SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ તેંતાલીસમું પદ ૪૫ “ચેતન સમતાને કહે છે “તું મારી છે, તું મારી છે. તું શા માટે કરે છે ? બીજી છે તે તે છેવટે દેઢેક દિવસ બેટી લડશે.” ” ભાવ-ચેતનજીએ મિથ્યાત્વને ત્યાગ કર્યો અને રાગદ્વેષને સંગ છેડી દેવાનો નિશ્ચય કર્યો એ આપણે ઉપરના પદમાં જોયું. ત્યાં અનંત મરણોનું કારણ શું છે તે પણ તેને સમજાયું અને છેવટે તેણે પિતાની ગતિ પકડવાનો નિશ્ચય કર્યો. આવી રીતે પ્રગતિ કરનાર જ્ઞાનદષ્ટિમાં વર્તતે ચેતન જે અત્યાર સુધી સમતાની સામું પણ તે નહતું, જે તેના મંદિરે આવતે પણ નહોતું અને જેણે અનુભવ તથા શ્રદ્ધા વિગેરેની મારફતે મેકલેલા સંદેશાઓની દરકાર પણ કરી નહોતી તે હવે સમતાને પિતાના દિલની હકીકત કહેતાં જે કહે છે તે પર અત્ર આ પદને પ્રથમ વિભાગ છે. હે સુમતિ ! તું શા માટે ડરે છે? તારા મનમાં ભય શા માટે રહે છે ? બધી વાતને વિચાર કરતાં મને જણાય છે કે-તું મારી છે, મારી એગ્ય સ્ત્રી છે અને મારા ઘરમાં રહેનારી છે. હવે હું બહુ સારી રીતે સમજો છું કે મારામાં અને તારામાં કોઈ તફાવત નથી, મારે અને તારે અભેદ છે, મારી અને તારી વચ્ચે બીજું કંઈ પણ નથી અને હું અને તું આખરે એક જ છીએ. હું સમજું છું કે હજુ તને માયામમતાની કે બીજા વિભાવોની બીક લાગે છે પણ તારે તે બીક રાખવાની જરૂર નથી. હું તને ચક્કસ કહું છું કે વસ્તુતઃ તું જ મારા ઘરની સ્ત્રી છે અને છેવટે મારે અને તારે જ સંબંધ બરાબર જામશે. તારા વિલાપ સાંભળીને, તારા વિરહાલાપનું વર્ણન અનુભવને મુખે સાંભળીને ને અને તારી સ્થિતિનું પ્રત્યક્ષ સ્વરૂપ નજરે જોઈને મારે તને કહેવું પડે છે કે તું શા માટે ડરે છે? તું શા માટે બીહે છે? આ માયામમતા આદિ તારા સમવડીયા છે તે તારી સાથે દોઢ દિવસ લડશે, છેડો વખત તારી સાથે ચડભડ કરશે, મને ખેંચી ખેંચીને સંસારમાં લઈ જવા પ્રયત્ન કરશે, મને અનેક પ્રકારની લાલચ આપશે, સ્થળ સુખ બતાવશે, સંસારમાં મમત્વ કરાવશે અને ભવાટવીમાં રખડાવશે; એ પ્રમાણે તારી પાસે મને નહિ આવવા દેવા માટે બનતા સર્વ પ્રયત્ન કરશે પણ તે પ્રયત્ન હવે વધારે વખત ચાલવાના નથી, દેઢ દિવસ-ડે વખત સુધી તે પ્રયત્ન ચાલશે, એક બે દિવસ મારી તકરાર કરશે, મને મુંઝવશે, તારે મહેલે આવવાના માર્ગ પર આડા બેસી મને લલચાવશે પણ તું ખાતરી રાખજે કે અંતે તે તું જ મારી છે અને હું સર્વથા તેને ત્યાગ કરી તારે મહેલે હંમેશને માટે આવવાને છું. ભવ્ય જીવની જ્યારે આત્મપરિણતિ જાગે છે ત્યારે તેના મોઢામાં આવાં જ વાક્યો હોય છે. ભવ્યત્વની છાપથી કાંઈ સુમતિને નહિ ડરવાનું કહી શકાય નહિ, કારણ કે અભવ્ય ને કેટે વળગેલા અનંત જી એ જ સ્થિતિમાં માયામમતા સાથે રખડ્યા કરવાના છે; પરંતુ જ્યારે ચેતનજી પ્રગતિ કરવા લાગે, મિથ્યાત્વને ત્યાગ કરે, સમકિત મેળવે અને Jain Education International ucation International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy