SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ તે'તાલીસમુ' પદ ૪૬૧ રીતે અધ્યાત્મના-ચેતનજીના વિષયની ધૂન આવે તેને અધ્યાત્મશૈલી કહેવામાં આવે છે. જ્યારે તેવી ધૂન આવે છે ત્યારે આત્મા સંબંધી વાત, વિચાર અને કાર્યો કરવામાં જ રસ આવે છે. આવી અધ્યાત્મશૈલી તેા કાળસ્થિતિ પરિપકવ થશે ત્યારે ચેતનજીને પ્રાપ્ત થશે. પાંચ કારણુ એકત્ર થાય છે ત્યારે એક કાર્ય બને છે: કાળ, સ્વભાવ, ભવિતવ્યતા ( નિયતિ ), પૂ`કૃત( કમ ) ને ઉદ્યમ. આમાં કાળ એ એક ઉપયોગી કારણુ છે. ચેતનજી કહે છે મારી કાળપરિણતિ જ્યારે પરિપકવ થશે ત્યારે પરમાત્માના નિજયાગ ધારણ થશે. હાલ તે હૈ સુમતિ ! ચાલે છે તેમ ચાલવા દેવુ' પડશે. પરમાત્મ-સાધ્યસ્વરૂપ પ્રાપ્ત કરવાના યોગ જ્યારે પ્રાપ્ત થશે ત્યારે આત્માથી સિદ્ધ કેમ થવાય ? સિદ્ધ દશાના અહીં કેવી રીતે અનુભવ થાય? અને સાધકદશામાં સ્વરૂપ કેમ પ્રાપ્ત થાય ? એ સર્વ શક્તિગત ધર્મી સ્વસ્વરૂપે પ્રાપ્ત થઈ શકે તેની ચેાગ્ય વિચારણા અને ચેાજના થશે. પથ્થરમાં જેમ સુવર્ણ, દૂધમાં જેમ ઘી, તલમાં જેમ તેલ સત્તાગત શક્તિરૂપે રહેલ છે, તેમ શરીરમાં શક્તિરૂપે વ્યાપી રહેલ પરમાત્માને જોવા તે નિજસ્વરૂપ ચોગદર્શન છે. નિર્વિકાર નિર ંજન નિજસ્વરૂપને કાણાન્તર્ગત અગ્નિ પેઠે જોઈ શકે તે સામર્થ્યયાગની લાયકાતવાળા ચેતન આનંદઘનસ્વરૂપ સાથે મળી આનદ કરે છે. શુદ્ધ ચેતનાને પ્રાપ્ત કરવાની દૃઢ ઇચ્છાવાળા પણ હુ પૌદ્દગલિક પદાર્થના મેહમાં આસક્ત અને પ્રસંગ મળતાં તેમાંથી બહાર નીકળી આવવાની દૃઢ ઇચ્છાવાળા આ ચેતન હજુ દૃઢ નિશ્ચય કરીને 'સારદશાના ત્યાગ કરી શકતા નથી અને તેથી સુમતિને કહે છે કે-તારે ડરવું નહિ, હું તારા જ છુ. ગષ્ટિસમુચ્ચયમાં ઇચ્છાયાગનું સ્વરૂપ બતાવ્યું છે તે બરાબર મળતું આવે છે. આવી રીતે ચેતનજીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ભાવના થઇ છે તે સંબંધમાં બહુ હકીકત લખી શકાય. પરમાત્મભાવ સમજવા માટે ચિદાનન્દજી મહારાજની પરમાત્મ ત્રીશી અને યશેાવિજયજી મહારાજની પરમાત્મ પચ્ચીશી ખાસ વાંચવા લાયક છે, મનન કરવા ચૈાગ્ય છે. અહીં સ્થળસ કાચથી તે આખી આપી શકાય તેમ નથી. પ્રથમ છત્રીશીનાં ઉપયાગી કવને અહીં બતાવીએઃ— * પરમાતમ પદનાસ. રાગ દ્વેષકે નાસત', પરમાતમ પરફાસ; રાગ દ્વેષકે જાગતે, લાખ ખાતકી બાત ચહ, તાકુ દેય મતાય; જે પરમાતમ પદ ચહે, રાગ દ્વેષ તજ ભાય, દેહ સહિત પરમાતમા, એહ અચરજકી બાત; રાગ દ્વેષકે ત્યાગત, કર્મ શક્તિ જરી જાત. ભાઈ એહ પરમાતમા, સેા હે તુમસે યહિ; અપણી શક્તિ સંભારકે, લિખાવત દે તાહિ ચિદાન’છકૃત પરમાત્મ છત્રીશીની આ અનુક્રમે ૨૩, ૨૫, ૩૨ અને ૩૫ મી ગાથા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy