________________
એકતાલીસમુ પ
૪૩૯
નથી અને તેથી મારા મનની વ્યથા વધતી જાય છે, તેને પ્રસંગે તમે બાહ્ય ઉપચાર કરી મને શાંત કરવા ઈચ્છા છે। અને તેમ કરી તમારા સખીધમ અજાવા છે પણ એમાં કાંઈ વળવાનું નથી, એથી મારા વિરહાનળ બુઝાઈ જવાના નથી અને એથી મને શાંતિ થવાની નથી. તમે સારી રીતે જાણા છે કે મારા શરીરમાં અત્યારે જે પીડા થાય છે તે સામાન્ય પ્રકારની નથી, ઉપર ઉપરની નથી પણ અંતરંગની છે અને તેને શાંત કરવા માટે તમે જે ઉપાય સૂચવેા છે તે તદ્ન નકામા છે, ઉલટા મારી પીડા વધારનારા છે અને મને વધારે ઉદ્દીપન કરનારા છે.
ચેતનજી અનાદિ કાળથી પ્રસંગે પ્રસંગે બાહ્ય ઉપચારા તેા કર્યાં કરે છે, પણ શુદ્ધચેતનાની વિશિષ્ટ દૃષ્ટિએ જોતાં તે તે શુદ્ધચેતનાને વધારે દુઃખ દેનાર જ નીવડે છે, અવારનવાર ચેતનજી કુલટા સ્ત્રીના પ્રસગ મૂકી કાંઈક માગ પર આવવા યત્ન કરે છે અને તે વખતે અભિમાનથી કે માયાથી બાહ્ય ક્રિયાઓ કરે છે, કીતિ ખાતર દાનાદિ આપે છે, પણ તેથી ચેતનાના વિરહાગ્નિ શાંત થતા નથી. સહજ પુણ્યબંધ થાય તે તે પણ શુદ્ધચેતનાની અગ્નિને તેા વધારે ઉદ્દીપન કરે છે. શુદ્ધચેતનાની દૃષ્ટિએ વિરહાગ્નિ શાંત થાય તેવા સંયમ યતિધર્માદિ સમ્યક્ત્વપૂર્વક આચરવામાં આવે, યાગમાગમાં પ્રવેશ કરવામાં આવે, નિરિકપણે ખાર પ્રકારના બાહ્ય અભ્યંતર તપ કરવામાં આવે અને શમ, દમાદ્ઘિ અંતરંગ ઉપચાર કરવામાં આવે ત્યારે જ તેને અગ્નિ શાંત થાય તેમ છે. બાહ્ય વર થયા હાય તે તે બાહ્ય ઉપચારથી મટી શકે છે, શમી જાય છે; પણુ અંતરને વર તેા અંતરંગ ઉપાયે થી જ મટે છે. બહુ તત્ત્વષ્ટિથી જોવામાં આવશે તેા જ સમજી શકાશે કે ચેતનાને વધારે ત્રાસ આપે તેવા બાહ્ય ઉપચારા જ ઘણી ખરી વખત કરવામાં આપે છે. મહુધા તે। ઉપચાર કરવામાં જ આવતા નથી, ચેતનાને વિસારી મૂકવામાં આવે છે, ભૂલી જવામાં આવે છે, કર્દિ કાઇવાર તેના તરફ નજર કરવામાં આવે છે અને તેના અગ્નિને શાંત કરવા માટે ઉપચાર કરવામાં આવે છે તે તે પણ બહુધા તેને વધારે નુકશાન કરનાર હોય તેવા જ હાથ ધરવામાં આવે છે. શુદ્ધ ચેતના અને ચેતનના સંબંધનું અજ્ઞાન, ચેતનજીની વાસ્તવિક સ્થિતિના અધૂરા અથવા અપૂણું ખ્યાલ અથવા તેવા ખ્યાલની તદ્ન ગેરહાજરી અને વસ્તુસ્વરૂપ સાથે ચેતનના સંબંધની અને પ્રત્યેક કાર્યની ચેતના પર થતી અસર સંબંધી સમજણુની ગેરહાજરી આનુ કારણ છે. બાહ્ય ઉપચાર કાઈ કાઈ વાર કરવામાં આવે છે તે પણ ચેતનાને લાભ કરનાર થતા ન હાવાથી અને ઊલટા તેના તાપ વધારનારા થતા હાવાથી તે મ્હે છે કે હું સખી ! હું તેા મારી શુદ્ધબુદ્ધ હવે તેા ભૂલી ગઈ છું.
શ્રી આનંદઘનજી મહારાજે કેટલીક જગ્યા પર વ્યવહારને લક્ષ્યમાં રાખી નિશ્ચયને પેાષણ આપ્યું છે એમ જે કહેવામાં આવ્યુ છે. તેના આ ગાથા એક ખાસ નમૂના છે. બાહ્ય ઉપચાર શુદ્ધચેતનાના વ્યાધિને વધારનારા છે એમ કહેવામાં બહુ વિશુદ્ધ તાત્ત્વિક અપેક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે અને એ અપેક્ષા તેઓના પદમાં ઘણી જગ્યાએ ધ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org