SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૬ શ્રી આનઘનજીનાં પદ્મા પેાતાની ગતિ પકડી લે ત્યારે તે સુમતિને કહી શકે કે એ માયામમતા હજુ મારે કેડા મૂકતી નથી પણ તે મારી સાથે એક બે દિવસ ખાટી લડી મને હેરાન કરશે, ખાકી એ વાતથી તારે જરા પણ ડરવાનુ નથી. ત્રેવીશમા પદમાં જણાવ્યું છે તે પ્રમાણે દોઢ દિવસ એ ટૂંકો વખત બનાવનાર સંજ્ઞાસૂચક શબ્દ છે. આપણે વ્યવહારમાં કહીએ છીએ કે બેચાર દિવસમાં અમુક કામ કરી નાખીશ, એટલે ટૂંકા વખતમાં કાર્યો થઈ જશે એવા જ ભાવ ઢાઢ દિન શબ્દથી મારવાડી ભાષામાં નીકળે છે. ટમકાર એના અને અગે એક નવીન શૈલી વાપરી તે શબ્દ સમાવે છે તે આપણે આગળ જોશું. ભવ્ય જીવની ગતિ હવે શુદ્ધ આત્મભાવ પ્રગટ કરવા તરફ થઈ છે પણ હજી તે અનાદિ સંબંધને લીધે વારંવાર વિભાવ તરફ ખેંચાયા કરે છે. અત્યારે પોતાની શુદ્ધ દશાના સ્પષ્ટ ભાનને લઇને તે સમતાને કહે છે કે-તારે જરા પણ ભય રાખવાનું કારણ નથી, હું તને સ્પષ્ટ રીતે કહું છું કે–તુ આખરે મારી જ છે અને મારા ઘરની દેવી છે. માયામમતાના ભૂલાવે ખવરાવનારા દેખાવથી હું' સČથા તેમની પાસે રહીને તને વિસરી જઇશ એમ હવે તારે ધારવું નહ અને એ વાતને તારે જરા પણ ભય રાખવા નહિ, ટબાકાર આ ગાથાના ભાવ બતાવતાં લખે છે કે:-ચેતનજી સુમતિને કહે છે કે વ્હે સુમતિ ! આખર એટલે ભવભ્રમણના પાકકાળ હવે પ્રાપ્ત થયા છે એટલે મારા ભવભ્રમણના છેડા આન્યા છે. પાલેા અનંત કાળ તે એક દિવસ સમજવા, કારણુ અનંતતા એક છે, અને જે દિવસે અથવા રાત્રે હું કુમતિને ઘરથી બહાર કાઢી મૂકીશ તે અરધા દિવસ, આવી રીતે કુલ દોઢ દિવસ કુમતિ તારી સાથે ફાકટ લડે છે (લડશે) અને લડતાં લડતાં ખેલે છે (બેલશે) કે ચેતનજી મારા પતિ છે, ચેતનજી મારા પતિ છે, પણ એના લડવાથી કાંઈ વળવાનું નથી. ભવભ્રમણના છેડે આવી ગયા છે અને તેથી માયામમતા કદાચ દોઢ દિવસ લડશે, પણ પ્રિયે ! તુ મારી છે. અને તેનાથી તારે જરા પણ ડરવાનું નથી. તારી સેાબતથી હું ભવભ્રમણુના છેડા લાવી શકીશ. આ ભાવમાં દોઢ દિવસના જે અથ ટખાકારે કર્યાં છે તે ધ્યાન ખેંચનારે છે. પૂર્વના અનંત કાળને એક દિવસ ઠરાવ્યેા છે અને જે દિવસે માયામમતાને હાંકી મૂકી સુમતિ સાથે સંબધ દૃઢ કરવામાં આવે તે દિવસ અથવા રાત્રિ ( આખા દિવસના અધ ભાગ )ને અરધો દિવસ ગણી તેટલેા કાળ-દોઢ દિવસ મમતાર્દિક ફોકટ લડે છે એમ બતાવી તેનાથી ભય ન રાખવાનું આશ્વાસન ચેતનજી સુમતિને આપે છે એવા અત્ર ભાવ છે. एती तो हुं जानूं निहचै, रीरी पर न जराउ जरैरी; जब अपनो पद आप संभारत, तब तेरे परसंग परैरी. मेरी० २ * જુઓ પૃષ્ઠ ૨૭૩ ૨ એતી=એટલું. નિહઐનિશ્ચે, નક્કી. રીરી=પીતળ. જરાઉ=જડાવ, ઝવેરાત, હીરામાણેક, જરૂરી=જડાય. જ=જ્યારે, અપનામારું', પોતાનું પદસ્થાન, સ્થિતિ સંભારત=સંભારીશ, યાદ કરીશ. પરસ’ગ=પ્રસંગ, સાબત. પરોરી=પડીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy