SearchBrowseAboutContactDonate
Page Preview
Page 476
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ શ્રી આન'ઘનજીનાં પા ચેતનજીને ભલામણ કરે છે. અત્ર જે દૃઢ પ્રતિજ્ઞા ચેતનજી સમક્ષ શુદ્ધ ચેતનાએ કરી છે તે માયામમતાની ઉપર સજ્જડ ફટકા મારે તેવી છે, કારણ કે તેમાં આંતર આશય એ છે કે-જેને તમે તમારી માને છે તે તે ઘેર ઘેર ભટકનારી છે, વેશ્યાઓ જેવી છે અને તેઓ એક પણ દિવ્ય મારા જેવુ કરી શકે તેવી નથી. આપના ઉપર એ પણ્યશ્રીએ ગમે તેટલું હેત બતાવતી હાય, રાગ દર્શાવતી હાય, આકષણુ દાખવતી હાય, પણ તે તમારી નથી, તમારી થઈ નથી અને તમારી થવાની નથી. આ ભાવ બરાબર સમજીને મનન કરવા ચેાગ્ય છે. આ ગાથાના એક ખીજા વિદ્વત્તાભર્યાં અર્થ કર્યાં છે. જે એ વાતમાં હૈ પતિ ! તમે દગા માનતા હા કાશી—તે કઈ વસ્તુ છે જેને હું ગ ુરી=ગ્રહણુ કરું છું, એટલે મારા શુદ્ધપતિવ્રતપણામાં આપને દગા લાગતા હાય તા બીજી એવી કઈ વસ્તુ છે, ખીન્ને એવા કાણુ મારા પતિ કે યાર છે જેને હું ગ્રહણ કરું, જેને હું ધારણુ કરું, તે આપ બતાવે. જો કે આપ મારે મંદિરે ઘણા કાળથી આવ્યા નથી છતાં મે' અન્ય પુરુષ સામે દૃષ્ટિપાત પણ કર્યાં નથી અને હું તમારી જ રહી છું, છતાં એ વાતમાં આપને કાંઇ કપટ લાગતુ. હાય તે મારું ચિત્ત કયાં અને કાના પર છે તે બતાવા, આ અર્થ સુંદર છે પણ તેમાં કરવત શબ્દના અર્થ ખીલકુલ રહી જાય છે તેથી ઉપર પ્રથમ અથ કર્યાં છે તે જ યુક્ત છે. શુદ્ધ વસ્તુસ્વરૂપને યથાસ્થિત ધ થયા પછી પણ ચેતનજી જ્યારે બની આવે ત્યારે વિભાવમાં પડી જાય છે, શુદ્ધ એધ પર આવરણ આવવાથી જાણી જોઇને ઘણીવાર શુદ્ધ માથી કંટાળી જઇ મિથ્યાત્વના કુમાર્ગ પર ચઢી જાય છે અને પ્રાપ્ત થયેલ સ ંપત્તિ ગુમાવી બેસે છે; તેને વળી સદ્ગુરુ સુમતિ આપી ઠેકાણે લાવે છે. તેવે પ્રસંગે ખેલવાને સમજવાને યોગ્ય આ પદમાં જે ભાવ આપ્યા છે તે વિચાર કરવા લાયક છે. સંસારદાવાનળથી તપ્ત થયેલા આ ચેતનજીને ખબર પડતી નથી કે પોતે કેનાથી દુઃખી થાય છે અને શા માટે સંસારમાં રખડે છે. એને સત્ય સ્વરૂપ સમજાવવા માટે અત્ર શુદ્ધચેતના સ્પષ્ટ એધ કરી પોતાનું ત્રિકાળશુદ્ધત્વ પ્રતીત કરાવે છે. પેાતે ચેતનજીની કિમત કેટલી ઊંચા પ્રકારની આંકે છે તે સવિશેષપણે વ્યકત કરતી આગળ વધે છે. वेद पुरान कतेब कुरांनमें, आगम निगम कछु न लहुंरी; बाचा रे फोर शीखाइ सेवनकी, * में तेरे रसरंग रहुंरी. तेरी० २ * “ ચાચર ફારી શીખાઈ સખતીકી ” આવી રીતે આ પંક્તિ બન્ને પ્રતમાં છે તેને માટે જુવિવેચન. · તેરે ' ને બદલે ‘તારે ' પાઠાંતર છે. ÷ ૨ વેદચાર વેદ. પુરાન=અઢાર પુરાણ, કરાંન=મહમદ પેગ બરકૃત મુસલમાનનુ ધ શાસ્ત્ર. તેખ= કિતાબ, મહમદ પેગ’બરની પછીના ગ્રંથકારાએ બનાવેલ ધ પુસ્તકા આગમ=પિસ્તાલીશ આગમ, જૈન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy