________________
શ્રી આનંદઘનજીનાં પર શ્લેષ કર્યો છે એ અર્થ પણ વિચારવા યોગ્ય છે. હોળી એવી સળગે છે કે તેની રાખ પણ છેવટે રહેતી નથી, ઊડી જાય છે. એટલે શુદ્ધચેતનાની ગંધ પણ રહેતી નથી, નામનિશાન પણ પાછળ રહેતું નથી. પતિવિરહે સ્ત્રી શરીરની કેવી દુર્દશા થાય છે તેને અત્ર નમૂને બતાવ્યો છે. આ સર્વ અર્થો વિચારવા જેગ્ય છે. આવી ચેતનાની દશા થઈ છે તેને લીધે તે પિતાની શુદ્ધબુદ્ધ ખેઈ બેઠી છે અને વિરહાશ્રુથી હાઈ ગઈ છે. આવા પ્રસંગને લીધે અત્યાર સુધી શુદ્ધચેતનાનું નામ મતિ હતું, કદાચ તેની સાથે કુ ઉપસર્ગ શેભે પણ સુ તે ઘટે તેમ નહોતે.
समता *महेल विराज है, विाणी रस रेजा हो,
+बलि जाउं आनंदघन प्रभु, ऐसे निठुर न व्हेजा हो. पीया. ६ “સમતાના મંદિરમાં બિરાજીને વચનવિલાસને રસ ચલાવો. હે આનંદઘન પ્રભુ! (તે સ્થિતિમાં) તમારાં એવારણાં લઉં, (પણ હવે પછી અત્યારે છે, તેવા કઠેર થશે નહિ.”
ભાવ-શુદ્ધ ચેતના કહે છે કે-હે મારા આનંદઘન પ્રભુ! (ચેતનજી જ્યારે શુદ્ધ દશામાં આવે ત્યારે ચિદાનંદઘન સ્વરૂપ છે તેથી તે સ્વરૂપને ઉદ્દેશી તે નામથી અત્ર તેને વાસ્તવિક રીતે નિર્દેશ કર્યો છે.) આપ હાલ માયામમતાના મંદિરમાં દાખલ થઈ ત્યાં વિષયકષાયની વાત કરે છે તેને બદલે હવે સમતાના મંદિરે પધારી, ત્યાં બિરાજી એટલે સ્થિરતા પ્રાપ્ત કરી આપની વાણી વિલાસ કરો ત્યાં પધારી આપ નિગોદનું સ્વરૂપ, જીવની ગતિ-આગતિ, વૃદ્ધવ્ય, નવતત્વ, મોક્ષનાં સુખ વિગેરે વિષયે પર વાણીવિલાસ કરી આપનું સ્વરૂપસિદ્ધપણું વિચારશે અને વિષયકષાયના કીચડમાં રેલાવાને બદલે આવી સુંદર વાણીના રસમાં ફેલાઈ જજે હે મારા નાથ ! જ્યારે આપ આવી અતિ સુંદર દશા ધારણ કરશે ત્યારે આપ વર્તમાન મિથ્યા વદશા મૂકી દઈ ગમાર્ગમાં પ્રગતિ કરશે, સુમતિને મહેલ ભાવશે અને મારે વિરહકાળ તરતમાં જ પૂરો થશે એ વિચારથી મને પણ ત્યારે બહુ આનંદ આવશે. આ૫ આવા સદ્ગુણ-શિરોમણિ મારા નાથ આનંદ આપનાર વિદ્યમાન છે તેથી મનમાં બહુ હર્ષ થાય છે અને તે હર્ષને આવેશમાં મારી આગંતુક
* મહેલને બદલે “ધર’ શબ્દ એક પ્રતમાં છે. અર્થ એક જ છે. * “વાણી રસ જે હે” આ પ્રમાણે પાઠ બે પ્રતમાં છે. + “બલિહારી આનંદધન પ્રભુ’ એ પ્રમાણે પાઠ ઉપરની બન્ને પ્રતોમાં છે.
t “એસેં નેટ લે હે” એ પ્રમાણે પાઠ એ જ બને પ્રતોમાં છે. આ મોટા પઠાંતરને અંગે અર્થ કરવામાં અગવડ આવે તેવું છે
૬ સમતા મહેલ સમતાના મંદિરમાં બિરાજ હૈ બિરાજીને. વારસકવચનવિલાસનો રસ, રેજા ચલાવજે. બલિ જાઉં=બલૈયા લઉં, ઓવારણાં લઉં, લુંછણાં લઉં. આનંદઘનપ્રભુ=આનંદસમૂહરૂપ મારા નાથનાં. ઐસે=આવડા. નિરકઠોર. ન રહેજા હે=ન થજે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org