________________
૪૭૪
શ્રી આનંદઘનજીનાં પદો ઠગારીઓ ! ભાગી જાઓ: (ચેતનાને કહે છે) તમે મને વળગ, જાગ્રત થાઓ. મમતા, માયારૂપ મતિ લઈને આત્મા (હું) તમને વળગ્ય છું, જ્ઞાનદષ્ટિ મારી છે અને તે સિવાય અન્ય દગે છે–પર છે.”
ભાવ–આ પદને અર્થ ઘણે વિષમ છે. પ્રથમ મારા ગુરુમહારાજે જે પ્રમાણે અર્થ કર્યો છે તે બતાવું છું, પછી આખું પદ પૂરું કરી ટબાકારનો અર્થ વિચારશું. બને અર્થ તદ્દન જૂદાં દષ્ટિબિંદુથી લખાયેલા હોવાથી એક સાથે તે પર વિવેચન થઈ શકે તેમ નથી. બને અર્થ કરવામાં કેટલાક શબ્દો પદમાં અધ્યાહાર હોય એમ ધારી લેવું પડે છે. કર્તાને ખરે આશય સમજ મુશ્કેલ છે.
ચેતનજી પિતે ઉપર પ્રમાણે પ્રતીતિજનક ઉદ્ગારો શુદ્ધ ચેતના પાસે સાંભળી હવે માયા, મમતાને ઉદ્દેશીને પ્રથમ કહે છે કે હે ઠગારીઓ ! તમે હવે મારી પાસેથી ભાગી જાઓ, દૂર થઈ જાઓ, અને હે ચેતના ! તમે હવે જાગ્રત થાઓ અને મને વળગે. આ મમતા અને માયાની સબતમાં પડી તેની બુધિ લઈને ચેતનજી તેને વળગે છે, પણ મારી દૃષ્ટિ તે અનુભવષ્ટિ-જ્ઞાનષ્ટિ જ છે અને તે જ્ઞાનદષ્ટિમાં જે વસ્તુનો સમાવેશ થતો નથી તે સર્વ દગે છે, પર છે, તે વસ્તુ મારી પિતાની નથી, વિશ્વાસ કરવા લાયક નથી. હાલ તે ચેતનજી એટલે કે હું પિતે પારકી બુધિએ ચાલે છું પણ તે મારી પિતાની શુદધ દષ્ટિ નથી, તે સર્વ પર છે, વસ્તુગત ધર્મની તાત્વિક દષ્ટિથી અન્ય છે, અવર છે અને ખાસ મુદ્દાને પ્રસંગ આવે ત્યારે મને પિતાને દગો દેનાર છે, મને હેરાન કરનાર છે, મને ફસાવનાર છે.*
ચેતનજીને જણાયું કે પિતાના સ્વરૂપનું વર્ણન વેદ, પુરાણ, કિતાબ, આગમ, નિગમ વિગેરે અનેક સુપ્રસિધ્ધ ગ્રંથમાં કરેલું છે અને પોતાનું વાસ્તવિક સ્વરૂપ વર્તમાન વિભાવદશામાં દેખાય છે તેથી તદ્દન જૂદું છે. એ હકીકત જાણ્યા પછી અને વળી પિતાને શુદધ ચેતના જેવી સુંદર નવયૌવના પતિવ્રતા સ્ત્રી છે એ વાતથી વાકેફગાર થયા પછી તે માયામમતાનું સ્વરૂપ સમજે છે, વિચારે છે અને પછી તે કહે છે કે-હ ઠગારી માયામમતા ! અત્યાર સુધી હું તમારા તરફ લલચાઈ ગયા હતા, તમને મારી સ્ત્રીઓ સમજતા હતા અને તમારામાં આસકત હતા; પણ હવે મને માલુમ પડે છે કે એ બાબતમાં હું ગાયો - * આ પ્રમાણે અર્થ કરવામાં પ્રથમની પંક્તિના બે શબ્દો માયા, મમતાને ઉદ્દેશીને બેલાયેલા છે અને બીજા બે શબ્દો શુદ્ધ ચેતનાને ઉદ્દેશીને બેલાયેલા બતાવ્યા છે, તેમ જ બીજી પંક્તિમાં ચેતન પિતાને માટે આત્મ શબ્દ વાપરે છે અને “વળગ્યા છે ” એટલા અક્ષરો અધ્યાહાર લેવા પડે છે, એટલે અર્થ તાણી ખેંચીને કરવો પડે છે; પરંતુ પદના આગળ પાછળના ભાવ સાથે તથા ઉપરનાં પદેના ભાવ સાથે આ અર્થ બહુ અનુરૂપ આવે છે. કવિ જ્યાં ઉદ્દગાર કાઢે છે–દયમાંથી ગાને કાઢે છે ત્યારે કેટલુંક નિરંકુશપણું વાપરે છે તેથી આવી રીતે ચેતનજી પિતાને માટે “આતમ” શબ્દ વાપરે અને જ હ ' એ ઉરચાર ન કરે તે તે તેના વિભાવ અને સ્વભાવદશાની ફેરફારવાળી સ્થિતિને યોગ્ય છે એમ ગણી શકાય. વિ૦ ક0
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org