SearchBrowseAboutContactDonate
Page Preview
Page 469
Loading...
Download File
Download File
Page Text
________________ તેંતાલીસમું પદ ૪૫૯ છે અને માનસિક ભવ્ય દશામાંથી વ્યવહારિક વિમળા દશામાં આવી સુમતિને ભેટવાને તેને સુંદર પ્રસંગ છે. જરા વિશેષ આત્મવીર્ય સ્કુરણ થતાં તે વિશુદ્ધ માગને આદરશે એમ તેનાં હૃદયજ્ઞાનથી જણાય છે. કઈ પણ કાર્યને કેમ વિચારશું તે આપણને સહજ માલુમ પડશે કે વિશુદ્ધ કે અશુદ્ધ કાર્ય પ્રથમ તે વિચારદશામાં-માનસિક પરાવર્તમાં જ હોય છે. કઈ પણ કાર્ય કરવા પહેલાં તેને વિચાર થાય છે; સુંદર મહેલ બાંધવા પહેલાં જેમ પ્રવીણ ઈજનેર નકશે કરે છે અને તેની પહેલાં પણ મનમાં ભવિષ્યમાં કરવાના મહેલની આકૃતિ ખડી કરે છે તેમ અમુક કાર્ય કરવા પહેલાં મનમાં તેનું ચિત્ર ખડું થાય છે, કેટલાક કાળ તેનાં ગુણદોષ પર વિચાર ચાલે છે અને વિચાર થતાં થતાં વચન દ્વારા તેને સ્પષ્ટ ઉચ્ચાર થાય છે અને છેવટે તે વ્યવહારુ રીતે અમલમાં મૂકાય છે-આ કાર્યક્રમ સ્વાભાવિક છે. વાત માત્ર એટલી જ છે કે કેટલીક વ્યક્તિઓ વિચારકાળમાં બહુ વખત કાઢી નાખે છે અને એકંદર ક્રિયાને અંગે પ્રગતિ ઓછી કરે છે. વિચારકાળ પણ બહુ સુંદર છે અને તદ્દન અવ્યવસ્થિત સ્થિતિને બદલે સુંદર માર્ગદર્શક છે, પણ તેમાં પરિપૂર્ણતા માની બેસવાની નથી. વિચારકાળ જેમ બને તેમ ટૂંક કરી અને તે ટૂંકા કાળમાં પણ ગ્ય વિચારની તુલના કરી વ્યવહારુ રીતે કિયાકાળમાં-વર્તનમાં આવી જવાની બહુ જરૂર છે. અહીં ચેતનજી ઘણું ખુલા શબ્દોમાં સ્વીકારે છે કે જ્યારે હું મારું પદ સંભારીશ, મારી સ્થિતિને ખ્યાલ કરીશ ત્યારે તારે પ્રસંગ જરૂર કરીશ, સાથે તે બેલે છે કે અત્યારે હું જેને પ્રસંગ કરું છું તે સુવર્ણ નથી, પીતળ છે, આટલું જાણવા છતાં મુદત લંબાવે છે એ અગ્ય છે અને તેનું મંદાધિકારીપણું બતાવે છે. પ્રગતિ કરવા માંડ્યા પછી તો સાધ્યપ્રાપ્તિ બે ઘડીમાં થઈ શકે અને અર્ધ પુદ્ગલપરાવર્તન જેટલે કાળ પણ સંસારમાં રહેવું પડે. ઉત્તાધિકારીનું કાર્ય એ છે કે વિશુદ્ધ માર્ગના સ્પષ્ટ બંધ પછી કાળસ્થિતિના કે એવા વિચિત્ર કાલ્પનિક ખ્યાલ ઊભા કરી પોતાની પ્રગતિ અટકાવી દેવી નહિ. ગમાર્ગ પર જ્યારે પ્રેમ આવે છે ત્યારે પિતાનું પદ સાંભરે છે, સાયનું ભાન થાય છે અને તેના પર ધ્યાન દેવાય છે. એ માર્ગ આદરવાથી સુમતિને મેળાપ થાય એમાં કાંઈ નવાઈ જેવું નથી. ચેતનજી તેટલા માટે જે ઉપર કહે છે તેને ભાવ એ છે કે જ્યારે હું ચોગમાર્ગ આદરીશ ત્યારે મારે તારે પ્રસંગ થશે. યોગમાર્ગ તેનાં અંગો સાથે આદરવામાં આવે ત્યારે એવી મજા આવે છે કે પછી મમતાના તુચ્છ વિષયનું કિલષ્ટપણું સમજાઈ જાય છે અને તેઓ ઉપર નજર નાખવી પણ ગમતી નથી, તે જાણે ઉચ્છિષ્ટ ભજન હોય તેના જેવા લાગે છે. ચેતનજીને હવે વિચારકાળથી આગળ ચલાવી કાર્યકાળમાં લવ એ ભાવ ઉપરથી સમજી લેવાનો છે. અપને પદ ” એટલે પોતાની સ્થિતિ. પિતાને ભે–પોઝીશન શું છે અને પિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy