SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પીસ્તાલીસમું પદ ૪૭૭ ટબાકાર આ ગાથા સુમતિના મુખમાં મૂકે છે. તે કહે છે કે–અહિં જે કથન છે તે જડસંગી આત્મારામ પ્રત્યે સુમતિએ કહેલું છે. તે ચેતનજીને પિતાને ઉતાવળે મળવાનું કહે છે અને નહિ તે શુદ્ધ ચેતનાના ઉજજવળ તરંગોમાં મળી જઈ બારમે ગુણસ્થાનકે પોતે જશે અને સુમતિ નહિ રહેશે એમ બતાવી સુમતિ કુમતિની મર્યાદા બતાવે છે. બાકારને આશય એવો જણાય છે કે-સુમતિ પિતે તે શુદ્ધ છે પણ પતિને વિરહ સહન કરી શકતી નથી તેથી પિતે બારમા ગુણસ્થાનકે ઉજજ્વળ આત્મપરિણતિરૂપ ત તરંગોમાં મળી જવાનું કહે છે અને પછી ત્યાં તેનું વ્યક્તિત્વ નાશ પામશે. તેરમાં ગુણસ્થાનકે તે શુદ્ધ કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થાય છે અને સુમતિ કુમતિને લય થાય છે અને શુદ્ધ ચૈતન્ય પ્રગટ થાય છે. આવી રીતે હકીકત કહીને ચેતનજીને પિતાના તરફ આકર્ષણ કરવાને સુમતિને આશય હોય એમ ટબાકાર જણાવે છે. એ પ્રમાણે અર્થ કરવામાં ભાવ ઠીક આવે છે, પણ સુમતિ આવા પ્રકારની ધમકી ચેતનજીને આપે તે પહેલી અને બીજી ગાથાના ભાવને અનુરૂપ લાગતું નથી. સુજ્ઞ વાંચનારે બન્ને અર્થ એગ્ય રીતે વિચારવા. આ આખા પદને આશય ચેતનજીને તેનું શુદ્ધ સ્વરૂપ બતાવી તે પ્રગટ કરવા માટે આગ્રહ કરવાનું છે. એમ કરવા જતાં શુદ્ધ ચેતનાએ એક વાત બહુ સુંદર કરી છે અને તે એ છે કે–ચેતનજીની વાત સર્વ શાત્રેએ કરી છે અને ચેતનછ સર્વત્ર પ્રસિદ્ધ છે. આવા સુપ્રસિદ્ધ ચેતનજી પિતાનું પ્રસિદ્ધ સ્વરૂપે પ્રગટ કરવા લલચાય તે માટે તેને બહુ સુંદર શબ્દોમાં બોલાવ્યા છે અને તે વાત ખાસ લક્ષ્યમાં રાખવા ગ્ય છે. બીજી વાત ચેતન પાસે જ તેને સેવન કરવાની રીતિ કહી બતાવવા સૂચવ્યું છે. એને ગર્ભિત આશય વ્યક્તિભેદે શુદ્ધ દશા પ્રગટ કરવાના માર્ગોનું વિવિધપણું બતાવવાનું છે. ક્રિયાથી, વેગથી, જ્ઞાનથી અને તેના જૂદા જુદા વિભેદથી સેવનની રીતિ પ્રાપ્ત થાય છે. અમુક વ્યક્તિને કઈ રીતિ અનુકૂળ છે તે તેણે યોગ્ય અંકુશ નીચે રહીને શેધી કાઢવાનું છે. આ ઉપરાંત ચેતનજીને પ્રસન્ન રાખવાને જે ભાવ છેલ્લી ગાથામાં બતાવ્યો છે તે પણ બહુ જ વિચારવા યોગ્ય છે. આવી રીતે બેંતાલીશમા પદમાં બે અક્ષર સ્મરણ કરવાની જે વાત કહી છે તે ચેતન અને ચેતનાના અરસ્પરસ ઉદ્દગારથી સ્પષ્ટ કરવાનું સૂચવન ત્યાર પછીનાં બે પદમાં કર્યું છે. આ છેલ્લાં ત્રણે પદેને આશય બરાબર વિચારે. પદ પીસ્તાલીશમું રાગ ટોડી. ठगोरी भगोरी लगोरी जगोरी. ममता माया आतम ले मति, *अनुभव मेरी और दगोरी. ठगोरी० १ * “અનુભવ મેરી ઔર ગૌરી’ એ પ્રમાણે પાઠાંતર બે પ્રતમાં છે. અર્થમાં ફેર પડતો નથી. ૧ ઠગારીeઠગારીઓ, ઠગણીઓ. ભગોરી=ભાગી જાઓ. લગોરી લાગી જાઓ, વળગી. જગેરી= જાગ્રત થાઓ. લે મતિ=મતિ લઈને. મેરી મારી. ઔર તે સિવાય અન્ય. દગોર=દો છે, પર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy