________________
અડતાલીસમું' પદ
५०५
દશામાં પણ ચૈતનજી સાથે જ રહે છે, કારણ કે ચેતના અને ચેતનના અભેદ છે. અહીં ચેતના જે ભાવ બતાવે છે તે તેની શુદ્ધ દશાની સાપેક્ષ વૃત્તિએ છે અને તેની અંદર જ વર્તમાન વભાવદશામાં તેની થયેલી સ્થિતિનું આબેહુબ વર્ણન છે. આ બહુ વિશાળ દૃષ્ટિથી લખાયલા પત્રના ભાવ બહુ મધ્યસ્થ દૃષ્ટિથી વિચારવા અને સમજવા ચેગ્ય છે.
ચેતના જ્યાં સુધી અશુદ્ધ દશામાં હોય છે ત્યાં સુધી તેને સુમતિ માટે બહુ માન હાય છે. પેાતે ગમે તેવી અશુદ્ધ હૈાય તે પણ પેાતાની વાસ્તવિક સ્થિતિને તે સમજતી હાવાથી સુમતિને અત્ર તે માડી કહીને ખેલાવે છે. ચેતના અત્ર માડી શબ્દ વાપરે છે તે પ્રેમસૂચક છે. સાધારણ રીતે વિચાર કરતાં આપણા મુખમાંથી મા-માડી એવા આલાપ નીકળી જાય છે અને ખાસ કરીને જ્યારે મનમાં કાઇ પણ કારણથી ખેદ કે દુ:ખ થાય છે ત્યારે આ શબ્દના ઉચ્ચાર બહુ સામાન્ય છે. માના કરતાં માડી વધારે પ્રેમ સૂચવે છે અને માયડી તેથી પણ વધારે પ્રેમ સૂચવે છે. અતિ પ્રેમમાં એકવચનના ઉચ્ચાર થાય છે; માનામાં વપરાતું બહુવચન ખેલનાર અને સાંભળનાર વચ્ચે અંતર બતાવે છે. માતાને તું કહીને એલાવવાને વ્યવહાર વિશેષ પ્રેમ બતાવે છે, પિતાનુ સન્માના બહુવચન જરા આંતરા અને વિવેકના બાહ્ય દેખાવ બતાવે છે. અત્ર ચેતના સુમતિને જે વાત કહે છે તેની શરૂઆત ‘ માયડી ' શબ્દના સખાધનપૂર્વક કરે છે તે બન્ને વચ્ચેના પ્રેમ બતાવે છે. બાકી કાઈ પણ અર્થીમાં ચેતનાની મા સુમતિ થઇ શકતી નથી. માત્ર શુદ્ધ ચેતનાનું શુદ્ધત્વ પ્રગટ કરવાનું કારણુ સુમતિ હાઇ શુદ્ધત્વજનની તરીકે તેને શુદ્ધ ચેતના એક દૃષ્ટિએ જોતાં મા કહી શકે, પણ અત્ર તા ચેતના ખેલે છે અને તેનુ શુદ્ધત્વ હજી હવે પ્રગટ કરવાનું છે, તેથી ઉપરના અમાં માયડી શબ્દ વપરાયેા હશે એમ મારું ધારવુ' છે.
,
હું સુમતિ માતાજી! હું ચેતના મારા પતિ ચેતનજી સાથે ઘણી જગ્યાએ ગઇ, પણ તમે ત્યાં હાજર નહિ, તેથી મને કેાઈએ નિષ્પક્ષ રહેવા દીધી નહિ, મારા પતિ તે એવા છે કે એ તે જ્યાં જાય છે ત્યાં તરૂપ થઈ જાય છે, કેા પ્રકારના વિચાર કરતા નથી, નિણૅય કરતા નથી અને તેવી અસ્વસ્થ અવસ્થામાં મને પણ સાથે ઘસડે છે. વાસ્તવિક રીતે મારા પતિએ કાઇ બાજુએ પૂર્ણ વિચાર કર્યાં વગર ઢળી જવું ન જોઇએ. કોઇ પણ પક્ષ એકદમ આદરવા ન જોઇએ, તેને બદલે એ તા વિપરીત રીતે તુરત એક બાબત
* માયડી શબ્દના એક બીજો ભાવ મને સ્ફૂરે છે. એ અર્થમાં માયડી અથવા માવડી શબ્દ કાંઇક ભય અને તિરસ્કારના અમાં વપરાય છે. દેવી વગેરેને ઉદ્દેશીને કહેવામાં આવે છે કે હે માવડો ! હવે મને છેાડ અથવા મારું ઠેકાણુ પડવા દે. ' આ અ માં માવડી શબ્દ વાપર્યો હોય તે તે માયા, મમતાને ઉદ્દેશીને ચેતના બેલી હોય એમ ગણી શકાય. ચેતના માયા, મમતાને અથવા કુમતિને કહે છે કે—હે માવડી ! મને તમે તો શું પણ કાઇએ નિરાંતે બેસવા દીધી નથી. આ પ્રમાણે ઉપોદ્ઘાત કર્યા પછી પોતાને કાણે કાણે કેવી રીતે હેરાન કરી તેનું વર્ગુન ચેતના આપે છે.
વિ, ક ્
૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org