________________
તેંતાલીસમું પદ
૪૬૩ મુખમાં એ વચન મૂકવાથી પ્રકમભંગ થાય છે. ચેતનજીએ શરૂ કરેલ લયને બનતાં સુધી તો યોગ્ય નથી.
આ પદમાં ચેતનજીએ એક નબળાઈ બતાવી છે તે ખાસ વિચારવા યોગ્ય છે. એ કહે છે કે-મારો સમય પાકશે ત્યારે હું વિશુદ્ધ ગમાર્ગ આદરીશ. આવી રીતે જેનું સ્વરૂપ જાણતા નથી એવા કાળને દેષ દઈ કાંઈ પણ પ્રયાસ કર્યા વગર બેસી રહેવું તે અયોગ્ય છે. જ્યારે બની શકે ત્યારે વિચારવું કે આ સામર્થ્યોગ સાધવાને અવસર વારંવાર પ્રાપ્ત થતું નથી; સામર્થ્યોગ ન સધાય તે તેનાં સાધન એકઠાં કરવાને વખત જતો કરવો ઉચિત નથી. એવી રીતે નિર્ણય કરી બને તેટલું કાર્ય સફળ કરવું. કર્મની ચીકાશ એટલી બધી છે કે જે તેને માર્ગ આપવામાં આવે તો આ જીવને પત્તો લાગવા દે નહિ. ઈરછાયોગ દઢ કરી, સામર્થ્યગનાં સાધને છ દેવાં એ પરમાત્મદશા પ્રાપ્ત કરવાની અને પરમાત્મભાવ પ્રગટ કરવાની ઈરછાવાળાને માટે બહુ જ જરૂરનું છે, ખાસ આદરણીય છે અને બહુ સ્પષ્ટ અક્ષરોમાં નિર્ણય કરીને સમજવા યોગ્ય છે. સામર્થ્યોગનું સ્વરૂપ ઉપદુઘાતમાં વધારે સ્પષ્ટ કરી બતાવ્યું છે તેથી અત્ર વિશેષ ઉલ્લેખ કરવાની જરૂર રહેતી નથી. સ્થિતિ અથવા કાળપરિપકવતા કઈ પણ કાર્યને અંગે ખાસ ઉપયોગી છે, પરંતુ સર્વજ્ઞપણું પ્રાપ્ત થયા પહેલાં કાળસ્થિતિ ક્યારે પાકશે તે કહી શકાય નહિ તેથી અત્યારે તે સમયે થયે નથી, હવે પછી યોગ્ય વખત જોઈ વિશેષ યોગસાધના કરવામાં આવશે એવી વાત કરી પ્રાપ્ત થયેલ જોગવાઈને ગુમાવી દેવી નહિ; વળી આ પદમાં અધ્યાત્મશેલી પ્રાપ્ત કરી નિજસ્વરૂપ એગ સાધવાનું કહેવામાં આવ્યું છે તે પણ ખાસ મનન કરવા યોગ્ય છે. જ્યાં સુધી અધ્યાત્મશૈલી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઉપર ઉપરથી યોગસહણ થાય તો પણ તેની જોઈએ તેવી અસર થતી નથી. અંતઃકરણમાં અધ્યાત્મની ધૂન લગાડીને પરમ સાધ્ય ઉપર નિરંતર લક્ષ્ય રાખીને શક્તિગત આત્મધર્મોને વ્યક્ત કરવાની આવી સુંદર તક જવા ન દેવી એ શુદ્ધ સનાતન ચેતનજીનું અગ્ર કર્તવ્ય છે. ચેતનજીની વર્તમાન પ્રવૃત્તિ સદાચરણમાં તે છે, પરંતુ હજુ શુદ્ધચેતના સાથે તન્મયતા કરાવનાર યોગસંન્યાસને કાળ પ્રાપ્ત થયું નથી તેને માટે આ પદનાં વચન છે. અધ્યાત્મશૈલીમાં રહેલ શૈલેશ શબ્દથી પરમોત્કૃષ્ટ દશા જણાવી છે. આ પદને આ મહાન ઉરચ આશય બહુ દીર્ધદષ્ટિથી વિચારવા યોગ્ય છે અને સામર્થનનું સ્વરૂપ સમજી તેને પ્રાપ્ત કરવાનાં સાધને એકત્ર કરવાને આ અવસર ભૂલવા જેવું નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org