SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પર તેની વાસ્તવિક કિંમત આંકી શકે છે. વળી જે સુખ ભોગવ્યાં પછી પાછો દુઃખ ભોગવવાને સંભવ હોય તે સુખને સુખનું નામ પણ કેમ આપી શકાય ? એવી દ્વિતીય જાતિનું સુખ દેવગતિમાં હોવાથી ગમે તેવું હોય, ગમે તેટલું હોય પણ તે કામનું નથી, અને તે પસંદ નથી, મને તેની મહત્વતા લાગતી નથી. સુખ નઉ પાવત ને બદલે “સુખ ન પાઉ” એ પાઠ વધારે યોગ્ય લાગે છે. મેહલામીનું નવું સુખ પ્રાપ્ત કરીને દેવગતિનાં સુખને કોણ ગણતરીમાં ગણે? આ અર્થ વધારે વાસ્તવિક છે; પરંતુ કોઈ પણ પ્રતમાં એ પાઠ આપ્યો નથી તેથી પિતાની કલ્પના પ્રમાણે પાઠ ફેરવવાનો અધિકાર નથી. આ પ્રમાણે મારા ગુરુમહારાજે જે અર્થ બતાવ્યું છે તે પ્રમાણે તેને ભાવ એમ થાય છે કે-અત્યારે તે શુદ્ધ ચેતનાને વિરહાવસ્થાને લીધે શરીરનું પણ ભાન નથી, બાકી એ સાધારણ સુખથી સંતોષ પામે તેવી સ્ત્રી નથી, એ તે જ્યારે પતિની સાથે શિવકમળાનું સુખ પ્રાપ્ત કરે ત્યારે જ નિરાંતે બેસે એવી છે. હવે ટબાકારને અર્થે વિચારીએ. ભીક શબ્દનો અર્થ ટબાકારના કહેવા પ્રમાણે “જરા” એમ થાય છે, અને તે શબ્દનો કોઈ અર્થ બેસતું નથી. હે સખી શ્રદ્ધા ! પ્રેમ પ્રતિતરાગ રુચિ રંગત, પહરે ઝીણી સાડી #–એવી પ્રભુપ્રેમરૂપ સાડી મને પસંદ આવતી નથી. મતલબ મને એક પણ વસ્ત્ર ગમતું નથી તે એટલી હદ સુધી કે તેને છેડે માથા ઉપર નાખવાની મને ઈચ્છા પણ થતી નથી. પતિ મારાથી એવા વિપરીત વર્તે છે કે એ કુમતિની સોબતમાં પડી જઈ પ્રભુપ્રેમરૂપ સાડી તરફ અવકૃપાની નજરથી જુએ છે અને દયાનરૂપ આભૂષણે પણ હું શરીરે ધારણ કરતી નથી. પતિ જ્યાં મારા મંદિરે પધારે નહિ ત્યારે મારે એવાં આભૂષણો ધારણ કરીને શું કરવું? હે સખી! હું તને કેટલી વાત કરું ? મારા ચેતનજી-પતિ હાલ તો મારાથી એટલા વિપરીત વર્તે છે કે એને મેક્ષકમળા પણ પસંદ આવતી નથી તે પછી સાધારણ દેવાંગના તો કેમ ગમે? તે તે કુમતિના રંગમાં એવા લટ્ટ થઈ ગયા છે કે શિવલહમી પણ તેને પ્રસન્ન કરી શકતી નથી. આ ત્રણ વસ્તુ પ્રસન્ન પતિને વધારે પ્રસન્ન કરે છે; રુચિ, ધ્યાન અને શિવલમીને પ્રાપ્ત કરવાની દઢ ઈચ્છા-આ ત્રણ બાબતે પણ મારા નગીના નાથને હાલ પ્રસન્ન કરી શકતી નથી. ત્યારે હવે મારે શું કરવું? કુમતિના પાસમાં ચેતનજી એવા ફસાઈ ગયા છે અને તેની સાથે એવી એવી વાત કરે છે કે એને રુચિ, ધ્યાન કે મોક્ષ તરફ પ્રેમ તે શું પણ નજર કરવાની પણ ઈચ્છા થતી નથી. આવી રીતે નાની વહુએ પતિને એવા વશ કરી લીધા છે કે મારા સામું પણ જતા નથી અને તેને લઈને તેમના વિરહના તાપથી હું ખરેખરી ઝૂર્યા કરું છું. ' સુમતિનાં વચન તરીકે આ ગાથાને ભાવ આ પ્રમાણે થાય છે: હે સખી શ્રદ્ધા ! * જુઓ પદ વીસમું, ગાથા બીજી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy