SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫૨ શ્રી આનંદઘનજીનાં પદે સર્વ કર્મથી મુક્તિ થતાં તે ચેક થઈ જાય છે, કર્મમળ તેને દૂર થાય છે અને તેથી તે શુદ્ધ સ્થાનમાં વાસ કરે છે, અને ત્યાં નિરાંતે બેસે છે. બીજો અર્થ એ છે કે-તેવા ચકખા થઈને પછી સર્વ વસ્તુઓનું તેઓમાં રહેલા સ્વભાવ સ્થિતિસ્વરૂપે અવલોકન કરશું. પછી અમને વિષયનું વિરસપણું, સાંસારિક જનું અજ્ઞપણું, પીગલિક પદાર્થોનું અસ્થિર પણું, શુદ્ધ ચેતનજીનું ગુણરમણપણું અને એવી અનેક બાબતમાં વસ્તુસ્વભાવગત યથાસ્થિત ધર્મોનું અવલોકન કરવાને પ્રસંગ બની આવશે. ત્યાં બેઠા બેઠા અનંત જ્ઞાનથી દુનિયાનું સ્વરૂપ, જીવસ્વભાવની વિચિત્રતા બરાબર લક્ષ્યમાં આવશે. આવી રીતે અવલેકન કરવાની સ્થિતિ મોક્ષમાં પ્રાપ્ત થાય છે એટલું જ નહિ પણ જ્યારે ચેતનજી પિતાની ગતિ પકડી લે છે અને મોક્ષમાર્ગ તરફ પ્રબળપણે પ્રગતિ કરે છે ત્યારે પણ વધારે વધારે શુદ્ધ આકારમાં પ્રાપ્ત થતી જાય છે અને તેના પરિણામે ચેતનજીને જે નિશ્ચય ધારણામાં થતા જાય છે તેને વ્યવહારુ આકારમાં મુકવાથી તેને સ્થિરવાસ થતા જાય છે અને છેવટે તે અચળ સ્થિરતા પ્રાપ્ત કરે છે. એટલા માટે અમરત્વ પ્રગટ કરવાની ઈચ્છા હોય તેણે પિતાની સ્વાભાવિક ગતિ પકડવી જોઈએ. * “નિખરે અર્થ અવલોકન કરશું અથવા નિખાલસ થઈને રહેશું એ બને થાય છે. સ્થિરવાસ થયા પછી અવલોકન પણ બરાબર થાય છે અને નિખાલસ થઈને રહેવાય છે. मर्यो अनंत वार बिन समज्यो, अब सुख दुःख विसरेंगे; आनंदघन निपट निकट अक्षर दो, नहि समरे सो मरेंगे. अब० ४ (આ ચેતન) સમજ્યા વગર અનંત વખત મરણ પામે, હવે સુખ અને દુઃખને ભૂલી જશે. હે આનંદસમૂહ ભગવાન! નિરધાર બે અક્ષર જે પિતાની અત્યંત નજીક રહેલા છે તેને જે નહિ સંભારે તે મરશે.” ભાવ-વ્યાધિનું નિદાન સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શકતી નથી તેવી રીતે મરણરૂપ વ્યાધિનું કારણ સમજ્યા વગર તેની ચિકિત્સા થઈ શકતી નથી. હવે તેને સમજાયું કે વસ્તુસ્વરૂપ સમજ્યા વગર તે સુખ મેળવવા અને દુઃખને ત્યાગ કરવા પ્રયત્ન કરતે હિતે તેને સુખ સ્થળ આકારમાં થાય ત્યારે તે રાજી થતું હતું અને જરા દુઃખ થાય ત્યારે દિલગીર થતું હતું, પરંતુ સુખદુઃખનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેને તેને બિલકુલ ખ્યાલ નહે. મરણવ્યાધિનું કારણ આવી સુખદુઃખની ખેતી વહેંચણ જ હતી એ હવે * નિરખેંગે હોય તે નિરખવું-જવું અર્થ બરાબર લાગે, પરંતુ આ પાઠ મારાથી કરી શકાય નહિ અને મુશ્કેલી એ છે કે આ પદ કેાઈ પ્રતમાં મળતું નથી. ૪ બિન સમ=સમજ્યા વગર વિસરેંગે=ભૂલી જઈશ. નિપટ=નિરધાર, નિઃશંક. નિકટ નજીક રહેલા, પોતાની પાસે રહેલા. અક્ષર દેએ અક્ષર ( જુઓ વિવેચન ). સમરે સંભારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy