________________
૫૦૬
શ્રી આનંદઘનજીનાં પ ગ્રહણ કરી લઈ, દૃષ્ટિબિન્દુ કે અપેક્ષા હેતુ વિચાર્યા વગર જુદી જુદી બાબતને આદરી બેસે છે-તે કેવી રીતે આદરે છે તેનું સહજ વિવેચન હું હવે પછી કરી બતાવીશ. આવી રીતે પતિ જ્યારે એક પક્ષમાં ઘસડાઈ જાય છે ત્યારે મારો અને તેમને અભેદ હોવાથી હું પણ સાથે ઘસડાઈ જાઉં છું અને જે કે હું નિષ્પક્ષ રહેવા માટે ઘણે પ્રયાસ કરું છું, અંતઃકરણપૂર્વક ઈચ્છું છું કે પતિ એવી રીતે એક પક્ષને આદર ન કરે તો સારું; છતાં પણ પતિને અને મારે અભેદ હેવાથી હું અને તેમના જેવી થઈ જાઉં છું અને તેમ થવાનું કારણ એ છે કે હું ગમે તેટલી ગુરણ કરું છું પણ પતિ મારું સાંભળતા જ નથી. વળી હે માડી ! તમે ત્યાં હાજર નહિ તેથી મારું એકલીનું જોર પતિ ઉપર ચાલે પણ નહિ અને પતિ તે અજ્ઞાનદશાથી એવા આચ્છાદિત થઈ ગયેલા છે કે મારી વાત સાંભળવાને બદલે પોતાનો જે મત થયો હોય તેની કુંક મારા ઉપર મારે, મને તદ્રુપ બનાવવા પાઠ ભણાવે અને તેમ કરીને છેવટે મને ફેરવી નાખે. હું તો જ્યાં જ્યાં ગઈ ત્યાં ત્યાં કેઈએ અત્યાર સુધી મને શુદ્ધ ચેતન્યસ્વરૂપે સ્થાપન કરી નહિ, પણ હવે પછી બતાવવામાં આવશે તેવાં મારાં અનેક રૂપે પ્રગટ કરાવ્યાં, મેં તે સ્થિતિમાંથી બહાર નીકળી જવા અનેક પ્રકારની ખુરણા કરી, પણ મારું કાંઈ ચાલ્યું નહિ અને મારી અનેક પ્રકારે ફજેતી થઈ.
ચેતના અસલ રૂપમાં શુદ્ધ હોવાથી શુદ્ધ ચેતના થવા અને એક મતમાં ઢળી ન જવા અનેક પ્રયત્ન કરે, પણ વિભાવદશાના જેરમાં અજ્ઞાનાવસ્થામાં વર્તતા ચેતનજી સાચી ખેતી દલીલથી, ઉપર ઉપરના મેહક દેખાવથી અને કુતર્ક-વિતર્કની જાળથી એવા ફસાઈ જાય છે કે અમુક સત્યના અંશને સંપૂર્ણ સત્ય માની લેવાની અને તે સત્યના અંશ તરફ અથવા સત્યના આભાસ તરફ ઢળી જવાની પોતાની પદ્ધતિ કાયમ રાખે છે. મારા પતિને અપેક્ષાજ્ઞાન અને નયના રવરૂપનું જ્ઞાન ન હોવાથી તેમજ તેમની સત્યશોધક વૃત્તિ યથાસ્થિત જાગ્રત થયેલો ન હોવાથી તેઓ વારંવાર એક બાજુએ ઢળી જાય છે અને મારો અને તેમને અભેદ હોવાથી મારી પણ એ જ સ્થિતિ થાય છે. આવે વખતે જે સુમતિને યોગ અથવા હાજરી હોય તો સત્યસ્વરૂપનું માર્ગદર્શન પણ મારા પતિને થાય, પરંતુ સુમતિની ગેરહાજરી, અજ્ઞાનાવસ્થાનું બળ અને ચેતનજીને મિથ્યાભાવમાં વર્તવાને અનાદિ સ્વભાવ એટલું જોર કરે છે કે-હું ગમે તેટલું જોર કરું અને બહાર આવી પિતાનું શુદ્ધત્વ દાખવવા પ્રયત્ન કરું, તેને માટે વલખાં મારું, પણ ચેતનજી મારી તે સ્થિતિ પ્રગટ થવા દેતા નથી, મારી દરકાર કરતા નથી, મારી સામું દષ્ટિપાત પણ કરતા નથી અને પોતાને જે મત થયે હોય, જે પક્ષ તરફ પિતે ઢળી ગયા હોય, તે તરફ મને પણ ઘસડે છે અને મને વધારે અશુદ્ધ બનાવે છે; પછી પતિ પાસે આવનારા સત્યના અંશો અથવા સત્યના આભાસે કપટયુક્ત હોય, અંતરવૃત્તિએ તદ્દન જુદા હોય તે પણ તેઓ પોતાની વાત પતિને હત્યાભાસેથી સમજાવે છે અને પતિ તેને આદરી મારી પાસે પણ તે કબૂલ કરાવે છે. મારા પતિને જે મલ્યા તેણે તેમને પિતાની જેવા બનાવ્યા અને મને પણ સાથે ઘસડી ગયા.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org