SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ સુડતાલીસમું પદ ૪૯૯ મને તારા આધાર છે. જો ! પતિવિરહથી પ્રભુપ્રેમરૂપ સાડી મને સુખ આપવાને બદલે દુઃખ આપે છે, તેને શરીર પર જરા આઢું છું તે તેથી અશાતા થાય છે. ધ્યાનના ચાર પાયારૂપ ચાખડાં નંગથી જડેલ ધ્યાનસ્થ ચિત્તસ્થિતિરૂપ દાગીના પહેરું છું તે તેથી પણુ મને ખેદ થાય છે. આત્મારામ-પતિના વિરહે રુચિ કે ધ્યાન થતાં નથી. એથી પણ વધારે આગળ કહુ તે પતિ વગર મોક્ષકમળા પશુ મને સુખ આપી શકતી નથી. પતિના મેળાપ થાય તા જ મને સુખ થઇ શકે એમ છે. આવી મારી સ્થિતિ થઈ ગઈ છે. ચેતનજીની દૃષ્ટિએ જોતાં આ ગાથાને અર્થ આ પ્રમાણે થાય છે: અત્યારે ચેતનજી-આત્માએ કુમતિના સગ કર્યાં છે તેથી તેને પ્રેમપ્રતિતી રાગથી રંગેલ રુચિરૂપ વસ્ત્ર ગમતાં નથી, ધ્યાન કરવાનુ થતું નથી અને શિવકમળા ઉપર પ્રેમ આવતે નથી અને તે પ્રાપ્ત કરવા તેને ઇચ્છા પણ થતી નથી. તે સંસારમાં એવા આસક્ત થઇ ગયો છે કે મનુષ્યગતિ કે દેવગતિ પ્રાપ્ત કરવાનાં સાધન પણ તે મેળવતા નથી, એ તે માત્ર કુમતિ અથવા કુટિલ માયા, મમતાના પ્રસંગમાં પડી તેમાં આસક્ત રહે છે. ટખાકાર કહે છે કે શિવકમળા એટલે મુતિરૂપ લક્ષ્મીએ મારા પતિને અંતગડ કેવળીપણે વશ કરી લીધા તેથી તે પણ સુખ નઉ પાવત એટલે દુઃખદાયી થયા અને મારા જેવી શુદ્ધ શ્રદ્ધાથી મનુષ્યગતિ દેવગતિરૂપ શ્રી પ્યાર કરે, વાંછે, પણુ મારે તેની ગણતરી નથી, એ બન્ને ગતિની હું અવાંછકા છું-વાંછા કરનારી નથી. ” આવા જે ભાવ લખ્યા છે તેમાં અંતગડા કેવળીપણે પતિને શિવકમળાએ વશ કરી લીધા તેના ભાવ પ્રસ્તુત હકીકત સાથે મને બંધબેસતા લાગતા નથી, વિદ્વાનાએ તે વિચારી લેવા. હવે એ જ લય આગળ ચલાવતાં કહે છે. *सास विसास उसास न राखें, +नणदी नीगोरी भोरी लरीरी; "" ओर तबीब न तपति बुझावे, आनंदघन पीयुष झरीरी, पिय० ३ ( આયુ:સ્થિતિ ) સાસુ એક શ્વાસેાર્શ્ર્વાસ જેટલેા કાળ પણ વિશ્વાસ રાખતી નથી અને પેલી લાજ વગરની નણું ( તૃષ્ણા) તે સવારથી લડ્યા જ કરે છે. આ મારા * ‘સાસ ઉસાસ વિસાસ ન રાખે ' આવેા પાઠ માત્ર છાપેલી બુકમાં છે. વિવેચન જુએ. + નદીને બદલે નણંદ અને નણદરી એવા પાડો છે. અ` એક જ છે, તેમજ ભારીને ખલે ભાર પાછે. X ‘ તપત બુઝાવત ’ એવા પાઠ એક પ્રતમાં છે, અને એક પ્રતમાં ܕ Jain Education International ૩ સાસ=સાસુ, અહીં આયુ:સ્થિતિને સાસુ ગણવામાં આવી છે. વિસાસ-વિશ્વાસ. ઉસાસ શ્વાસ જેટલા કાળ નદીનણંદ, પતિની બહેન. અહીં તૃષ્ણાને નણંદનુ રૂપ આપ્યું છે. નાગરી= લાજ વિનાની, ભાગ્યહીન; લેાકભાષામાં આ શબ્દ તિરસ્કાર બતાવે છે. ટબાકારના મત પ્રમાણે વ્રજભાષામાં આ શબ્દ લાડકવાઈના અર્થમાં વપરાય છે. ભાર=પ્રભાતમાં, પ્રભાતથી. એર–અનેરા, બીજો. તખીબવૈદ્ય, હકીમ. તપતિતાવ, અગ્નિ. ન બુઝાવે=ઓલવી શકે નહિં, દૂર કરી શકે નહિ. પીયુ=અમૃત. ઝરી–વરસાદ. બુઝાયા ’ એમ પણ લખે છે. સા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy