SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ યશેવિ ઉપાધ્યાય સાથે પ્રસંગ ૩૫ અષ્ટપદી જોઈ હોય તો તે દ્રવ્યાનુગ આદિના વિશિષ્ટ જ્ઞાનને અંગે ઉપાધ્યાયજીની પ્રશંસારૂપ હોવાનો સંભવ વધારે છે. મેં એવી અષ્ટપદી સંબંધી બહુ બારીક તપાસ ચલાવી છે, પરંતુ હજુ સુધી તે તે સંબંધી પત્તે લાગ્યું નથી અને કેઈએ તે વાંચી કે સાંભળી હોય એમ કહેનાર પણ મને મળ્યું નથી. આયંદે પણ જો તે સંબંધી વધારે હકીક્ત પ્રાપ્ત થશે તો તે પર ખુલ્લા મનથી વિચારણા કરવાનો પ્રસંગ લેવામાં આવશે. આવી અષ્ટપદી જે ઉપાધ્યાયજીને પોતાના પૂજ્ય તરીકે ગણુને કરેલી હોય તો તેથી આનંદઘનજીના ચરિત્રને અંગે મોટા ફેરફાર કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તેવું હોવાથી એ સંબંધી ખાસ ઊહાપોહ કરવાની જરૂર અહીં જણાઈ છે. મારો પિતાનો અભિપ્રાય આવી અષ્ટપદી હોઈ શકે નહિ એમ છે અને તેવી અષ્ટપદીની હયાતી માટે પણ એક બે માણસનાં મેઢાનાં વચન સિવાય અન્ય આધારભૂત કાંઈ પૂરા મળી શક્યો નથી. ગુજરાતી રામાં પ્રવીણ ઘણું વાંચનવાળા જૈન વિદ્વાનને પૂછતાં તેવી અષ્ટપદી કેઈએ જોઈ હોય એમ જણાતું નથી. સીધે પુરાવો અને આધારભૂત હકીકત ન મળે ત્યાં સુધી આવી અષ્ટપદીની હકીકત સ્વીકારવા ગ્ય મને લાગતી નથી. ઉપાધ્યાયજી યશોવિજયજી સાથે એક વધારે પ્રસંગ થયાની વાત પણ સંપ્રદાયથી ચાલ્યા કરે છે. હકીકત એમ બની કહેવાય છે કે આનંદઘનજી મહારાજે પિતાને દેહવિલયકાળ નજીક જાણી યશેવિજ્યજીને કેટલીક હકીકત કહેવા સારુ પિતાની પાસે લાવ્યા. ઉપાધ્યાયજી આવ્યા. તેમને આવી ગયાને બે પાંચ દિવસો થઈ ગયા છતાં આનંદઘનજી કાંઈ બોલ્યા નહિ. આથી યશોવિજયજીના મનમાં એમ સહજ શંકા થઈ કે કદાચ આનંદઘનજી પિતાને બોલવાની વાત ભૂલી ગયા હશે તેથી એક દિવસ સવારમાં વિજ્ઞપ્તિ કરી, પિતાને તેડાવવાની વાત યાદ આપી. આનંદઘનજીએ એના જવાબમાં કહ્યું કે “હવે કાંઈ કહેવાનું રહ્યું નથી. મને ખેદ એટલે થાય છે કે તમારામાં હજુ જોઈએ તેટલી સ્થિરતા આવી નથી. તમારે એટલું અવશ્ય વિચારવું હતું કે જેણે તમને ખાસ તેડાવેલ છે તેને અધિકાર પ્રમાણે અવસર જેઈ કાંઈ આપવું જ હશે અને તે યથાયોગ્ય વખતે આપત જ, પણ જ્યાં સુધી જોઈએ તેવી સ્થિરતા અને પૈર્ય આવ્યાં ન હોય ત્યાં સુધી હું યુગના મહાન તો બતાવવાનો પ્રસંગ જોતું નથી. તમને તેના અધિકારી સમજતો નથી. વેગની વિશિષ્ટ વાતે અને પ્રક્રિયાઓ હાલ તો મારી સાથે જ કાળધર્મ પામી જશે.” આવી મતલબને જવાબ મળ્યો. ત્યાર પછી યોગ્ય પરિચર્યા કરી ઉપાધ્યાયજી ત્યાંથી વિદાય થયા. એમ કહેવાય છે કે આ બનાવ બન્યા પછી ઉપાધ્યાયજીના મન પર બહુ અસર થઈ, તેઓમાં બહુ સ્થિરતા આવી ગઈ અને તેઓના ગ્રંથના વિષયે અને તેની શૈલીમાં પણ તેથી મેટ ફેરફાર થઈ ગયે. જ્ઞાનસાર જેવા અમૃતમહોદધિમાંથી સાર તત્વનું પાન કરનાર ગ્રંથ ત્યાર પછીની વયમાં બનાવેલ હોય અને જસવિલાસની આધ્યાત્મિક વાણી પણ ત્યાર પછી નીકળી હોય એમ ઘણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy