________________
સુડતાલીસમુ' પદ
૭
:
ભાવમારી વિરહાવસ્થા એવી આકરી થઇ પડી છે કે તેને લઈને હું મારા શરીર પર ( સારું) વસ્ત્ર એઢતી નથી, આભૂષણ ધારણ કરતી નથી. મારા વિરહના તાપમાં હું એવી ડૂબી ગઈ છું કે હુ બેસું છું, ઉઠું છું કે ફરું છું તેનું પણ મને ભાન રહેતું નથી. મારા શરીર પર ધારણ કરેલાં અથવા ધારણ કરવાનાં વસ્ત્રનું પણ મને ભાન રહેતુ નથી. એક ઘેલી સ્ત્રીની પેઠે વસ્ત્ર પહેર્યાં છે કે નહિ અથવા કેવાં પહેર્યાં છે તે બાબત પર પણ મારું ધ્યાન રહેતું નથી; તેમ જ ચાકી ( ઘરેણાવિશેષ-ઝાલાવાડમાં, સુરતમાં તથા મારવાડમાં પ્રસિદ્ધ છે) અથવા જડેલાં ઝવેરાતનાં ઘરેણાં પહેર્યાં હેાય તે તે અવ્યવસ્થિત રીતે આડાંઅવળાં પહેરી લીધાં હાય તેની ખીલી ડેાક પાસે આવવાને બદલે નીચી આવી ગઇ હાય, સુંદર ઘરેણાં અવયવ ઉપર આવવાને બદલે આડાંઅવળાં લટકતાં હાય, એક હાથમાં અંગડી હાય અને એક હાથ તદ્ન ખાલી હાય અથવા બીજી જાતની બંગડીવાળા હાય, હાથનું ઘરેણું પગમાં ને પગનું હાથમાં એમ જ્યાંના ત્યાં પહેર્યાં... હાય; આવી રીતે વસ્ત્ર તથા આભૂષણુ શરીર ઉપર હું એઢતી નથી, ધારણ કરતી નથી અને મને ચાકી તથા ઝવેરાત જેવાં ભારે કિમતનાં ઘરેણાં ગમતાં નથી. ચાકી ઝાલાવાડમાં થાય છે, તે સાનાની હાય છે અને સાધારણ કિમતવાળી હાય છે, પણ સુરતમાં ઝવેરાતની થાય છે અને મોટા મૂલ્યની હાય છે. અથવા ચાર ખૂણાવાળા ચારસ હીરાને ચાકી કહેવામાં આવે છે. જડતર કામવાળા ઝવેરાતના દાગીના પણુ બહુ મૂલ્યવાળા હાય છે. સ્ત્રીઓને સ્વાભાવિક રીતે આભૂષણ અને વસ્ત્ર ઉપર વિશેષ પ્રીતિ હાય છે. પતિ નિજ મંદિરે પધા રવાના હાય છે તે વખતે સુંદરી શાળ શણગાર ધારણ કરે છે તેમાં વસ્ત્ર અને આભૂષણુ મુખ્ય હાય છે અને સ્ત્રીઓની ચાસઠ કળામાં પણ કેટલીક શરીરશેાભા અને પતિપ્રસન્નતાને નિમિત્તે હાય છે. હે સખી ! આભૂષણ ગમે તેવા કિમતી હાય તા પણ તેના તરફ મન ચાંટતું નથી, વળતું નથી, જતું નથી, મને તે ગમતાં નથી, મને તેની દરકાર રહેતી નથી, મારું ધ્યાન પણ તે તરફ જતું નથી. જે પતિને પ્રસન્ન કરવા શણગાર સજવામાં આવે તે પતિ તે સામું પણ ન જુએ ત્યારે પછી શાણુગાર કાને માટે સજવા ? શા સારુ સજવા ? વળી હું સખી ! જ્યાં સુધી મેાક્ષલક્ષ્મીનુ' સુખ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દેવાંગનાનાં સુખને એટલે અમરગતિનાં સુખને તે કણ ગણે છે ? મારે તેા મેક્ષનું સુખ પ્રાપ્ત કરવું છે અને આ ઘરેણાં વિગેરેનું સુખ તેા દેવાંગનાઓ વિગેરેને બહુ ગમે છે તેની હવે મારે દરકાર નથી. માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરવાની સ્થિતિમાં મૂકાઈ ને પછી સાધારણુ દેવગતિનાં સુખની ગણના તે કાણું કરે ? દેવગતિમાં સુખ બહુ છે, લેાકપ્રકાશાદિ ગ્રંથમાં તે ગતિનાં પૌલિક સુખનું વણુંન વાંચ્યુ હાય તા બહુ આનંદ આવે તેમ છે, પરંતુ એ સુખ શાશ્વત નથી અને વળી એ પૌગલિક સુખ કરતાં અપૌદ્ગલિક સુખ બહુ વિશેષ છે, અતિ આકર્ષીક છે અને મહાઆનંદ આપનાર છે. એ સુખને અનુભવ જેને એક વખત પણ થયા હાય તે
a
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org