SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૨ શ્રી આનંદઘનજીનાં પદા આકરી વિરજવર આવ્યો છે અને તેને દાહ એ થાય છે કે કેઈ બીજે વૈદ્ય તેની દવા કરીને તેને મટાડી શકે તેમ જણાતું નથી. દુનિયામાં સાધારણ વૈદ્યો તે બહારનો તાવ મટાડી શકે છે, પણ અંતરંગનો તાવ કેણું મટાડી શકે ? વિરજવરને આકરા દાહ મટાડવાની દવા વૈદ્ય કે હકીમ પાસે જોવામાં કે જાણવામાં આવી નથી. વિરહાવસ્થામાં શરીરમાં ગરમી બહુ લાગે છે, આખું અંગ બળું–બળું થઈ જાય છે. ઉનાળામાં સપ્ત ગરમીથી શરીર પર અળાઈ કે ગુમડાં વિગેરેને દાહ થાય તે જેમ વરસાદની ઝડી આવવાથી અને તેમાં ન્હાવાથી શાંત થાય છે, તેમ અહીં તે હવે આનંદઘન અમૃતને વરસાદ વરસે અને મારા પતિના ઉપર તેને પ્રવાહ ચાલે તે મારો વિરહાગ્નિ નાશ પામે અથવા મંદ થાય એમ છે. જેઠ માસમાં-જુનની અધવચમાં જ્યારે સખ્ત ગરમીથી શરીર જળી જતું હોય છે તે વખતે વરસાદની ઝડી કે આનંદ આપે છે તે સર્વના અનુભવને વિષય છે. એવા વખતમાં જ્યારે અમૃતરસને વરસાદ આવે અને તે પણ સાધારણ રીતે નહિ પણ ઝડીના આકારમાં-પૂરતા જેસમાં આવે ત્યારે કે આનંદ થાય તે સર્વત્ર સમજાય તેવું છે વાત એ પ્રમાણે છે કે-જ્યાં સુધી શુદ્ધ ચેતનાને અને ચેતનજીનો સંગ બરાબર થાય નહિ અને સમભાવ આવે નહિ, શુદ્ધ સનાતન ચેતનજીને વિરહકાળ પૂરો થઈ ચેતના સાથે એકાંત સુખ ભેગવવાને તેના મનમાં દઢ નિશ્ચય થાય નહિ, ત્યાં સુધી તેની વર્તમાન વિભાવદશાને અંત આવે નહિ; અને એમ બને નહિ ત્યાં સુધી ચેતનજીની વર્તમાન નિકૃષ્ટ દશાની પર્યાપ્તિ થાય નહિ. આવા સંજોગોમાં આપણી ખાસ ફરજ છે કે વાતે કરવાની છેડી દઈ ચેતનજીની દશા ઉરચ થાય, તેની વર્તમાનસ્થિતિ સુધરે અને તેનો સર્વથા શુદ્ધ દશામાં વ્યાપાર થાય તે માટે તેની પાસે આનંદઘનના અમૃતના વરસાદ વરસાવવાનાં સાધને એકઠાં કરવાં. સાધારણ સમરસને એકાદ બિંદુ આવી જાય છે તેથી કાંઈ લાભ થાય નહિ અથવા વાસ્તવિક રીતે બેલીએ તો જરા સરખો આનંદ થાય તે દીર્ઘ કાળ ટકી શકે નહિ. આટલા માટે સમરસના કુડે કુંડાં જોઈએ અને તેને વરસાદ વરસાવવું જોઈએ. એ સમરસતા વરસાદમાં ન્હાઈ-તરબોળ થઈ, ચેતન ચેતનાની વિરહદશાથી આવેલી તપતિને દૂર કરે એ ખાસ કર્તવ્ય છે અને તે કરવા માટે દઢ નિશ્ચય કરવાની ખાસ જરૂર છે. એ પ્રમાણે કરવાથી ચેતનજી શુદ્ધ દશામાં આવી જઈ યોગ્ય રીતે આગળ વધશે અને થોડા વખતમાં તેની દશા સુધરશે. બીજો તબીબ આ વિરહાગ્નિને શમાવી શક્યું નથી એમ વાત કહી તે બરાબર ઉચિત છે. તબીબ એટલે હકીમ, વઘ કે ડાકટર હોય તે તે વ્યાધિનાં બાહ્ય ચિહ્ન ઉપરથી દવા આપે છે, પણ તેથી મારો અગ્નિ શાંત થતો નથી. બહારને તાવ દવાથી જાય પણ વિરહને અગ્નિ તે જ્યારે વિરહદશા દૂર થાય ત્યારે જ શાંત થાય, તે કાંઈ બહારને ઉપર ઉપર તાવ નથી કે કવીનાઈન, કરિઆતાદિ દવાથી ચાલ્યો જાય. એ અગ્નિ ઉપર તે આનંદઘન રસને વરસાદ પડે ત્યારે જ તેની શાંતિ થાય તેમ છે. જેમ ભયંકર અગ્નિ અમુક શહેરને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy