________________
શ્રી આનંદઘનજીનાં પર ત્યારે ચેતનજીને શવાભાવિક રીતે શંકા થાય કે દયામય ધર્મ હોવા છતાં આવી રીતે શત્રુને નાશ કરવાનું સૂચવ્યું તે કેમ ઘટે? કારણ કે શત્રુ પર પણ દયા કરવાનું વારંવાર શાસ્ત્રમાં સૂચવ્યું છે. ભાવદયા અને સ્વરૂપદયાનું સ્વરૂપ હજુ ચેતનજીને બરાબર વ્યક્ત થયું નથી તેથી કદાચ આવી શંકા ઉત્પન્ન થાય તે તેને સંતોષ આપવા માટે છેવટે ચેતનજીને ઉદ્દેશીને કહે છે કે હે ચેતનજી ! ધર્મને મર્મ તમે શું કરવા પૂછો છે? તેમાં બીજું કાંઈ નથી. આનંદઘન ભગવાનના પદને પકડીને બેસી રહેવું એ ધર્મને મર્મ છે. ધર્મને મર્મ જાણવાની તને ઈરછા થઈ છે તેથી તે ધન્ય છે, ભાગ્યશાળી છે, કારણ કે એવા પ્રશ્નને પ્રસંગ પણ ભાગ્યવાન મનુષ્યને આવે છે. ઘણાખરા મનુષ્ય તે સંસારમાં એટલા બધા ઉતરી ગયા હોય છે કે તેને ભાવશત્રુ અને દ્રવ્યશત્રુને તફાવત જાણવાનું કે તે સંબંધી પ્રશ્ન કરવાને અવકાશ કે પ્રસંગ મળતું નથી. તને હું ટૂંકામાં કહું છું કે આનંદઘનના પદને વળગી રહેવું, તેઓના કથિત માર્ગે ચાલવું અને તેઓની આજ્ઞાને અનુસરવું એ ધર્મને મર્મ છે. પંચમહાવ્રત જેવા યમને આદરી, એગ્ય નિયમ ધારણ કરી, અત્યંતર શત્રુને નાશ કરે, પ્રભુની આજ્ઞાને અનુસરી પિતાની યેગ્યતા અને અધિકાર પ્રમાણે સદ્ગુરુના આશ્રય નીચે વેગ અને ક્રિયામાર્ગમાં પ્રવેશ અને પ્રગતિ કરવી અને ખાસ કરીને દરેક પ્રસંગે અંદર રહેલા શુદ્ધ ચિતન્યસ્વરૂપને વિચારવું અને પરમાત્મભાવ પ્રગટ કરવાનું લક્ષ્ય નિરંતર સામીપ્યમાં રાખવું-આ ધર્મને મર્મ છે. આનંદઘન મહારાજ શ્રીધર્મનાથના સ્તવનમાં કહે છે કે –“ધરમ ધરમ સર્વ પ્રાણીઓ કરે છે પણ ધર્મને મર્મ સમજતા નથી ” અને પછી આગળ વધે છે તેને ભાવ એ છે કે “જેટલી મનની દેટ હતી તેટલે આ પ્રાણી ધર્મની શોધમાં દેડ્યો જાય છે પણ પિતાની પાસે રહેલી પ્રેમની પ્રતીતિ વિચારવી અને તેને બરાબર સમજવા માટે ગુરુગમને જેડી લેવી એ કર્તવ્ય છે” ધર્મજિનેશ્વરના સ્તવનમાં જે ભાવ બહુ વિરતારથી બતાવ્યું છે તેને અહીં સંક્ષેપથી કહેતાં સમજાવે છે કે- આનંદઘનના પદને વળગી રહેવું એ ધર્મને ખરેખર મર્મ છે. આનંદઘન પ્રભુના આશ્રયે રહેવું, તેઓના ઉપદેશ પ્રમાણે વર્તન કરવું અને તેઓમાં પ્રગટ થયેલું પરમાત્મસ્વરૂપ સ્વમાં પ્રગટ કરવા પ્રયાસ કરો એ ધર્મને મર્મ છે. એ મર્મ જ્યારે સમજાય ત્યારે મેહરાજાની સાથે ચગાનમાં આવીને લડવામાં દયાધર્મને જરા પણ વિરોધ આવતું નથી એ સ્પષ્ટ રીતે સમજી શકાય તેવી હકીકત છે, કારણ કે એમાં સ્વદયા છે અને કઈ પ્રકારની દ્રવ્યહિંસા નથી.
આનંદઘન પદ કરી ને સીધો અર્થ આનંદસ્વરૂપ પરમાત્માના પગ પકડીને રહે એટલે પરમાત્માના દાસભાવે વર્તે એ ધર્મનું રહસ્ય છે એમ થાય છે. આ ભાવ પણ સારે છે. જ્યાં સુધી દાસભાવે વર્તવાની ઇરછા બરાબર થતી નથી ત્યાં સુધી શુદ્ધ સ્વરૂપનું સાધ્ય સમજાતું નથી. એ તે પ્રગટ હકીકત છે કે રાગદ્વેષ રહિત ભગવાન કાંઈ આપી દેવાના નથી અને તેઓની સ્તુતિ કરવાથી તે પ્રસન્ન થવાના નથી, પરંતુ તેઓના દાસભાવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org