SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીસમું પદ તેવી હકીકત છે. “કયું કર દેહ ધરેગે” એ પદના બે અર્થ થાય તેમ છે. ફરીથી શું તેને અંગે લગાડશું? એ પ્રથમ અર્થ છે. એના પણ પેટામાં બે અર્થ થઈ શકે છે. એક તે મરણને હવે ફરી વાર અંગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે અને બીજું મિથ્યાત્વને ફરી વાર અંગે લગાડશું નહિ એ ભાવ નીકળે છે. બીજો અર્થ કરીએ તે એ આશય જણાય છે કે-હવે જ્યારે મિથ્યાત્વ જે દેહધારણનું કારણ હતું તેને તજી દીધું ત્યારે હવે શેને લઈને અમે ન દેહ ધારણ કરશું અને મરણ તે શરીરનું થાય છે, ચેતનજી તે હવે પછી જણાવવામાં આવશે તેમ અવિનાશી છે અને તેનું કાંઈ મરણ થતું નથી, તેથી દેહ ધારણ કરાવનાર, સંસારચક્રમાં ફસાવનાર અને રખડાવનાર મિથ્યાજ્ઞાન છે તેને ત્યાગ કર્યો છે તેથી હવે દેહ જ શા માટે ધારણ કરે પડશે? આ બીજો અર્થ પણ સુંદર છે. એ આશય ત્રીજી ગાથામાં આ જ પદમાં બતાવ્યું છે તેથી તેનું ત્યાં પુનરાવર્તન થતું અટકાવવા ઉપરોક્ત અર્થ કર્યો છે. राग दोस जग बंध करत है, ईनको नास करेंगे। मर्या अनंत कालतें प्राणी, सो हम काल हरेंगे. अब हम० २ રાગ અને દ્વેષ જગતને બંધન કરનાર છે તેઓને અમે નાશ કરશું અને અનંત કાળથી પ્રાણી મરણ પામે છે તે કાળને અમે (હવે ) મટાડી દેશું.” ભાવ–આ દુનિયામાં પીગલિક દ્રવ્ય પર પ્રીતિ અપ્રીતિ કરાવનાર વસ્તુ શું છે તેની બરાબર શોધ કરવી જોઈએ. એક વસ્તુ તરફ વિશેષ આકર્ષણ થાય, અન્ય તરફ ઓછું આકર્ષણ થાય, કઈ તરફ દુર્ગછા થાય, કેઈ ઉપર તિરસ્કાર થાય એ સર્વનું કારણ રાગ અને દ્વેષ છે. પૌગલિક વસ્તુ પરના પ્રેમને રાગ કહેવામાં આવે છે અને તેનાથી ઉલટા ભાવને દ્વેષ કહેવામાં આવે છે. અજ્ઞાનતાને પૂર જોશમાં પ્રસરાવનાર, અજ્ઞાનથી પૂર જેસમાં પ્રાપ્ત થનાર અને પરિણામે અજ્ઞાનતા પ્રાપ્ત કરાવનાર, મહામિથ્યાત્વના કારણભૂત, અનેક પ્રકારના કર્મસમૂહને એકઠા કરી લેનાર અને આત્માને અધમ સ્થિતિમાં રાખનાર મહારાજ રાજેશ્વરના આ પાટવી પુત્રે અનેક મરણેનાં કારણ છે અને ભયંકર સંસારાટવીમાં ચેત નજીને ભૂલા પાડનાર ચીના શાહુકારે છે. જે પ્રાણીઓના જોરથી વજબંધ પણ છૂટી જાય છે તે આના નેહતંતુને-કાચા સૂત્રના તાંતણાને તેડી શકતા નથી, સંસારમાંથી ઊંચા આવવાની વૃત્તિ કેઈ વખત થઈ આવે તે પણ અનુભવાતાં અનેક દુઃખેની ખાણરૂપ સંસારદશામાં પાછા પડતા છતાં પણ તેઓ તેમાં રાચેસાચે છે અને અનેક પ્રકારનાં સ્થળ અને માનસિક દુઃખે તથા ઉપાધિઓ રાજીખુશીથી વહોરી લે છે. આવી દશામાં વર્તતાં એટલે માટે કર્મબંધ કરે છે કે એને લઈને અનંત સંસાર વધારી મૂકે છે, જીવનને વિષમ બનાવી ૨ રાગદેસ રાગદ્વેષ, જગ=જગતને. બંધ બંધન, પાટ. ઇનકેeતેઓને. નાસ નાશ, ક્ષય. કરેંગે= કરીશ. મર્યો-મરણ પામ્યો. કાલોં કાળથી. સેતે. હરેંગે=મટાડીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy