SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ G૨ શ્રી આનંદઘનજીનાં પ સમજણ વગરના છે. આથી વધારે સ્પષ્ટ શબ્દોમાં બેલીએ તે ખરી રીતે આવા મનુષ્યના સંબંધમાં બીજા પ્રાણીઓ શું બેલે છે તે જાણવાની કે તે સંબંધી ગવેષણ કરવાની સુજ્ઞ તત્ત્વચિવંત જીવને ચિંતા જ હોતી નથી. તેનું સાધ્ય તે પિતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવાનું અને તે માટે યોગ્ય સાઘને એકઠાં કરવાનું જ રહે છે. તે બની શકે તેટલું યોગ્ય દિશામાં શુદ્ધચેતના પ્રગટ કરવા મથે છે અને તેમાં જેટલે દરજજે પિતાને ફતેહ મળે તેટલે અંશે તે પિતાને કૃતકૃત્ય માને છે. આવી વસ્તુસ્થિતિ હોવાથી શુદ્ધ ચેતના કહે છે કે-હે મારા નાથ ! મારે તું રાજી રહે તેનું કામ છે, બીજા ગમે તેટલા બોલે મારે માટે બેલશે અથવા બેલે છે તે સર્વ સહન કરવા હું તૈયાર છું અને તૈયાર રહીશ. હે મારા નાથ ! મને આપને મળવાની એટલી બધી અભિલાષા થઈ છે કે મને તે તમારા સિવાય બીજી વાત ગમતી નથી, પસંદ આવતી નથી, ધ્યાન ખેંચનારી થતી નથી. હે નાથ ! આપ હવે તે આપની પ્રિય પત્નીને જલદી મળે, હવે જે આપ મને મળવામાં ઢીલ કરશે તે મેટી ભૂલ થશે. અત્યારે મારે ને તમારે મળવાની જોગવાઈ થઈ છે, માયામમતા આપનાથી દૂર ખસી ગઈ છે અથવા ખસી જવાની સ્થિતિમાં આવી ગઈ છે અને આપનાથી જરા ડરી જઈ આપના પર પિતાનું સામ્રાજ્ય સ્થાપન કરી શકતી નથી, તેવે વખતે આ સુંદર દેહ, ઉત્તમ જાતિ, શરીરસ્વાથ્ય, દેવગુરુને યોગ વિગેરે અનેક પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થયા છતાં પણ જે આપ મને નહિ મળે તે હું સંસારરૂપ ગંગાના પ્રવાહમાં તણાઈ જઈશ, હું નદીમાં પૃપાપાત કરીશ અને પછી મારે અને તમારે વેગ અક્કસ વખત સુધી લંબાશે. સર્વ પ્રકારની અનુકૂળતા પ્રાપ્ત થયા છતાં પણ શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાનો માર્ગ ગ્રહણ કરવામાં ન આવે તે પછી એવી જોગવાઈ સંસારચક્રમાં ક્યારે ફરીવાર મળશે તે કહી શકાય નહિ. આ હેતુને લઈને શુદ્ધ ચેતના કહે છે કે- આપ મને મળશો નહિ તે સંસારસરિતાના પ્રવાહમાં હું નૃપાપાત કરીશ એટલે હું સંસારમાં ઘસડાઈ જઈશ. મતલબ ચેતનજી આવી અનુકૂળ તકને અત્યારે લાભ નહિ લે તે પછી તે સંસારમાં ઘસડાઈ જશે અને પછી પાછો તેને જ્યારે અવસર આવશે તે કહી શકાય નહિ. ચેતના અને ચેતનને અભેદ છે, તેથી ચેતનાએ ગંગાના પ્રવાહમાં પડવાનું કહેવું તે ચેતનજીને તેમાં તણાવા બરાબર છે. અત્ર જે હકીકત બતાવી છે તે બરાબર સમજી શકાય તેવી છે. અનેક પ્રસંગે ચેતનજીને કહેવામાં આવ્યું છે કે તેને અત્ર જેવી અનુકૂળ જોગવાઈ મળી છે તેવી ભવચક્રમાં કઈક જ વખત મળે છે; તેને ઉપયોગ શુદ્ધ દશા પ્રગટ કરવામાં થાય છે તેનું જીવન સફળ થાય છે, નહિ તે તે સામાન્ય વ્યક્તિઓની પેઠે ફગટ ફેરા જેવું જીવન ગાળી સંસારમાં સરી જાય છે, પડી જાય છે, ડૂબી જાય છે. શુદ્ધ ચેતના તેની પિતાની સ્ત્રી છે, તેને અનુકૂળ છે અને તેને મળવાને આતુર છે; સુમતિ પ્રાપ્ત કરી તે દ્વારા પિતાનું પ્રસિદ્ધ શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરી શુદ્ધ ચેતના સાથે અનંત કાળ સુધી વિલાસ કરવાની વિશુદ્ધ વૃત્તિ અને સામગ્રી પ્રાપ્ત કરવાની આવી તક તેણે કોઈ પણ રીતે ફેંકી દેવા એગ્ય નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy