________________
પિસ્તાલીસમું પદ
૪૮૩ જાણવા પ્રમાણે તું જ છે, તારા ઉપર જ હવે મેં ધારણ કરી છે અને તારા કર્તવ્યને પરિણામે મારું કાર્ય સફળ થશે, પતિને મેળાપ થશે અને મારી નિરંતરની પીડા દૂર થશે. મને હવે મારા ભાઈ, માબાપ કે પુત્રની વાત પણ સારી લાગતી નથી, તેઓ તે તેરમે ગુણસ્થાનકે જઇને બેઠાં છે. મને તે મારા પતિને મળવાની ખરેખરી ઉત્કંઠા છે અને તે હે દર્શન! તું કરાવી આપ અને મારા પતિને માયા, મમતાની પ્રપંચી જાળમાંથી છેડાવ. વસ્તસ્વરૂપને યથાસ્થિત જ્ઞાન આપી દિવ્ય ચક્ષુથી પ્રત્યક્ષ દેખાતા ભાવે વિશદ્ધ અનુમાનથી મારા પતિને મેગ્ય રીતે બતાવીને તું તેઓને મારે મંદિરે લઈ આવ. તેઓ જરા જાગ્રત તે થઈ ગયા છે તેથી અત્યાર વખત બરાબર અનકળ જણાય છે. ત્રીજી ગાથાનો અર્થ કરતાં ટબાકાર કહે છે કે-આત્મારામ+ તેરમે ગુણસ્થાનકે ગયા તેના વિયેગને પાર પામી ન શકું, કારણ કે ત્યાં મારાથી પહોંચી શકાતું નથી અને તેનું સ્થળ પણ પામી ન શકું. આનંદઘન પ્રભુનું દર્શન–શુદ્ધ જૈન દર્શન પતિમેળાપને માટે વિષમ ઘાટ ઉતારવાને માટે સુવિહિત નીકા છે એટલે પતિ સાથે મેળાપ કેવળજ્ઞાનમાં થવા માટે નીકા સમાન છે. મારા પતિના વિરહની વેદનાને પાર હું પામી શકતી નથી, કારણ કે તે અથાગ છે તેથી હે પ્રભુ! પતિદર્શનરૂપ ઘાટ ઉતરવાને વાસ્તે નૌકાની માગણી કરું છું. પતિવિરહની વેદનાને જેને અનુભવ થાય તે જ જાણી શકે. આવી સપ્ત વેદનાને ઉપાય કરવા માટે પતિવિરહરૂપ વિષમ નદીને લાંબે પટ ઉતરવાને માટે આપની પાસે આજ્ઞારૂપ નૌકાની માગણી કરું છું અથવા નકામાર્ગનું દર્શન કરાવવા આપને વિજ્ઞપ્તિ કરું છું, આપની પાસે યાચના કરું છું, આપની પાસે માગણી કરું છું. આ અર્થ કરવામાં પતિ તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તેને ભાવ ભવિષ્યત્ સ્થિતિને અંગે હોય એમ ધારી શકાય અથવા તે ફલેદ્દેશ બતાવે છે. એમને મળવાનો માર્ગ શુદ્ધ દર્શનરૂપ ભાવનૌકા આપવાની ચેતના આનન્દઘન પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે.
આ આખા પદમાં મુખ્ય વાત શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાની અને માયા, મમતાને ત્યાગ કરવાની કરી છે. માયા, મમતાની પ્રપંચી રીતભાત અને શુદ્ધ ચેતનાના સરળ માર્ગો અને તે પ્રાપ્ત કરવાની ચેતનજીની શેધક વૃત્તિ ચેતનજીની ગમાર્ગમાં પ્રગતિ બતાવે છે. માયામમતાની બુદ્ધિ તજી દઈ તેણે હવે અનુભવની મતિવડે ચાલવા વિચાર કર્યો છે અને તે
* અહીં પં. આનંદસાગરજી જણાવે છે કે–પિતાનાં માતપિતા તરીકે કેવળજ્ઞાનનો ઉલ્લેખ કરી દેશ બતાવે છે. જેના દર્શન શ્રતજ્ઞાનને અંગે છે અને કેવળજ્ઞાન તેનું ફળ છે આ હકીકત ધ્યાનમાં રાખવાથી બાકારનો આશય સમજાશે.
+ અહીં ચેતન તેરમે ગુણસ્થાનકે ગયાની વાત કરી છે તે ઉપરના ટબાકારના અર્થ સાથે બરાબર બેસતી આવતી નથી. વિવેચન જુઓ.
X આ અર્થ કરવામાં ઘટ એટલે નદીનો પટ એવો અર્થ કર્યો છે. મગ એટલે માર્ગ અથવા માગું છું. બંને અર્થ બેસતા આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org