SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીસમુ પદ્મ સુધી બહુ ઠગાયા છું, બહુ છેતરાયા છું, બહુ સાથે છું. મને હવે મારા સગાંસંબંધીના સ્નેહમાં વાસ્તવિકતા નથી એમ જણાયુ' છે અને તે બધાં કારણથી હવે મારું સંસાર ઉપરથી મન ઉદ્વિગ્ન થયું છે, પરંતુ આપનાં દર્શન કરવાના માર્ગોના મને પિરચય ન હાવાથી એ મા મને બહુ વિષમ લાગે છે તેથી આપનું દર્શન થાય અને આ સમુદ્રના પાર પમાય એવું અનુભવ-જહાજ મને ગમે તેમ કરી મેળવી આપેા. મારી દુઃખી સ્થિતિ સામે નજર કરી, મારા પૂર્વ કાળના દોષાની ક્ષમા કરી, મારા ઉપર કૃપા કરા, મારા હાથ ઝાલા અને મને એવું વહાણુ આપે કે, તેમાં બેસી મારું' સાધ્યસ્થાન પ્રાપ્ત કરું, આપનાં દર્શન કરું અને આપ જેવા થઉં. હવે ટખામાં જે અર્થ લખ્યા છે તે વિચારીએ. એના કેટલેક ભાવ વિચારવા લાયક છે, પરંતુ અર્થ તાણી-ખેંચીને આણ્યા હાય એમ કેાઇ કોઇ સ્થાન પર લાગે છે. પ્રથમ ગાથાના અર્થ કરતાં ટબાકાર કહે છે કે-આ વચન શુદ્ધ ચેતનાનું જૈન દર્શન પરત્વે છે. જગતમાં આત્માની પાછળ લાગેલા એવા માયા, મમતારૂપ ઠગે ! તમે જતા રહેા, ભાગી જા. માયા, મમતાની મતિ લઇને આત્મા મારી અને અનુભવની સાથે ૠગેા કરે છે, માટે હે માયા-મમતા ! તમે ભાગી જાઓ. શુદ્ધ દર્શન વિના ચેતનજી સાથે મારેા મેળાપ કરાવે એવું જગતમાં કાઈ નથી. જ્યારે જ્યારે ચેતનજી મને મળવા વાળે છે ત્યારે ત્યારે માયા અને મમતા ચેતનજીને એવા સપડાવે છે, ફાસલાવે છે અને એની બુદ્ધિને પેાતાને કબજે કરી લે છે કે એની સાથે દગા કરીને ચેતનજીને મને મળવા દેતા નથી અને અનુભવને પશુ મળવા દેતા નથી. આવા કારણથી હું માયા, મમતાથી કંટાળી ગઈ છું અને તેને મારાથી દૂર થવા કહું છું તેમાં હું શુદ્ધ દર્શન ! તું મને મદદ કર. આ પ્રમાણે વાત કરી અને ખાસ કરીને પોતાની અને અનુભવની સાથે માયા, મમતા દગા કરનાર છે એ વાત બતાવીને શુદ્ધ ચેતના માયા, મમતાને દૂર થવા કહે છે. ચેતના જાણે છે કે તેના પતિ હવે જાગ્યા છે અને અત્યાર સુધી જે અજ્ઞાનદશામાં હતા, તેને દૂર મૂકી આગળ વધ્યા છે. ચેતના એટલું પણ સમજે છે કે અત્યાર સુધી ચેતનજી માયા, મમતાની બુદ્ધિએ–શીખવણીએ ચાલી પેાતાની સાથે અને અનુભવની સાથે દગા કરતા હતા અથવા માયામમતા ચેતનજીને દગો કરવાનું શીખવતી હતી, તે હવે પેાતાનું સામ્રાજ્ય ચલાવી શકે તેમ નથી. આથી શુદ્ધ આગમને–જૈન દર્શનને ઉદ્દેશીને ચેતના કહે છે કે-હે માયા, મમતા ! તમે હવે ભાગી જાએ અને મારે અને મારા પતિના મેળાપ હવે થવા દે, અહીં કહેવાને ભાવાથ એ છે કે-જ્યારે ચેતનજી વસ્તુગત ધર્માં ઓળખશે, આ સ્વપરતુ ચેગ્ય વિવેચન કરશે, પરભાવરમણુતા દૂર કરશે અને પેાતાની જાતને ખરાબર ઓળખશે ત્યારે તેનુ સ્વરૂપ પ્રગટ થશે. ૪૮૧ * અહીં અથ નીચે પ્રમાણે છે. જગારી=જગતમાં, માયા, મમતા ચેતનની મતિ લઇને અનુભવ અને મારી સાથે દગા કરે છે. આ શબ્દાર્થ છે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy