________________
ચુંમાલીસમું પદ
૪૭૧ પતિપ્રાણુ સતી પતિને રાજી રાખવા અનેક પ્રયત્ન કરે છે અને પતિપ્રેમમાં આસક્ત હાઈને લેકની વાતની દરકાર કરતી નથી; તેમ હું પણ તમારા સિવાય અન્ય માટે વિચાર કરતી નથી, તમને પ્રસન્ન રાખવા નિરંતર વિચાર કર્યા કરું છું અને તે સંબંધમાં લેકે મારે માટે વાતો કરે તેની હું દરકાર કરતી નથી.
સુમતિવંત ચેતનની આવી દશા હોય છે. તેને પિતાની શુદ્ધ પરિણતિ પ્રાપ્ત કરવામાં એટલી તલ્લીનતા હોય છે કે તેને લેકેના ઉપરચેટીઆ વ્યવહારની જરા પણ વિચારણું રહેતી નથી. કહેવાનો મતલબ એમ નથી કે વ્યવહાર વિરુદ્ધ તે કઈ પણ કાર્ય કરે છે, પરંતુ વાત એમ છે કે સામાન્ય રીતે કોઈ પણ કાર્ય કરતી વખતે લેકે તે સંબંધમાં શું બેલશે? પિતાની કીર્તિને તેથી કેટલી અસર થશે? પિતાની સ્થિતિને તેથી ગ્યાયોગ્ય શું જણાશે? એ સંબંધી વિચારણા પ્રાકૃત મનુષ્યને વિશેષ હોય છે, તેના કાર્યની રેખા અંકિત કરનાર સ્થળ વ્યવહારનું સાધ્યબિંદુ હોય છે. જ્યારે શુદ્ધ ચેતનનાં કાર્યને મુકરર કરનાર સાધ્ય ચેતનનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાનું, પ્રગટ કરવાનું, વિકવર કરવાનું રહે છે. એને અંગે કોઈ વખત વ્યવહારના માણસે તેના વર્તનને કે આચરણને પ્રાકૃત દષ્ટિબિંદુથી સ્વીકારી ન શકે, તેળી ન શકે એવું બની આવે છે અને તેને પ્રસંગે કઈ કઈ વાર તેની અયોગ્ય રીતે હાંસી કરવાને પણ તેઓ ચૂકતા નથી. આ પ્રમાણે હકીકત હોવા છતાં શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરવાની ઈરછાવાળો સાધ્ય દૃષ્ટિવાન ચેતન પિતાનું વર્તન કરુચિ અનુસારે કરતા નથી પણ સાધ્યપ્રાપ્તિમાં પિતે કેટલે આગળ વધી શકે છે એ દષ્ટિ રાખીને જ પિતાની કર્તવ્યરેખા અંક્તિ કરે છે. કેઈ કઈ વખત તો વ્યવહારુ માણસો તેને બહુ હસે છે, ઉડાવે છે, બનાવે છે, પણ તે અંતઃકરણપૂર્વક સમજે છે કે મારી વાત કરનારા અને મને બનાવનારા બિચારા હજુ તદ્દન સ્થળ ભૂમિકા ઉપર છે અને શુદ્ધ બેધથી કમનશીબ રહેલા હોવાથી જ્ઞાનચક્ષુથી વિકળ છે, વસ્તુતઃ અંધ છે. આવા કારણથી જ શ્રીમદવિજયજી મહારાજે સમાધિશતકમાં લખ્યું છે કે –
જગ જ ઉન્મત્ત ઓ, ઔ જાણે જગ અંધ;
જ્ઞાનીકુ જગમેં રહ્યો, યું નહિ કઈ સબંધ. જગતના લેકે સાધ્ય દણિયુક્ત જ્ઞાનીના વર્તનને ગાંડા માણસના વર્તન જેવું ગણે છે. તેને ત્યાગ કરતો જોઈને, ધ્યાન કરતો જોઈને, મનને નિરોધ કરતો જોઈને તેઓ મનમાં હસે છે, તેનાં ફાટ્યાંતૂટ્યાં કપડાં જોઈને તેની મશ્કરી કરે છે, તેને વ્યવહારનાં નકામાં કાર્યોમાં ભાગ ન લેતે જોઈને તેને મૂઢ કહે છે અને તેના દરેક કાર્યની વાસ્તવિક કિમત સમજવાની પિતાની અશક્તિને લીધે અને પિતાની જેવા બીજા ઘણુ માણસો તે અભિપ્રાયમાં પિતાને મળતા થતા જોઈને પિતાનું ડહાપણું સુમતિવંત જીવને ઉન્મત્ત ઠરાવવામાં વાપરે છે. એ પ્રસંગે સામાન્ય જનસમુદાયના ચાલુ પ્રવાહથી ઊંચે આવેલ જ્ઞાની વિચારે છે કે–પિતાના સંબંધમાં વિચાર કરનારા આ બિચારા અંધ છે, જ્ઞાનચક્ષુથી રહિત છે અને વાસ્તવિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org