SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૮ શ્રી આનઘનજીનાં પા તે અહીં ખરાખર અધબેસતા પણુ આવે છે. અહીં કહેવાના ભાવાર્થ એ છે કે-મને સગાંસંબધીઓ જે વાત કહે છે તે કઈ પણ રીતે ઇષ્ટ લાગતી નથી અને હવે તે મને એમ જણાય છે કે મારાં વાસ્તવિક માતપિતા આ અનુભવના આવિર્ભાવા જ છે. જ્ઞાનદૃષ્ટિને અંગે અહીં આઠ દૃષ્ટિ પર વિવેચન પ્રાસ'ગિક ગણાય. તેમાં ચાથી દૃષ્ટિથી ખરાખર જ્ઞાનષ્ટિ જાગ્રત થાય છે અને તે દૃષ્ટિથી આગળ પ્રગતિ કરનાર ચેતનજીનું અહીં વિવેચન છે. એ આઠ દૃષ્ટિના ખાસ વિષય અહીં બહુ લાંખા થઈ પડે તેથી અત્ર લખ્યા નથી, અન્ય પ્રસંગે પર વિવેચન કરવામાં આવશે ( જીએ ચેગના વિષય પર વિવેચન ); પરંતુ એટલું તેા અત્ર જણાવવુ ચેાગ્ય છે કે-આઠ દૃષ્ટિ પર · યોગદૃષ્ટિસમુચ્ચય’ નામના શ્રીમાન્ હરિભદ્રસૂરિના ગ્રંથ અને તે પરથી ઉપાધ્યાયજી શ્રીમદ્યશેાવિજયજીની કરેલી આઠ સૃષ્ટિની સજ્ઝાયા ખાસ મનન કરીને સમજવા ચેાગ્ય છે. ચેાથી દીપ્રાથિી સમ્યગ્ એધ થાય છે અને ત્યારથી ચેતનજીની પરિણતિની નિર્મળતા વિશેષ થતી જાય છે. એ દૃષ્ટિવાન ચેતનને પછી માતાપિતા, સગાંસંબંધીઓ જે વાત કરે તે ઇષ્ટ લાગતી નથી, કારણ કે તેઓની વાતાનું મ'ડાણુ સ્થળ-પોલક દશા પર હોય છે. આ આઠે દૃષ્ટિનું સ્વરૂપ બરાબર મનન કરીને સમજવા યોગ્ય છે. અને યાગદિષ્ટ કહેવામાં આવે છે. સમ્યગ્ આધ થયા પછીની દૃષ્ટિને સમુચ્ચયે જ્ઞાનવૃષ્ટિ કહેવામાં આવે છે. ઉપરાત ગ્રંથામાંથી એનું સ્વરૂપ સદ્ગુરુ પાસે વિચારવુ' અને આ ગ્રંથમાં વિવેચન કર્યુ” છે તે લક્ષ્યમાં લેવું. એ જ્ઞાનષ્ટિજ મારે તેા દેખવાની વસ્તુ છે, પૂજવાની વસ્તુ છે, પાન કરવાની વસ્તુ છે, લય પામવાની વસ્તુ છે. એક વખત અનુભવષ્ટિ જાગ્રત થાય એટલે આ ચેતન વિભાવ દશામાંથી પાછા હઠી જાય છે; પછી એને સંગ્રહસ્થાન કે રાજમહેલા જોવા લાયક જણાતાં નથી, લક્ષ્મીને તે પૂજા કરવા લાયક ગણુતા નથી, સાડા-લેમન કે મદ્ય આદિ પદાર્થને પાન કરવા ચેાગ્ય ધારતા નથી અને મેહક પદાર્થાંમાં લય લગાડવી ઉચિત સમજતા નથી; તેમ જ તેને માતિતા પર પ્રેમ રહેતા નથી, સ્ત્રીપુત્ર પર મેાહ રહેતા નથી, ભાઇ સાથે સ્વા રહેતા નથી, સગાંના સ્નેહની જરૂર રહેતી નથી, યાવત્ પોતાના શરીરની પણ તેને દરકાર રહેતી નથી. એથી પશુ વધારે સ્પષ્ટ રીતે કહીએ તે તેઓની વાતા સાંભળવી તે તેના કાનને પસંદ પણ આવતી નથી. તેથી તે અનુભવને કહે છે કે હવે તા મારે દરરાજ તારું દર્શન થાય, તારું પૂજન થાય, તારું પાન થાય અને તારામાં લય પમાય એ જ મારી ઇચ્છા છે. આંતરદૃષ્ટિ જાગૃતિ થતાં ચેતનજીની આવી સુંદર દશા થાય છે; તેને પછી વ્યવહારનાં કાર્ય ઉપર, વ્યાવહારિક સંબંધ ઉપર અને સાંસારિક વિષયા ઉપર વિરાગ આવી જાય છે અને તે તેમાંથી બહાર નીકળી જવા વિચાર કરે છે, ભાવના કરે છે, નિર્ણય કરે છે. અહીં દન ચક્ષુના વિષય છે, તાન કહ્યુ'ના વિષય છે, પરશન સ્પર્શે દ્રિયને વિષય છે અને પાન રસેઇંદ્રિયના વિષય છે. એ રીતે અર્થ વિચારતાં નાસિકાના વિષય સ્પષ્ટ થત નથી, પગો શબ્દના એવા કાંઇ અર્થ થતા હેાવા જોઇએ પણ તે સ્પષ્ટ થતા નથી. કહેવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy