________________
સ
શ્રી આનઘનજીનાં પા
જરા ઘણુથી અસલ સ્વરૂપ પ્રગટાવી શકાય છે અને એવા સેાના પર જ ભારે હીરામાણેક જડી શકાય છે. કાષ ઉદ્ધતાઈ કરી ભારે હીરાને પીતળમાં જડવાના વિચાર કરે અથવા જડે તે તેમાં તેવા ગાંડા વિચાર કરનારની સૃર્ખાઇ જ જણાઈ આવે છે.+ તેથી પીતળ જેવી માયામમતા ઉપર મારા અમૂલ્ય સદ્ગુણ્ણાને કેમ જડાવુ ? જો તેમ કરું. તા મારી અજ્ઞતા પ્રત્યક્ષ દેખાય. જ્યારે હું કાણુ છું ? તેના વિચાર કરીશ, જ્યારે મારું સહજ સ્વરૂપ હું સંભારીશ ત્યારે તારા પ્રસંગ જરૂર કરીશ-હજી અત્યારે તે મને તેમ કરવાને અવસર પ્રાપ્ત થયા નથી, મારે હજી કેટલીક અગવડ છે તે દૂર કરીને પછી એ પરભાવરમણ કરાવનારી સ્ત્રીઓના પ્રસંગ તજી દઈ તારા સંબંધમાં નિર ંતરને માટે રહેવાના છું. આ પ્રમાણે કરવા મારા મનમાં ભાવના જાગ્રત થઇ છે પણ હજુ તેમ કરવા માટે સમય આવી પહેાંચ્યા નથી.
ચેતનજી અત્ર જે વાત બતાવે છે તે ઉત્ક્રાન્તિમાં હજી તે કેટલા ચડ્યો છે તે બતાવે છે. ગુણુસ્થાનક્રમારેાહમાં હજી તે માત્ર માનસિક પરિવર્તનના ભાવનાકાળ સુધી વધી શકો છે, હવે તેને માયામમતાથી ભોગવાતા વિષયનુ વિરસપણું દેખાય છે પણુ અનાદિ અભ્યાસને લીધે તેને ત્યાગ કરી શકતા નથી. તે મનમાં સત્ય સ્વરૂપ સમજવા છતાં ડરે છે કે એ વિભાવદશાના ભાવેા વગર પેાતાને ચાલી શકશે નહિ. આથી તે સમતાને કહે છે કે-હજી મારી કાળસ્થિતિ પરિપકવ થઈ નથી. આવી વાત કરવી એ પણ એક પ્રકારની નબળાઈ છે, કારણ કે કાળસ્થિતિ પરિપકવ થઈ છે કે નહિ તે દ્વિવ્ય જ્ઞાન વગર કાઇથી કહી શકાય નિહ. પુરુષાર્થ કરી કસમૂહનો નાશ કરવા માટે જ ઉત્તમાધિકારીએ પ્રયાસ કરવા જોઈએ. પછી નર્દિષેણ જેવી સ્થિતિ કદાચ પ્રાપ્ત થઈ જાય તે તેમાંથી પશુ નીકળી આવવા પ્રયત્ન કરવા જોઇએ, પણ પ્રયાસ કર્યાં પહેલાં જ ચેતનાને કહેવુ` કે-જ્યારે મારી સ્થિતિને વિચાર કરીશ ત્યારે તને મળીશ એ તે એમ બતાવે છે કેતુ વિશુદ્ધ માર્ગ જાણું છું અને આદરણીય છે એમ કબૂલ કરું છું, છતાં અવિશુદ્ધ માગે પ્રયાણુ કરું છું. આવી રીતે ખેલવુ એ જેમ મંદતા બતાવે છે તેમ એટલુ પણ બતાવે છે કેગુણસ્થાનઆરાહમાં ચેતનજી હજુ બહુ આગળ વધ્યા નથી, છતાં એનું સાધ્ય શુદ્ધ મા તરફ છે, એને એક સુંદર પરિવર્તન મળતાં એકદમ શુદ્ધ માર્ગ પર આવી જવાના સંભવ
+ સંસ્કૃતમાં એક પ્રાસ્તાવિક શ્લોક છે તેમાં આવા જ ભાવ બતાવ્યા છે. નમૂવાસથ્થળોચિતો, તિ માળન્નીળિ વધીયસે; ન મેં વિદૈતિન નવિન શોમતે, મતિ ચોચતુર્વચનીયતા. મતલબ એ છે કે સોનામાં જડવા યોગ્ય ભારે મણિને કદાચ લેહામાં જડવામાં આવે તો તે કાંઇ કાઇની પાસે રડતા નથી, પણ તેના સબંધમાં તેવી યોજના કરનારની ટીકા થાય છે. આવા ભાવ પદમાં બતાવ્યા છે તે વિચારવે
* I know the better course and approve of it, but follow the worse. Baon's Advancement of Learning Vol. II.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org