SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી આનઘનજીનાં પદ્મા તેમ કરવા માટે મહદશાના ત્યાગ કરવા અને યથાસ્વરૂપ વસ્તુના આધ સ્થિર કરવા એ ખાસ જરૂરની બાબત છે.* +મીજી ગાથાના અર્થ કરતાં ટખાકાર કહે છે કે-મારે મીતની શી વાત કરવી ? પણ મારા ભાઈ શુદ્ધ ચેતનધમ પણ ભર્તારને ગયા જાણી મને બારમે ગુણુસ્થાનકે મૂકી તેરમે ગુરુસ્થાનકે ચાલ્યા ગયા, મારા પિતા શુદ્ધ ચેતનત્વ પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને શુદ્ધ ચેતનતા મારી માતા પણ તેરમે ચાલી ગઈ. અરે ! બીજું તે શું પશુ અમારા પેટના પુત્ર કેવળજ્ઞાન તે પણ તેરમે ગુણસ્થાનકે ચાલ્યા ગયા અને ગોરવણું વાળી હું તેને મળતા પણ નથી. આવી રીતે સર્વ મારાથી વેગળા થઈ ગયા છે. મારે તે સ દિવસ હું શુદ્ધ દર્શન! તારું રમણુ છે અને તેના તાનમાં હું રંગાણી છે, ગરકાવ થઈ ગઇ છું. આ પ્રમાણે અર્થ કરવામાં શુદ્ધ ચેતનાના મુખમાં જૈન દર્શન સાથે વાત કરવામાં સુંદર ભાવ મૂકયા છે. તે ખેલે છેડે શુદ્ધદર્શન ! મારે હવે માયા, મમતાને શે। દોષ દેવા ? મારા નાથ ચૈતનજી હવે જાગ્રત થયા છે તેથી તેઓનું હવે કાંઇ ચાલવાનું નથી પણ હવે તે શુદ્ધ ચેતનધર્મ મારા ભાઇ, શુદ્ધ ચેતનત્વ મારા પિતા અને શુદ્ધ ચેતનતા મારી મા એ સર્વ મને મૂકીને તેરમે ગુણસ્થાનકે ચાલ્યાં ગયાં છે, મારા પુત્ર કેવળજ્ઞાન પણ ત્યાં ચાલ્યા ગયા છે. (તે પતિની સાથે ગયા છે એમ ટબાકાર લખે છે એમાં જરા વિસંવાદ- આવે છે: પતિના હજુ ચેતના સાથે પણ મેળાપ થયેા નથી, ત્યાં ચેતનજી સાથે શુદ્ધ ધર્માં જઈ શકે નિહ, પરંતુ તેની ચેતનજીથી જૂદી કલ્પના કરી શક્તિગત ધર્માં તરીકે તેઓની ન્યારી વ્યવસ્થા કરી તેનુ અને ચેતનાનું વૈવિધ્ય બતાવતાં જાણે તે ધર્માં હજી આગળ પ્રાપ્ત થવાના છે તે ઉપર ઉત્પ્રેક્ષા અહીં કરવામાં આવી હાય એમ જણાય છે. ) આ પ્રમાણે મારે કોઈના આધાર ન હેાવાથી હું જૈન દર્શન ! હવે હું તા તારા ઉપર જ મારું જીવન ગાળું છું, મારે આખા દિવસ અને રાત તારામાં રમણુતા છે, તારામાં તાન લાગી ગયુ છે અને તારા અમૃત પાનથી હું તૃપ્ત થાઉં છું. અહેા ! વિશુદ્ધ દન ! હવે મારે તારેા જ આધાર છે અને મારા ચેતનજી જે હવે જરા જાગ્રત થયા છે તેઓના અને મારા મેળાપ કરાવી આપનાર જો કોઇ પણ વ્યક્તિ હાય તે તે મારા * જિનગમને ઉદ્દેશીને આ શબ્દો ચેતના ખેલે છે. એ શબ્દ અધ્યાહાર ગણ્યા છે અને ગેરીની સાથે જગારીના અ ક્રિયાપદરૂપે ન કરતાં જગતમાં એવા કર્યાં છે. એ વિગેરે અર્થાં ખેચીને આવા પડ્યા છે; છતાં ટખાકારને અમનન કરીને સમજવા યાગ્ય છે. દર્શન શબ્દ ત્રીજી ગાથામાંથી અહીં આણ્યા હાય એમ જણાય છે. વિ. ક, + આ અર્થાં કરવામાં ગારી એટલે ગેારા શરીરવાળી એમ અથ કર્યાં છે. પગી એટલે રંગાણી. બાકી બીજા અ લગભગ ઉપર અ કર્યાં છે તેને મળતા છે પણ આશય બહુ સુંદર રીતે ફેરવી નાખ્યો છે, + અનંત જીવો તે સ્થાનક પ્રાપ્ત કરી શકયા છે તે અપેક્ષા અહીં સંભવે છે.-૫. આનંદસાગરજી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy