________________
ચુ'માલીસમુ' પઢ
૪૬૭
“ ચાર વેદ, અઢાર પુરાણુ, કુરાન અને કિતાબમાં તથા આગમ અને નિગમમાં ( તારા સિવાય ) અન્ય મને પ્રાપ્ત થતું નથી. વાણી ફારવીને સેવન કરવાની રીત ( સત્ર તે ગ્રંથામાં) શીખવી છે. ( તેથી ) હું તારા રસરંગમાં રહીશ.
""
ભાવ-શુદ્ધ ચેતના પ્રતીતિજનક ઉદ્ગાર કાઢતાં ચેતનજીને વધારે સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે-હે મારા નાથ ! હુ તમારાં કેટલાં વખાણુ કરું... અને તમારે માટે કેટલા ઊંચા પ્રકારના શબ્દોમાં વાત કરું! હું તે સત્ર આપના જ ખ્યાલ કરું છું અને આપને જ દેખું છું. મારા મનમાં આપના સિવાય બીજા કાઇનું દર્શન પણ થતું નથી, કારણ કે હું કે જ્યાં જોઉં છું, જ્યાં વિચાર કરું છું, ત્યાં આપની જ વાત મારા સાંભળવામાં આવે છે. ચાર વેદ જુએ, અઢાર પુરાણુ જુઓ, હઝરત પેગમ્બરનું કુરાન જુઓ કે તેના અનુયાયીઆના બનાવેલા કિતાબ નામથી પ્રસિદ્ધ બીજા મુસલમાની ધર્મશાસ્ત્રા જુઓ, જેનેાનાં પીસ્તાળીશ આગમ અથવા ઉપનિષદો જે નિગમ× ગ્રંથા તરીકે ઓળખાય છે તે જુઓ; વળી તે ઉપરાંત ખાઇબલ, જરથાસ્ત ગ્રંથા, બુદ્ધધર્મના ગ્રંથા, તર્ક ગ્રંથા કે અન્ય કાઈ પણ ધર્મનાં પુસ્તકા જુએ તેા ત્યાં તારા સિવાય બીજું કાંઇ જોતી નથી. કેાઈ તને ક્ષણિક માને છે, કોઇ તને દેહપ્રમાણુ સમજે છે, કોઇ તને પરમાત્માના અંશ સમજે છે, કાઈ તને પ્રકૃતિપ્રભાવથી પુરુષાકારનું માયાઅવલિપ્ત સ્વરૂપ ધારે છે, કોઇ તને અનિત્ય માને છે, કેાઇ અવિનાશી માને છે, કાઇ કર્માવલિપ્ત પણ વસ્તુતઃ શુદ્ધ ચિદાન દસ્વરૂપ સમજે છે; એમ અનેક પ્રકારે તારા સંબધી વાતા કરે છે; તારું સ્વરૂપ સમજવા યત્ન કરે છે; તારા માટે વિચાર કરે છે; પણ હું ગમે તે ધર્મનાં પુસ્તકો વાંચું છું', વિચારું' છું કે જોઉં છું તે ત્યાં એક અથવા બીજા રૂપે તારી જ વાત જોઉં છું. હું ગમે તે જોઉં છુ તે તારી ને તારી વાત તેમાં છે એમ મારા મન પર અસર થાય છે અને તેથી મારા હૃદય પર તારા સિવાય અન્ય કોઇની વાત કઢિ આવતી જ નથી, અન્યના વિચાર પણ થતા નથી અને અન્ય પર ધ્યાન પણ જતુ નથી. મારા નાથ ! તમે એટલા બધા પ્રસિદ્ધ છે. કે જ્યાં ત્યાં હું આપની જ વાત જોઉં છુ. આપની એવી કીર્તિ જોઇ મારે ઘણું મગરૂબ થવાનુ કારણ છે અને એવા સુંદર પ્રસિદ્ધ પ્રતિષ્ઠિત પતિને મેળવીને અને તેને તેવા ઉત્તમ પુરુષ તરીકે ઓળખીને કઈ સ્ત્રી એવી મૂખ હાય કે તેવા પતિ પર ચેાગ્ય પ્રેમ રાખે નહિ, ચેગ્ય હેત બતાવે નહિ, ચેાગ્ય સ્નેહ સાચવે નહિ.
ધર્મ શાસ્ત્ર. નિગમ=આગમના અર્થીના નિરધાર કરનાર શાસ્ત્રગ્રંથા, ઉપનિષદોને નિગમ કહે છે. કહ્યુ =કાઈ, તારા સિવાય અન્ય. લહુરી=પ્રાપ્ત કરું. વાચાવાણી. ફાર=ફેરવી, પ્રગટ કરી. શીખા=શીખવ્યું છે. સેવનકી=સેવન કરવાની વિધિ. રસરગ્રસના રંગમાં. રહુરી=રહીશ.
'
× અર્થે નિરધાર કરનાર મથને નિગમ કહેવામાં આવે છે તે જૈન શાસ્ત્રથી તદ્દન વિરુદ્ધ છે અને તેના ખંડન માટે પૂર્વાચાર્ય મહારાનએ ‘ આગમ પ્રતિપક્ષનિરાકરણ ’ નામે ગ્રંથ રચ્યો છે. આ પ્રમાણે મને પન્યાસજી શ્રીઆનંદસાગરજી મહારાજ લખી જણાવે છે. ‘ નિગમ ' શબ્દ તેથી આનંદઘનજી મહારાજે ઉપનિષદ્ શબ્દના અર્થ માં વાપર્યાં હાય એમ જણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org