SearchBrowseAboutContactDonate
Page Preview
Page 499
Loading...
Download File
Download File
Page Text
________________ છે'તાલીસમુ' પદ્મ ૪૮૯ સ્થાન પ્રાપ્ત થશે કે તારી આવી રખડપટ્ટી બિલકુલ મટી જશે અને તુ અચળ થઈ જઈશ. વળી તને અહીં શારીરિક અને માનસિક અનેક પ્રકારે ખાધા-પીડા નિરંતર થયા કરે છે, પરંતુ વ્યાધિની પીડા, વિયેાગની પીડા, મૃત્યુના શાક, ધનના નાશ વિગેરે વિગેરે અનેક પ્રકારની આધિ, વ્યાધિ ને ઉપાધિથી ભરપૂર આ સંસારસ્થાન તજી દઇને તુ તદ્ન અખા· ષિત થઈ જશે. વળી તું એ સ્થિતિમાં કૈવલ્યજ્ઞાનરૂપ સ વસ્તુને બેધ પામીશ એટલે તુ સર્વ વસ્તુનું સ્વરૂપ સ્વતઃ સમજી શકીશ. અત્યારે તે અવ્યવસ્થિત રીતે, વસ્તુધર્મના મેધ વગર ગાટા વાળે છે અને સંસારમાં હેરાન થાય છે, પણ ત્યાં તે કેવળજ્ઞાનરૂપ મુનસફ્–વછર–મંત્રી તને મળશે. તમાકાર મુનસના અથ સર્વ કાર્યના કર્તા એમ કરે છે એ શબ્દ મુનસફી ઉપરથી આવ્યે હાય એમ જણાય છે. આવી રીતે અચળ, અબાધિત થઈને કૈવલ્યજ્ઞાનરૂપ મુનસને પ્રાપ્ત કરીને તું શિવસ્થાન પ્રાપ્ત કરીશ જે અનંત જ્ઞાન દર્શન, ચારિત્ર, વીર્યાદિ સાથી અલ'કૃત છે. આવી મેાક્ષરૂપ દરગાહ એટલે મહંત પુરુષાનુ અંતિમ નિવાસસ્થાન, તને મેહરાજા સાથે ચેાગાનમાં લડાઇ કરવાથી અને તેના ઉપર જય મેળવવાથી પ્રાપ્ત થશે, માટે હવે તું બહાદુરી કરીને મેદાનમાં આવ અને તેને પરાજય કર. મોટા સંત અથવા પીરના છેવટના નિવાસસ્થાનને એટલે કે જ્યાં તેના ભૂમિદાહ કરવામાં આવ્યા હાય છે તે સ્થાનને મુસલમાન દરઘા કહે છે, અને બૌદ્ધ લેાકેા સ્તૂપ કહે છે અને જૈન ધર્મમાં પણ એ જ શબ્દ વપરાય છે. શિવસ્થાનમાં અનંત તીર્થંકરા તથા બીજા વિશિષ્ટ જ્ઞાનીએ છેવટનું સ્થાન કરીને રહ્યા છે તેથી અત્ર તેને શિવદરઘા કહેવામાં આવી છે અથવા દરઘાના અથ કચેરી પણ થાય છે. આ ત્રીજા અને ચાથા પાનનું પન્નુચ્છેદ અચળ, અખાધિત અને કૈવલ્ય મુનસરૂપ શિવદરા પ્રાપ્ત કરે એમ પણ થઈ શકે અને તું અચળ, અબાધિત હેાઈ કૈવલ્ય મુનસફ્ અને શિવદરા પ્રાપ્ત કરે એમ પણ થઇ શકે. બંને રીતે અર્થ કરવાથી છેવટના ભાવ તા એક જ આવે છે. ‘ભરી’વિશેષણુ તેના અર્થ ભરપૂર એમ થાય છે. જ છે અને બધી બાબતના સાર એક જ છે કે-તરવાર કાઢવામાં કે કાઢેલ કાઢવામાં અથવા તેનાવડે શત્રુને સંહાર કરવામાં પ્રથમ તે આ ચેતનજીએ શત્રુને ઓળખવા જોઇએ, તેને ઓળખ્યા પછી જ તેની સાથે લડી શકાય. શત્રુને આળખવાની સાથે પ્રાપ્યના લક્ષ્યબિંદુનુ સ્પષ્ટ જ્ઞાન જોઇએ અને તે પ્રાપ્ત કરવા દૃઢ નિશ્ચય જોઈએ. આવી રીતે જ્યારે ચેતનજીને સ્પષ્ટ ખાધ થઈ જાય છે ત્યારે પછી તે સમરાંગણમાં શત્રુના એવા નાશ કરે છે કે તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. એના થોડા ભાવ અગિયારમા પદ્મમાં બતાવ્યે છે. એમાં જ્યારે સ્વજને ‘ અહા અહા ’ કહીને ચેતનજીને સામાશી આપે છે ત્યારે સહૃદય વાંચનારની આંખમાંથી હર્ષાશ્રુ આવી જાય છે. આ પદને અને અગિયારમા પદના ભાવને બહુ નજીકના સંબંધ છે અને એક પ્રતમાં આ બંને પાને અનુક્રમમાં એક બીજાની સાથે મૂકયાં છે. કર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy