SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું પદ ૫૦૩ લાગ્યું હોય ત્યારે બાલદી કે બેઢામાં પાણી લાવીને નાખવાથી અગ્નિ શાંત થઈ શક્તા નથી, પરંતુ તેવા ભયંકર-દાવાનળ જેવા અગ્નિ ઉપર તે જળને વરસાદ વરસાવવાની જરૂર રહે છે, તેમ આ વિરહાગ્નિરૂપ દાવાનળ શાંત કરવા માટે આનંદરસના પ્રવાહની જરૂર છે. સાધારણ તબીબ જેમ અંતરદાહ મટાડી શકતા નથી તેમ ચેતનાના વિરહાગ્નિને શાંત કરી શક્ત નથી; તેની દવા તે આનંદઘન નામના વૈદ્ય કરે તે જ કરી શકે તેમ છે અને તે પણ પિતાની પાસે રહેલ “આનંદરસ” નામની દવા મેટા પ્રમાણમાં આપે તે જ તેનાથી લાભ થાય તેમ છે. - ટબાકાર આ ગાથાના અર્થમાં કહે છે કે–ચેતનને આયુરસ્થિતિ અલ્પ રહી છે અને હવે તેના ભાવ પણ પૂરા થવા આવ્યા છે. તેની સુમતિ-ચેતનાના પતિ ચેતનની બહેન લાડકી નણંદ છે. તેને પિતા શુદ્ધ ચેતનત્વ છે. આ લાડકી નણંદ કેવળજ્ઞાન સંબંધમાં લડી એટલે હવે તમે કેવળજ્ઞાન જલદી પ્રાપ્ત કરે એવી એવી વાત કહી ગઈ અને વચને સંભળાવી ગઈ. વળી તે એવું પણ કહી ગઈ કે વિરહતાપ બુઝાવવાને અન્યભવ પરણિત અપરિપાકી તબીબ ઇલાજ જ જાણતા નથી માટે આ આનંદઘન પતિને મળ. એટલું કહીને તે નણંદ ચેતનને મળી અને ચેતને કેવળજ્ઞાનરૂપ પિયૂષની વર્ષા કરી પિતાને મેળવી લીધી. આ અર્થ તદ્દન જૂદી દૃષ્ટિથી કર્યો છે. એને ભાવ સમજાવે મુશ્કેલ છે. અહીં નણંદ વિગેરે સાથે જે લડાઈ થાય છે તેમાં તે ઓર તબીબ વિગેરેની વાત આવી રીતે જણાવે અને વળી પાછી પિતે મળી જાય એ આ ચેતનજીની જે ઉત્કૃતિ પ્રથમ બન્ને ગાથામાં બતાવી છે, તેને અનુરૂપ લાગતી નથી. બાકારને ભાવ બરાબર સમજાતો નથી અથવા તેઓ સ્પષ્ટ રીતે તેઓના મનમાં જે ભાવ ખીલ્યો છે તે બતાવી શક્યા નથી. આખા પદનું રહસ્ય આનંદઘન પીયૂષને રસ વરસાવવામાં આવી જાય છે. ભાવાભક કવિની આ છેલ્લા પદમાં ભાવ બતાવવાની પદ્ધતિ એટલી સુંદર છે કે આખા પદમાં જે જિજ્ઞાસા વધતી જાય છે તે છેવટને પાદમાં એકદમ બહું સુંદર રીતે તૃપ્ત થઈ જાય છે. જ્યાં આનંદરસને વરસાદ વરસે ત્યાં પછી નણંદના વિરૂપ સ્વરો, સાસુને અવિશ્વાસ, લેકેની વાતે અને પટ ભૂષણની અવ્યવસ્થિતતા જરા પણ અસર કરનાર ન થાય એ સાધારણ રીતે સમજાય તેવી હકીકત છે. હે ચેતનજી ! તમે હવે અમર ગતિનાં સખે એટલે પીવૂગલિક ભાવેને ત્યાગ કરી, સાસુ વહુની અવિશ્વાસ્ય સ્થિતિ દૂર કરી અને વહેલી પ્રભાતમાં નણંદ સાથે લડાઈ થાય છે તે વાતને હાંકી કાઢી હવે આનંદરસના વિશદ્ધ વરસાદમાં ન્હાઈ લે, તેમાં તરબોળ થઈ જાઓ અને અમર થઈ જાઓ. જ્યાં સુધી તમે બાહા ચેષ્ટાને આધીન થઈ, અગ્નિ શમાવવા બીજા તબીબની દવા લીધા કરશે ત્યાં સુધી તમારું કાંઈ વળવાનું નથી, તમારા વ્યાધિ ઘટવાને નથી અને તમને કોઈ સુખ થવાનું નથી. આનંદઘન વૈદ્ય પાસેથી આનંદરસ મેળવે અથવા આનંદરસના વરસાદમાં ન્હાઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy