SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું પદ ૫૦૧ નથી, એવી વિરહદશા આકરી છે. પતિ વગર હવે તે મનમાં એ ખેદ થયા કરે છે કે લેશ માત્ર સમય પૂરતી પણ મનમાં ધીરજ રહેતી નથી. વળી પેલી નગરી નણદી તે પ્રભાતમાં વહેલી ઊઠીને લડવા મંડી ગઈ છે અને દરરોજ લડ્યા કરે છે. પતિ વિભાવદશામાં ગયાં છે ત્યાં તેમની બહેન તૃણું થઈ છે. તે સર્વ પીગલિક વસ્તુઓને પ્રાપ્ત કરવાથી પણ ધરાય નહિ તેવી પ્રબળ ઈચ્છારૂપ છે. તે તે વળી એવી આકરી છે કે વહાણું વાય છે ત્યારથી મારી સાથે લડ્યા જ કરે છે. તેના મનમાં એવું છે કે પતિને સમજાવી જે આ શુદ્ધ ચેતના સ્વભાવદશામાં લઈ જશે તે ભાઈ પાસેથી પછી તેને કાંઈ વીરપસલી કે મામેરું મળશે નહિ અને ભાઈ પાસે જવું–આવવું પણ બંધ થશે તેથી મારી સાથે તે દરરોજ લડ્યા કરે છે અને હું મારા નાથને સમજાવવા અને ઠેકાણે લાવવા યત્ન કરું છું તે તેમાં વચ્ચે આવી મારા નાથને ચઢાવે છે અને આર્યાવર્તામાં કહેવાય છે કે ન ત નનારા ભાઈનાં ભાભી સાથેનાં સુખ-વાર્તાલાપ-મેળાપ જઈને રાજી ન થાય તે નણંદ-તે શબ્દાર્થને બરાબર સાર્થક કરે છે. એ નણંદને પ્રતાપે સવારે આ જીવ ઉઠે છે ત્યારે પણ પ્રભુનામનું સ્તવન કરવાને બદલે ધનપ્રાપ્તિનાં અનેક સાધને ઊભાં કરવામાં અને તેની વિચારણામાં પડી જાય છે અને આખા દિવસમાં પૈસા પિસા સિવાય તેને બીજી ધૂન લાગતી નથી. તેને પ્રાપ્ત કરવાના, રક્ષણ કરવાના અને સંચય કરવાના વિચારમાં, સ્થળ પદાર્થો જરૂર વગરના હોય તે પણ તેને એકઠા કરવાની ધૂનમાં અને પૌગલિક પદાર્થોના નિરર્થક સંચયમાં આ જીવ આનંદ માને છે અને તેથી મારે તે સવારથી તે મેલડી રાત સુધી નણંદ સાથે લડાઈ ચાલ્યા જ કરે છે. પતિ વિરહકાળમાં સાસુ તથા નણંદ સાથે કાંઈ સારું હોય તે કેટલીક ધીરજ રહે છે, પતિને વિરહ એ છે આકરો લાગે છે; પણ અહીં તે વિભાવદશાની પતિની મા અને બહેન સાથે મારે જરા પણ બનાવ થતું નથી અને ઉલટું તે મારી સાથે લડાઈ કરે છે અને મારા પતિને પણ વિશ્વાસ કરતી નથી. નગરી” એ મારા ગુરુમહારાજના કહેવા પ્રમાણે લોકભાષાનો શબ્દ છે. તેને અર્થ લાજ વગરની અથવા ભાગ્યહીન એમ થાય છે. “તું નગોડી શું સમજે?” એ દેશભાષાની ગાળ છે. આ અર્થમાં તે શબ્દ બુદેલખંડમાં વપરાય છે. બાકાર કહે છે કેનગરી” શબ્દ વ્રજ ભાષામાં લાડકવાઈના અર્થમાં વપરાય છે. એક જગ્યાએ ગુરુ વગરની એ તેને અર્થ કરવા પ્રયત્ન થયે છે તે તે સ્વમતિકલ્પિત હોય એમ જણાય છે. પ્રથમ અર્થ જે ૫. ગંભીરવિજયજીએ બતાવ્યું છે તે વધારે સુંદર લાગે છે અને સંબંધ જોતાં તે બંધબેસતે પણ આવે છે. પતિ મંદિરે પધારે નહિ, સાસુ એક ક્ષણવાર પણ વિશ્વાસ કરે નહિ અને નણદી નગરી તે સવારના પહોરથી ઉઠીને લડ્યા જ કરે છે. આવાં અનેક કારણોને લીધે મને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy