SearchBrowseAboutContactDonate
Page Preview
Page 472
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનંદઘનજીનાં પદો આવે પરમાત્મભાવ છે. એને પ્રાપ્ત કરવા આ પદમાં કહ્યું છે અને ઉપર ચિદાનંદજી મહારાજ જણાવે છે તેમ રાગદ્વેષનો ત્યાગ કરે ખાસ આવશ્યકીય છે. એ પરમાત્મદશાને નિગ સમજ. મેરી તું મેરી તું એવી રીતે બોલવું એ ઈરછાયેગ છે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષેપશમને લીધે સાંભળેલી હકીકતનું અર્થજ્ઞાન મેળવી તે પ્રમાણે કાર્ય કરવાની ઈચ્છાવાળે પ્રાણ પ્રમાદથી ન કરી શકે, મતલબ અંતઃકરણમાં સૂત્રાર્થનું ઈચ્છકપણું હોય પણ ધર્મવ્યાપાર સામર્થ્યગ કરી શકે નહિ તેને ઈચ્છાગ કહે છે આ ઈરછાયેગ પ્રાણી ઘણીવાર કરે છે પણ તે તેની નબળાઇ બતાવે છે. અહીં ત્રીજી ગાથામાં જે ભાવ બતાવ્યું છે તે ઈચછા ગ છે અને સામર્થ્યગ પ્રાપ્ત કરી શ્રી આનંદઘન પ્રભુ સાથે કડા કરવાનું ચેતનજીનું સાધ્ય છે. એ સામર્થ્યાગમાં સિદ્ધિપદપ્રાપ્તિ રહી છે. એ વેગમાં શાસ્ત્રમાં બતાવેલા ઉપાય ઉપરાંત ચેતનજી પિતાની અધિક શકિત ધર્મવ્યાપારમાં વાપરે. એના ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એવા બે ભેદ છે. મેહનીય કર્મના ક્ષપશમરૂપ ધર્મસંન્યાસ છે અને ચીદમાં ગુણસ્થાનકે ગર્ધનરૂપ સંન્યાસ છે. અપૂર્વકરણ ગુણસ્થાનકથી ધર્મસંન્યાસ સામર્થ્યગ થાય છે. પછી વિશેષ ગુણપ્રાપ્તિ થતાં એ સંન્યાસમાં પ્રગતિ થતી જાય છે. અને સર્વવિરતિના ગુણો વધારે વધારે અંશે તેને પ્રાપ્ત થતા જાય છે. ક્ષપકશ્રેણી માંડનારને યાવકેવળજ્ઞાન પ્રાપ્ત થાય, લેકાલેકના સ્વરૂપને સાક્ષાત્કાર થાય અને જે વેગશેલેશી અવસ્થામાં પણ પ્રાપ્ત થયેલ રહે તે મહાવિશિષ્ટ યોગને વેગસંન્યાસ સામર્થ્યાગ કહે છે. નિરુપમ રૂપની શક્તિ જગાવવાની અહીં જે વાત કરી છે અને પરમાત્મસ્વરૂપને નિજયોગ ધારણ કરવાનું કહ્યું છે તે આ સંન્યાસ સામર્થ્યોગ સમજ. હે સુમને ! છેવટે હું આ યોગ પ્રાપ્ત કરવાને છું, ઈચ્છાગ મૂકી દઈ શાસ્ત્રોગ કે જેમાં દ્રવ્યાદિના સ્વરૂપના શુદ્ધ બેધ સાથે શુદ્ધ પ્રવૃત્તિ પ્રાપ્ત થાય છે તેથી પણ આગળ વધી જયારે હું સામર્થ્યગના બીજા પેગસંન્યાસ વિભાગમાં આવી જઈશ ત્યારે આનંદસ્વરૂપ સાથે ક્રિડા કરીશ. હું તને ખાતરી આપું છું કે તું મારી જ છો અને છેવટે હું તને મળવાને છું; તારે જરા પણ ચિંતા કરવી નહિ, જરા પણ રડવું નહિ, જરા પણ ડરવું નહિ. આ પદની આ ગાથાને અર્થ કરતાં ટબાકાર કહે છે કે-સુમતિ શ્રદ્ધાને પૂછે છે કે ચેતન મને કયારે મળશે? તેના જવાબમાં શ્રદ્ધા કહે છે કે-ભવને પરિપાક થશે ત્યારે ચેતનજી પિતાનું સ્વરૂપ વિચારતો પરમાત્મવરૂપ ચિંતવવાને સંગ ધારણ કરશે તે વખતે ઉપમારહિત એવી નિજસ્વરૂપની શક્તિ-સામર્થ્યને તે જગાવશે અને તેમ થતાં જ તું આનંદઘન સાથે મળી એકીભૂત થઈને કેલિ કરીશ એટલે કે ચેતનજી તે વખતે આત્મારામના સ્વરૂપમાં રમણ કરશે. આ ભાવ પણ સારે છે, લગભગ ઉપર કરેલા અર્થ જે જ છે, માત્ર શ્રદ્ધાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy