________________
સુડતાલીસમું પડ
૪૫ વગર ખરેખર ખૂરું છું, પતિવિરહિણી સ્ત્રીને જેમ ખાવું-પીવું ભાવે નહિ, સારાં કપડાં, આભૂષણ પહેરવાં ગમે નહિ અને મનમાં અનેક રીતે અનેક પ્રસંગે શોક થયા કરે તેમ પતિ વગર હું ખરેખરી બળ્યા કરું છું, ઝર્યા કરું છું અને પછી તે શેકમાં ને શેકમાં નાના મોટાની શરમ મૂકીને પતિ આવવાના દ્વાર પર મારી આંખે એવી સ્થિર થઈ જાય છે કે ત્યાંથી તે ખસતી નથી. આર્યાવર્તની કુલીન સ્ત્રીઓ જેઓ સંયુક્ત કુટુંબમાં રહે છે તે વડીલની હાજરીમાં પતિ સાથે વાત કરતી નથી અને પતિ સામું પણ જોઈ શકતી નથી તથા દેશના રિવાજ પ્રમાણે વધારે ઓછું મુખ ઉપર વસ્ત્ર ઓઢી ગૃહમાં મર્યાદાથી વર્તે છે. પાશ્ચાત્ય વિચારના ફેલાવા સાથે આ રિવાજમાં પરિવર્તન થતું જાય છે એથી થનાર લાભાલાભની તુલના કરવી અત્ર અપ્રસ્તુત છે. વાત એટલી છે કે-નાના મોટાની યોગ્ય મર્યાદા સાચવવાને કુળવધુને ધર્મ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે યોગ્ય મનાય છે. શુદ્ધ ચેતના કહે છે કે-આ આર્ય સ્ત્રીને મર્યાદાધર્મ છે તે પણ પતિ વિરહના શેકમાં હું તે વિસરી ગઈ અને ઘરના સર્વ માણસે જાણે તે પ્રમાણે પતિને આવવાના દ્વાર પર નજર ટકાવીને-વાટ જોઇને બેસી રહી છું. પતિ આવવાના હોય તે માર્ગ તરફ જોવાને બદલે મેઢા ઉપર છેડે નાખી તે માર્ગથી દૂર ચાલ્યા જવાનો રિવાજ તજી દઈ હું તો વિરહઘેલી બની, પતિના માર્ગનું નિરીક્ષણ કર્યા કરું છું. પતિ કઈ પણ વખતે આવી ચઢે એમ મને મનમાં લાગ્યા કરે છે, કારણ કે તેઓ હમણું બોલી ગયા છે કે હવે તેઓ અમર થઈ ગયા છે, હવે જે તેઓએ જે હકીકત જણાવી છે તે પ્રમાણે વર્તન કરે તે તેઓ જરૂર થડા વખતમાં મને મળવા માટે આવવા જોઈએ અને તેથી હું તેઓને માર્ગ જોયા કરું છું. પતિ એક વખત માર્ગ પર આવી જાય છે તો પછી થોડા વખતમાં સમ્યમ્ માર્ગને સમજી જાય અને ત્યાર પછી મારે મેળાપ થતાં વખત લાગે નહિ. આથી પતિ માર્ગ પર આવી ગયા છે કે નહિ એ જોવા માટે હું બારણું ઉપર નજર ટેકવીને રહું છું અને પતિના વિરહથી ઝર્યા કરું છું.
આંખ એટલે જ્ઞાનદષ્ટિ સમજવી. જ્ઞાનદષ્ટિથી શુદ્ધ ચેતના જોયા કરે છે કે-ચેતનજી હવે સ્વભાવદશામાં ક્યારે આવશે? શુદ્ધ સ્વભાવને પ્રગટ થવાની એટલી સરળતા હોય છે કે આંખ દ્વારમાંથી ખસતી નથી એ હકીકત યથાયોગ્ય છે. નાના મોટાની શરમ રાખવાની વાર્તા અત્ર કરી છે તે સાંસારિક દૃષ્ટાંતની દાસ્કૃતિક પેજન ઘટાવવા માટે હોય એમ જણાય છે. શુદ્ધ ચેતના જેવી પવિત્ર સાઠવીને ઉપર ઉપરને દેખાવ કરવાની બાહ્ય મર્યાદા રાખવાનું કોઈ કારણ નથી. કદાચ એ શરમ વ્યવહારદષ્ટિએ રાખે તે ચેતનજીની માની લીધેલી માયા, મમતા ભાર્યા અને નણંદ જેનું વર્ણન હવે પછી ત્રીજી ગાથામાં આવશે તેની હોવા સંભવે છે. અહીં તેઓની મર્યાદાને બદલે કહાનીને અર્થ “વાર્તા ” વધારે ઉચિત લાગે છે. મતલબ તેઓની વાતની દરકાર કર્યા વગર પતિને માટે ખડે પગે અનિમેષ દૃષ્ટિએ
* જુઓ પદ બેંતાળીસમું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org