SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદો શુદ્ધ ચેતનાના મુખમાં અત્ર કવિએ બહુ ચાતુર્યથી જે વાત મૂકી છે, તે પરમસહિષ્ણુતા બતાવે છે. ભેદમાર્ગ સેવનારા, અભેદમાર્ગ અનુસરનારા તથા બૌદ્ધ, સાંખ્ય, નૈયાયિક, મુસલમાન કે ખ્રિસ્તી સર્વ ધર્મના નેતાઓએ ચેતનજીની વાત સુંદર રીતે કરી છે, ચેતનજીને શુદ્ધ સ્વરૂપે સમજવા અને વ્યક્ત કરવાના માર્ગ પર વિચાર કર્યો છે, જુદાં જુદાં દષ્ટિબિંદુઓથી ચેતનજીને સમજવા પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં તેઓ કેટલે અંશે ફતેહમંદ થયા છે તે પર અહીં વિચાર કરવાનું નથી, પણ શુદ્ધ ચેતનાના કહેવાને આશય એ છે કેકઈ પણ ધર્મનાં પુસ્તકો વાંચવા વિચારવામાં આવે છે તે તેમાં સર્વત્ર ચેતનજીની વાતે એક યા બીજા પ્રકારે કરેલી જોવામાં આવે છે. સત્યને અમુક અંશ લઈને તેને વિસ્વર કરવાના પ્રયત્નમાં સર્વ શાસ્ત્રકારોએ ચેતનજીની પ્રતિષ્ઠા અને મહત્વ વધાર્યા છે અને એટલે દરજજે તેમાંથી સાર ગ્રહણ કરવા યોગ્ય છે. ઘણાખરા ધર્મ પ્રવર્તકની એવી ઈરછા હોય કે પોતે અને પિતાને અનુયાયી વર્ગ પરમાત્મવરૂપની વિવિધ પ્રકારે સેવા કરી તે પ્રાપ્ત કરવાના માર્ગ પર આવી જાય અને તેમ કરી અક્ષય, અવ્યાબાધ, અનંત સુખમય સ્વરૂપ પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવે, આવા સર્વત્ર પ્રસિદ્ધ અને આરાધ્ય પતિને મેળવવા માટે શુદ્ધ ચેતના ખરેખર મગરૂબ થાય તેમાં નવાઈ નથી. હે મારા નાથ ! તમે આવા સુપ્રસિદ્ધ છે. તે હવે આપ આપની વાણી ફેરવીને સેવન કરવાની વિધિ શીખો કે જેથી હું હંમેશા તમારા રસરંગમાં રહું. તમારું સ્વરૂપ જૂદા જૂદા શાસ્ત્રકારોએ જૂદી જૂદી દૃષ્ટિથી બતાવ્યું છે પણ હવે એ સર્વ બાજુ પર મૂકીને તમે પોતે જ તમને આરાધવાની રીત વાણીથી જાહેર કરો અને મને શીખ, સમજાવે, જણાવો. આપ જેવા મોટા માણસો જેની વાત વેદ, પુરાણદિ સર્વ ગ્રંથમાં કરી છે તે તો ઠીક, પણ હવે તે આપ પોતે જ સેવનની રીત મને સમજાવો શું કરવાથી પરમાત્મા પ્રસન્ન થાય? શું કરવાથી આત્મા પરમાત્મપણું પામે અને કેવી રીતે મારા નાથ (તમે) પ્રસન્ન રહે? એ આપ પિતે જ મને સમજાવે. એ શીખીને પછી હું આપના જ રસરંગમાં રહેવા ધારણા રાખું છું અને ગમે તેમ કરી આપને પ્રસન્ન કરવા મારી દઢ ઈચ્છા છે. મારે તે તમે રાજી થાઓ એમ ગમે તે પ્રકારે કરવું છે. મારે બીજું કેઈનું કામ નથી અને મેં જ્યારે આવા વેદપુરાણુ, કુરાન, આગમપ્રસિદ્ધ પતિ મેળવ્યા છે ત્યારે મારે બીજાની ઈરછા કેમ રહે? બીજા તરફ મારે દષ્ટિપાત પણ કેમ થાય ? બીજા તરફ સહજ વલણ પણ કેમ રહે? મતપક્ષ મૂકી દઈ શુદ્ધ સ્વરૂપ સમજવાની ઈરછાવાળા તવરસિક મુમુક્ષુને જ્યારે સમ્યગૂ જ્ઞાન થાય છે ત્યારે તે સર્વત્ર એક્તા અનુભવે છે, ગમે તે ધર્મશાસ્ત્ર વાંચે તો પણ તેમાં સત્યનો અંશ કેવી રીતે આવી રહેલ છે તે તેના ગ્રાહ્યમાં આવી જાય છે અને તે વિરોધના અંતમાં રહેલી એકતા જોઈ શકે છે, તે સર્વત્ર પરમાત્માને આરાધી તત્ત્વસ્વરૂપ પ્રાપ્ત કરવાના માર્ગ પ્રત્યક્ષ દેખી શકે છે અને એ ભાવ એટલે સુંદર છે કે શુદ્ધ ચેતના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy