SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ બેતાલીસમું ૫૦ વિક છે. એવા વિચારને પરિણામે તેને હવે નિર્ણય થયું કે માયામમતાને સંગ મૂકી દે એ જ સર્વ પ્રકારે ઉચિત છે, કારણ કે એમ કરવાથી શુદ્ધ પતિવ્રતા પિતાના ઘરની સ્ત્રીની અપ્રીતિ થાય છે અને પિતે સંસારચકમાં રખડી અનેક પ્રકારનાં દુઃખ સહન કરે છે. આવા નિર્ણયને પરિણામે ચેતનજી શુદ્ધ માર્ગ પર આવવાને વિચાર કરે ત્યારે તેના મનમાં એક પ્રકારનું સ્વાશ્ય આવી જાય છે, તેને એમ થઈ જાય છે કે હવે પોતે આ સંસારના ફાંસામાંથી નીકળી ગયે, જરામરણનાં દુઃખથી રહિત થઈ ગયે અને સર્વ પીડાથી મુક્ત થઈ ગયો. એવી સ્થિતિમાં એટલે કે જ્યારે હજુ તે માર્ગ પર આવવાના વિચાર કરે છે. અને નિર્ણય કરે છે તે વખતે તેના અંતરમાંથી જે દવનિ ઉઠે છે તે અત્ર બતાવેલ છે. પ્રાણીને સંસારમાં સર્વથી મેટે ભય મરણને છે. અહીં અનેક પ્રકારની પ્રવૃત્તિ કરી સુખદુઃખ વેઠી સંસાર જમાવે પણ તે સર્વને છોડી દઈને ક્યારે ચાલ્યા જવું પડશે તે પિતે જાણતા નથી. મેહનીય કર્મના પ્રચુરપણાથી તેની મેહદશા એવી મજબૂત થઈ ગઈ હોય છે કે પિતે સંસારને વળગતે જાય છે અને સંસાર પિતાને છેડતે નથી એમ તે સમજે છે. આવી ગાઢ અજ્ઞાનદશાને અંગે તેને મરણને બહુ ભય લાગ્યા કરે છે, કારણ કે મૃત્યુ જમાવટ કરેલી સર્વ સ્થિતિને એકદમ સર્વથા નાશ કરનાર છે, તેથી સ્વાભાવિક રીતે જ્યારે તે સમજણું થાય ત્યારે તેના મનમાં એવી વૃત્તિ થાય કે કેઈ એ ઉપાય રચવો જોઈએ કે જેથી જન્મમરણની ઉપાધિ મટી જાય. સંસારમાં દીર્ધાયુષી થવા તે અનેક પ્રકારના એગ્ય અયોગ્ય પ્રયત્નો કર્યા કરે છે. જ્યારે તેને સમતાના મહેલમાં બિરાજવાનો વિચાર થશે ત્યારે તેની સર્વ અવસ્થા તપાસતાં તેના મનમાં ખાત્રી થઈ કે આ માર્ગ પકડવાથી જન્મમરણની ઉપાધિ મટી જશે. આવી રીતે સમતાના મહેલમાં બિરાજવાની ઈરછાનું પરિણામ શું થશે તે બતાવતાં પિતે ઉદ્દગાર કાઢે છે. હવે અમને અમરપણાને માર્ગ મળે છે, તેથી અજ્ઞાનદશામાં અમે અત્યાર સુધી અનંત મરણે કર્યા તે હવે નહિ કરીએ. હવે તે આત્મા કેણુ છે? તેનું સુખ શું છે? ક્યાં છે? કેવી રીતે મળી શકે તેમ છે? વિગેરે સર્વ બાબતેની સમજણ પડી અને તેના પરિણામે યોગ્ય માર્ગ ગ્રહણ કરવાથી ચેતનજી પિતે અજર અમર થઈ જવાના છે એમ નિર્ણય થતાં ભવિષ્યમાં વર્તમાનને આરોપ કરી પિતે અત્યારે જ અમર થઈ ગયા છે એમ કહે છે. આવી રીતે જ્યારે અમે અમર થયા છીએ ત્યારે તેના અનિવાર્યું પરિણામ તરીકે હવે અમે અત્યાર સુધી કર્યા તેવાં મરણો કરશું નહિ એમ કહે છે. અત્યાર સુધી અમે મરણે કરતાં હતાં તેનું કારણ મિથ્યાજ્ઞાન-અજ્ઞાન હતું; એ ખેટ માર્ગ ગ્રહણ કર્યો હતે તેને લીધે જ અત્યાર સુધી મરણનાં દુઃખે સહન કરવાં પડતાં હતાં. મિથ્યા માર્ગના આદરથી પ્રાણી વસ્તુસ્વરૂપ ઓળખી શકતે નથી અને તેને પ્રાપ્ત કરવાને સાચો પ્રયત્ન કદિ કરતું નથી. હવે જ્યારે તે મિથ્યા માર્ગને છોડી દીધો છે અને તેનું સ્વરૂપ સમજાઈ ગયું છે ત્યારે શું ફરીવાર તેને અંગે પણ લગાડશું? શું અમારામાં એટલી સાધારણ બુદ્ધિ પણ નથી કે કુમાગને કુમાર્ગ તરીકે ઓળખા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy