SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ અેતાલીસમુ પ ૪૯૩ વવાથી તે આદર્શ જીવન પૂરું પાડી સ્વસ્વરૂપવિચારણાને પ્રસંગ આપે છે અને એવી રીતે એક વાર સ્વરૂપજ્ઞાન થઇ જાય અને સાધ્યનુ લક્ષ્ય સ્થિર થઈ જાય ત્યાર પછી તે આત્મા પરમાત્માના પદની ભાવના કરી શકે છે, આવી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આનંદઘન ભગવાનના પદની સેવા કરવાની અને તેના દાસભાવે પ્રવવાના નિય કરવાની ખાસ જરૂર છે, મુમુક્ષુ જીવના લક્ષ્યસ્થાનના નિય માટે તેની ખાસ આવશ્યકતા છે અને તે પ્રમાણે કરવાથી અહુ લાભ થવાનેા સ્પષ્ટ પ્રસંગ છે. એને માટે શ્રી આનંદઘનજી મહારાજે એ વિચાર જૂદા જૂદા રૂપમાં ઘણી જગ્યાએ બતાવેલ છે એટલુ કહેવાની જ જરૂરિયાત છે. આ ભાવ વિશેષ સ્પષ્ટ કરવા હાય તેમણે કવિનું બનાવેલું શ્રી ધર્મનાથનું સ્તવન વિચારવુ, ધના મ જાણવાની જિજ્ઞાસા થવી એ બહુ ભાગ્યેાદયની નિશાની છે, એ વાત મા જ કવિએ શ્રી શાંતિનાથજીના સ્તવનમાં સ્પષ્ટ જણાવી છે. એવી જિજ્ઞાસા થવી મુશ્કેલ છે તે સાથે ખરાખર જ્ઞાન આપે એવા સદ્ગુરુના યાગ થવા એ પણ તેટલું જ મુશ્કેલ છે. આ આખા પદમાં માહરાજા સાથે ઊઘાડી રીતે મેદાનમાં આવી યુદ્ધ કરવાની વાત કરી છે એ બહુ આનંદ આપે તેવી, સમજવા લાયક અને આધદાયક હકીકત છે. એની સાથે પ્રસંગે બીજી કેટલીક હકીકત બહુ ઉપયાગી કહી છે. દાખલા તરીકે અનાદિ કાળથી મ્હાનાં કાઢવાની આ ચેતનજીની ટેવ છે તેનું સ્વરૂપ પેાતાનું ચરિત્ર અવલેાકન કરવાથી બરાબર સમજાય તેમ છે. જ્યારે મનુષ્યસ્વભાવનું ખારિક અવલેાકન થયું હોય ત્યારે જ એકાદ શબ્દમાં રહસ્યની વાત લખી શકાય છે. આપણે વસ્તુસ્વરૂપને જરા એધ થયા પછી પણ કેવા ગોટા વાળીએ છીએ તે આપણા પેાતાથી અજાણ્યું નથી. લગભગ દરેક શુભ પ્રસંગેા પ્રાપ્ત થાય છે ત્યારે આપણે આવી જ રીતે તેને ગુમાવી બેસીએ છીએ. વાર અનંતી ચુકીઆ ચેતન, એણે અવસર મત ચૂકે. '+ આવી રીતે અનતી વાર આપણે આવેલા પ્રસ'ગા ચૂકી ગયા છીએ એમ જે ચિદાનંદજી મહારાજે કહ્યું છે તે આવાં ઝ્હાનાં કાઢીને કર્યું હશે એમ જણાય છે. શિવદરઘા પ્રાપ્ત કરવાની, બીજી સ્થૂલ લડાઈ લડવાની મૂખતાની અને ભાવશત્રુના નાશ કરવાની તેમ જ ધર્મના માઁ સમજવાની વાત કરી છે તે પ્રત્યેક વાત પર એક એક મોટો નિબંધ લખી શકાય એમ છે. વિશિષ્ટ લેખકો ઓછા શબ્દોમાં કેટલા ભાવ બતાવી શકે છે તે આટલા ઉપરથી સમજાયું હશે. કવિનું ચાતુ સમજવા સાથે પરપરિણતિના ત્યાગ કરી મહરાજા સાથે ખરાખર લડાઈ કરવા માટે ચાગાનમાં આવવાનું અત્ર જે આહ્વાન કર્યું છે તેને સમજીને પકડી લેવું અને આવે પ્રાપ્ત થયેલા શુભ અવસર જવા ન દેવા એ શૂરવીર માણુસનું ખાસ લક્ષણ અને કન્ય છે. એમ નહિ કરવામાં આવે તે આનંદઘન મહારાજની દૃષ્ટિએ તે આપણી ** જીએ આનંદઘનજીકૃત સેાળમા શ્રી શાંતિનાથજીનું સ્તવન, ગાથા ખીજી. × જુએ ચિદાનંદજી મહારાજકૃત પુદ્ગલ ગીતા, ગાથા ૪૯ મી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy