SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ એકતાલીસમું પદ ૪૩૧ બેસીને તેના ઝરુખેથી મારા પતિના માર્ગ પર નિરીક્ષણ કરું છું. હું વિચાર કરું છું કેતેઓ કયે માર્ગે મારે મંદિરે પધારશે. “નિશદિન જેઉં તારી વાટડી, ઘરે આવીને ઢાલા એ સોળમા પદમાં ગાન કરતાં જેમ સુમતિએ જણાવ્યું છે તેમ ભક્તિના, જ્ઞાનના, યુગના, સર્વવિરતિના, દેશવિરતિના જૂદા જૂદા માર્ગો પતિઆગમન માટે છે; અષ્ટ પ્રવચન માતા, દશ યતિધર્મ, સમતિનાં ૬૭ લક્ષણ, શ્રાદ્ધના ૨૧ ગુણે, માર્ગાનુસારીના ૩૫ ગુણે, વિગેરે પતિમેળાપના અનેક માગે છે તે સર્વ માર્ગની પ્રતીક્ષા કર્યા કરું છું કે એ સર્વમાંથી કઈ પણ એક રસ્તે પતિ મારે મંદિરે પધારશે; અને એવી રીતે એમની વાટ જોતી વખતે દરેક માર્ગ પર મારા દુઃખમહેલના ઝરુખામાંથી ટીંગાઈ ટીંગાઈને જોઉં છું. જ્યારે એક માણસની રાહ જોતાં તે આવે નહિ ત્યારે આતુરતાને લીધે બારીએ અથવા ઝરુખે ટીંગાઈ ટીંગાઈને દૂર સુધી માર્ગપ્રતીક્ષા કરવામાં આવે છે તે સામાન્ય નિયમાનુસાર હું પતિવિરહથી મારું ભાનસાન ભૂલી જઈને પતિને આવવાના માર્ગ પર નીહાળી નીહાળીને જોઉં છું. પતિવિરહણ સ્ત્રી વ્યવહારમાં આ પ્રમાણે કરે છે એ આર્ય હૃદય સમજવું. શુદ્ધ ચેતના જેવી નટનાગરમાં મનને જોડવાવાળી સ્ત્રીને અંતઃકરણમાં તે બીજું હોય જ નહિ અને તેના જેવી શુદ્ધ પતિવ્રતા સ્ત્રીના આદ્ર હૃદયમાં પતિવિરહને અગ્નિ કે સળગતે હોય તે તે બરાબર સમજાય તેવું છે. ચેતનજીની બરાબર આમાં કહી છે તેવી દશા છે. અજ્ઞાનાવસ્થાને લીધે તેની ચેતના શુદ્ધ છે તે પણ તેને પિતાની માની કદિ પણ તે ખોળામાં બેસાડતું નથી, તેની સાથે કડા કરતો નથી, તેને હૃદય સાથે ભેટી હેત દેખાડતું નથી. અનાદિ અજ્ઞાનને લીધે, આત્મસ્વરૂપ સમજવાની અશક્તિને લીધે, ઘરની પવિત્ર પ્રમદાના પ્રેમી પરિચયને પરિહરી પરરમણની અપ્રશસ્ત વાજાળમાં ફસાઈ પરભાવમાં પડ્યો રહે છે. શુદ્ધચેતના પતિની આ પ્રમાણે રાહ જુએ છે એ હકીકત દરેક મુમુક્ષુએ ધ્યાનમાં રાખવાની છે. આ પદ પર સુંદર ટબ છે તેમાં ભાવ તો લગભગ સરખે છે પણ અર્થ જૂદી રીતે કરવામાં આવ્યું છે, તે ખાસ વિચારવા અને સમજવા યોગ્ય છે. “પિયા બિન સુદ્ધિ બુદ્ધિ ભૂલી હો” એવો પાઠ આ ટબામાં છે તે ધ્યાનમાં રાખવું. સુમતિ પિતાની શ્રદ્ધા રાખીને કહે છે કે-હે સખી ! ચેતનરામ પતિ વિના અશુદ્ધોપયોગી આત્માને મારે મળવું યોગ્ય છે કે નહિ? એવી શુદ્ધિને હું વિસરી ગઈ, એટલે અશુદ્ધોપગી આત્માથી મળવું કે ન મળવું એ સંબંધી મારા ધર્મના વિચારથી હું રહિત થઈ ગઈ છું. અત્રે એ પ્રશ્ન થાય છે કે-સુમતિ શા માટે આ બાબત ભૂલી ગઈ એટલે એની સુબુદ્ધિ હતી તે કેમ ચાલી ગઈ અથવા આ પ્રમાણે કહેવામાં શા માટે આવ્યું ? ત્યાં બુદ્ધિ શબ્દની સાથે સુ ઉપસર્ગ લગાડવાથી સુબુદ્ધિ શબ્દ થાય છે અને કુ ઉપસર્ગ લગાડવાથી કુબુદ્ધિ શબ્દ થાય છે. અત્ર તાત્પર્ય એમ છે કે હે સખી ! હું બુદ્ધિ ભૂલી એટલે સુબુદ્ધિ શબ્દ જ ભૂલી ગઈ. શુદ્ધોપગી આત્માને અસંગે અને અશુદ્ધોપગી આત્માને સંગે હું સુબુદ્ધિની કુબુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004508
Book TitleAnandghanji Pado
Original Sutra AuthorAnandghan
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages604
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy