષણી. 11 કાન. xx ગુણસ્થાનમાં દરરોજ પ્રગતિ કરતાં. 6 શીતળતા. = સમુદ્ર. ઉદ્યોગી, આળસપ્રમાદ વગરના. * અતિ ઉઘોગી પક્ષીવિશેષ. +1 મેરુપર્વત. ** * કમળ, ttt અલગ. xxx એવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org