SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી આનઘનજીનાં પદ્મા “ શરીર નાશવંત છે અને હું અક્ષય છું ( તેથી હું તે) આપણું પેાતાનું સ્વરૂપ પકડી લઈશ; ( ત્યારે ) તે નાશવ ંત વસ્તુ નાશી જશે અને હું સ્થિરવાસ કરનાર છું (તે) નિર્મળ થઈને અવલાકન કરીશ અથવા નિખાલસ થઇને રહીશ. ” ૪૫૦ ભાવ-વળી ચેતનજી કહે છે કે-આ શરીર છે તે તેા નાશવંત છે; તે તા સડી જશે, પડી જશે અને અંતે કાં તા ભસ્મીભૂત થશે, કાં તે માટીમાં મળી જશે અને કાં તે ગીધ, કાગડા, કૂતરા તેનું ભક્ષણુ કરશે. એ શરીર જેના પર અજ્ઞાનદશામાં મોટો મમત્વ બધાય છે, જેને પાષવાને માટે અનેક પ્રકારની ઉપાધીઓ કરવામાં આવે છે અને જેને અનેક રીતે પંપાળવામાં આવે છે તે તે આખરે નાશવ'ત છે અને તેની અંદર રહેલ. હું જે તેને ગતિમાં મૂકુ છું તે તે અવિનાશી છું, શાશ્વત છું, અક્ષય છું. શરીરના અને મારા સંબંધ જ એવા વિચિત્ર પ્રકારના છે કે તે ટકે નહિ, કારણુ સબોંધ-સ્નેહ કાયમ તા સરખી પ્રકૃતિવાળાના જ રહે છે અને સંબંધ કરવા પણ તેવા પ્રકારના જ ઘટિત છે. મારી અને શરીરની પ્રકૃતિ તા તદ્ન વિપરીત છેઃ તે નાશવંત અને હું અવિનાશી છું.. વ્યવહારથી કોઈનું શરીર પડતાં તેનું મરણુ થયું એમ લેકે કહે છે, પણ તે વાસ્તવિક હકીકત નથી. મરણુ વખતે જે થાય છે તે માત્ર એક શરીર સાથેનેા જીવના સંબંધ પૂર્ણ થવાથી છૂટી જાય છે, પરંતુ એ સંબધ તા પ્રથમથી જ અણુઘટતા હતા. તેવા કાચા સંબંધને ચિરંતન કાળના સંબંધ માન્યા હતા એ જ ભૂલમરેલુ હતુ. ત્યારે હવે હું તા મારી વાસ્તવિક ગતિ પકડી લઇશ. મારા ચેાગ્ય માર્ગ કોઇ પણ પ્રકારના મેલ વગર-દોષ વગર પ્રગટ કરવાની મારે ખાસ જરૂર છે, મારું અવિનાશીપણું પ્રગટ થાય, વ્યવહારથી પણ મારાં મરણેા થતાં દેખાય છે તે સ્થિતિ અટકી જાય અને મારા ચૈતન્યસ્વરૂપને શુદ્ધ માર્ગ પ્રગટ થાય એ મારી પોતાની ગતિ મારે હવે પકડી લેવી જોઇએ અને તે હું પકડી લઈશ, ગ્રહણ કરીશ, આદરીશ દેહ વિનાશી હાવા છતાં તેના સંબધમાં આ પ્રાણી કેવી કેવી વિચિત્ર વર્તના કરે છે તે પર વિવેચન કરવા અત્ર થાભજી નહિ. તે સંબંધમાં શ્રી અધ્યાત્મકલ્પદ્રુમના દેહમમત્વ ( પંચમ ) અધિકારમાં વિવેચન થઇ ગયું છે. એના વિનાશીપણાને અનુભવ તેા સામાન્ય રીતે નજર કરનારને પણ થઈ જાય તેમ છે. દરરેાજ અનેક માણુસાને મરણ પામતાં જોઇએ છીએ. એ સંબંધમાં ચિદાનન્દજી મહારાજે એક પદ લખ્યુ છે તે પર ધ્યાન આપીએઃ— એ ઘટ વિષ્ણુસત વાર ન લાગે, આ ઘટ. આ૦ ૧ યાકે સળ કહા અમ મૂરખ, છિન છિન અધિકા+પાગે. કાચા ધડા કાચકી શીશી, લાગત કૃઋણુકા ભાંગે; સડણુ પડણુ વિધ્વંસ ધરમ જસ, તસથી નિપુણ નિરાગે, એ ૨ * વિનાશ પામતા. + બધાય છે. ≠ ઠપકારા. - સડવું, પડવું અને નાશ થવા એ પુદ્ગલને ધર્મ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy