SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનઘનજીનાં પદ્મ ભાવ–ઉપર કહી તે અનુભવષ્ટિ મારા પ્રાણની રક્ષા કરનારી છે, મને શાશ્વત જીવન આપનારી છે. એના વિરહના મા પાર ન પામી શકાય તેવા છે, એ સ્થળ એવું છે કે જેમ ઊંડાં જળના તાગ મેળવવા મુશ્કેલ પડે તેમ તેના છેડા પ્રાપ્ત કરવા મુશ્કેલ પડે તેમ છે. મતલખ એ વિરહકાળ કયારે પૂરા થશે તે કહી શકાય તેમ નથી. બહુ ઊંડાણુવાળા સમુદ્રમાં પાણી કેટલુ છે અને જમીન કેટલી નીચી આવી છે તે જાણુવા માટે બહુ પ્રયાસ કરવા પડે છે અને તેમાં કોઈ વસ્તુ પડી ગઈ હેાય તે તે લઈ આવવામાં અથાગ મહેનત પડે છે. એવી રીતે આ વિરહંવેદનાના માગ અથાગ છે. એક તે મારેા પેાતાના માર્ગ અવળા છે અને વિરહકાળ બહુ લાંબા વખતથી ચાલ્યા કરે છે; આથી એ વિરહુકાળ અથાગ જણાય છે. મારા પ્રાણુ તા હું. પેાતે જ છું, તેને જાગ્રુત્ દશામાં લાવવાની સ્થિતિના મને વિરહ થયા છે અને તેની આ સવ પીડા છે. પીડા કાઈ બહારની નથી પણ અનુભવદિષ્ટ જે મારી પેાતાની વસ્તુતઃ છે તેના જ વિરહ થયા છે અને તે અપાર જાય છે, કારણુ કે લાંબા કાળથી તેને ઊંઘાડી દીધેલ છે. ચેતનજી પોતે આ પદ્ય ખેલે છે એમ શરૂ કરેલ હાવાથી આ પ્રમાણે અર્થ ઘટે છે. સમતા જો આ પંક્તિ ખેલતી હૈાય અથવા શુદ્ધ ચેતના ખેલતી હાય તા તેના અને ચેતનજીના ઘણા વખતથી વિરહ થયા છે તેની વેદના જેનુ અથાગ સ્થળ છે તેને પાર આવતા નથી એવા અર્થ ઘટે છે. એ વેદના એટલી લાંબા વખતની–અનાદિ કાળની છે કે તેનેા વિચાર કરતાં મારા પત્તો ખાતા નથી. અથવા ચેતનજી કહે છે કે-તે વિરહવેદનાસ્થળ અથાગ-જેના પાર ન આવે તેવુ છે. અથવા તે વિરહસ્થળને પાર લેતાં હું તા થાક્યા છું, ઘણી મહેનત કરી પણ તેના પત્તો જ ખાતા નથી, ૪૦ આનંદઘન પ્રભુનાં દર્શન કરવા—તેની ઝાંખી કરવી તે અનુભવ છે અને તે દન એ જ અવઘટ છે—વિષમ માર્ગ છે. તે માર્ગ પ્રાપ્ત કરવા બહુ મુશ્કેલ જણાય છે. ઘટ એટલે રસ્તા-ઘાટ. અવઘટ એટલે વિષમ માર્ગ, મુશ્કેલ રસ્તે. અનાદિ કાળથી ચેતનજી એવા કુમાગે ચઢી ગયા છે કે એને સીધા રસ્તા સૂઝતા નથી. એ માયા, મમતાના કુટિલ માગેŕમાં પડી સંસારમાં રખડ્યા કરે છે અને તેથી તેને અનુભવના માગેર્યાં અટપટા લાગે છે. માહથી એની પ્રવૃત્તિ એવી વિપરીત થઇ ગઇ છે, એની દૃષ્ટિ એટલી ચપળ થઈ ગઈ છે કે એ વિશુદ્ધ માને અટપટા મા સમજે છે અને સરળ માર્ગને અવઘટ સમજે છે. ચેતનજી પાતાની મહાવૃત સ્થિતિમાં આનંદધન પ્રભુનાં દનને પણ કેવી રીતે પ્રાપ્ત કરવાં તે સમજી શકતા નથી. હવે ચેતનજી સમજવા લાગ્યા છે કે પેાતે અત્યાર સુધી સંગ કરવાની ખામતમાં છેતરાયે હતેા. તે ઉપરાંત હવે તે વિશેષ સમજ્ગ્યા છે કે આ સંસારસમુદ્રના ઘાટ ઉતરવા માટે તેને વહાણની જરૂર છે. એવા વહાણુની ગરજ સારે અથવા તદ્રુપ જે આત્મિક વહાણુ હાય તે તે અનુભવ છે. તેથી આનંદઘન પ્રભુનાં દર્શન કરવા માટે અને સંસારસમુદ્રના ઘાટ ઉતરી પેલે પાર રહેલ મેાક્ષસ્થાન પ્રાપ્ત કરવા માટે તે અનુભવ–નૌકાની માગણી કરે છે. તે પ્રભુને વિજ્ઞપ્તિ કરે છે કે-હે મારા નાથ ! હું... અત્યાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy